Banaskantha: ‘જે મારી સાથે થયું તે બીજા કોઈ સાથે ના થાય’ પોલીસ કર્મીએ કર્યો આપઘાત

Banaskantha: ભુજમાં એક કાર્યક્રમમાં નશો કરીને ફરજ પર આવવા બદલ સસ્પેન્ડ થયેલા પોલીસ કોન્સ્ટેબલએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. વિઠ્ઠલ ચૌહાણ નામના પોલીસ કર્મીએ પોતાના બનાસકાંઠા સ્થિત ઘરે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવી લીધું છે. તેમની પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેમણે ભુજના SP વિકાસ મુંડા અને નલિયાના PI બી.પી.ખરાડી અને નલિયા CHCના મેડિકલ ઓફિસર એચ.એન.પરમારના નામનો ઉલ્લેખ કર્યો છે. આ ઘટનાથી પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે.

પોલીસ કર્મીએ કર્યો આપઘાત

હું મારી જિંદગીથી થાકી ગયો છું. મેં મારા 7 વર્ષના પોલીસ કરિયરમાં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા પર ષડયંત્ર રચીને કેસ કરવામાં આવશે અને મને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. ભુજ જિલ્લાના SP સાહેબના નિર્ણયથી મારા બધા સપના ધૂળમાં ભળી ગયા. વધુમાં તેમણે આપઘાત પહેલાં લખેલી સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે ભુજના જખૌ ખાતે ઓધવરાસ બંદોબસ્ત દરમિયાન તેઓ પીધેલી હાલતમાં પકડાયા હતા, જે બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ પણ લગાવ્યો છે. જેમાં પશ્ચિમ કચ્છના SP વિકાસ મુંડા, PI બી. પી. ખરાડી તેમજ નલિયા CHCના મેડિકલ ઓફિસરના નામનો ઉલ્લેખ કરવામા આવ્યો છે.

વધુમાં તેમણે લખ્યું છે કે, મારા મમ્મી-પપ્પાએ મારા માટે ઘણું કર્યું, તેમનો હું હંમેશા ઋણી રહીશ. મારો નાનો ભાઈ, મારી પત્ની અને મારી દીકરી, તમને બધાને હું ખૂબ પ્રેમ કરું છું. મને માફ કરજો, હું આટલા વર્ષોમાં તમારા માટે ઘણું કરી શક્યો નથી. તમારી સાથે વિતાવેલી ખુશીની ક્ષણો હંમેશા મારા હૃદયમાં રહેશે.

મારા નાના ભાઈની માનસિક સ્થિતિ નાજુક છે, બેટા, દવાઓ સમયસર લેતો રહેજે અને મમ્મી-પપ્પાને મારા ગયા પછી હિંમત આપજે. સસ્પેન્શન દરમિયાન મને સુરત ગ્રામ્યના એક ગામમાં મોકલી દેવાયો છે, જ્યાં એકલો હું કેવી રીતે જીવી શકીશ? મારી પત્નીને મેં ઘણો દુઃખ આપ્યું છે, તે માટે હું દિલગીર છું, મને માફ કરજે.

મારા પોલીસ ડિપાર્ટમેન્ટના મિત્રો—વિશાલ, પ્રકાશ, હમીર, વિજય, દિનેશ, મેહુલ—તમે બધાએ મને હંમેશા સાથ આપ્યો. તમારો આભાર. મારી સાથે જે થયું, તે બીજા કોઈ પોલીસ કર્મચારી સાથે ન થાય, એટલી જ ભગવાનને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.

પોલીસ કોન્સ્ટેબલ કારમાં દારૂની મહેફિલ માણતા પકડાયા હતા

ઉલ્લેખનીય છે કે, ભૂજ જિલ્લામાંથી સસ્પેન્ડ થયેલા પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણ અને ડ્રાઈવર રણજીત મહેશ્વરી કારમાં નશો કરતા પકડાયા હતા. આ ઘટના બાદ બંનેને સસ્પેન્ડ કરીને સુરત ગ્રામ્ય વિસ્તારમાં સસ્પેન્શન દરમિયાન ફરજ પર મૂકવામાં આવ્યા હતા. 5 મેના રોજ વિઠ્ઠલ ચૌહાણ અને રણજીત મહેશ્વરીએ કારમાં દારૂની મહેફિલ માણી હતી. આ દરમિયાન સ્થાનિક લોકોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો, જેના ભયથી બંનેએ ગભરાટમાં આવીને કાર આડેધડ ચલાવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પરિવારે કરી આ માંગ

આ મામલે પરિવારે આરોપી અધિકારીઓ સામે તાત્કાલિક ફરિયાદ નોંધવાની અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

આ પણ વાંચો:

Viral Video: પેટ ભરવા માટે નાચતી રહી મા, રડતા માસૂમને હૃદય પર પથ્થર રાખી અવગણ્યું

Bihar Election 2025: ભાજપને મોટો ફટકો, યુટ્યુબર મનીષ કશ્યપે રાજીનામું આપ્યું

America માં મોટા પાયે વિરોધ પ્રદર્શનો, ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ કર્યા તૈનાત

કેટલાક દેશોને ગમશે નહીં, પરંતુ પાકિસ્તાન પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે : Donald Trump

Arnab Goswami ના પત્રકારત્વની પોલ ખુલી, ભારત વિરુદ્ધ બોલવા માટે પાકિસ્તાનીઓને આપ્યા પૈસા?

India-Canada Relations: મોદીને G-7 સમિટમાં કેમ આપ્યું આમંત્રણ? કેનેડાના પીએમ સામે ઉઠ્યા સવાલો

Colombia ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો, આરોપીની ધરપકડ

Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

  • June 20, 2026
  • 3 views
Uttar Pradesh Politics: ભાજપાના મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે સપાની રણનીતિ, શું અખિલેશ યાદવ સત્તા હાંસલ કરી શકશે?

Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

  • June 20, 2026
  • 6 views
Noida Labour Protest: મજૂરોની માંગોથી ‘ષડયંત્ર’ સુધી, નોઈડા વિરોધ પ્રદર્શન પછી રાજ્યની બેવડી રણનીતિનો ખુલાસો

Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

  • June 20, 2026
  • 8 views
Education System India: શિક્ષણ વ્યવસ્થા કે શોષણ મશીન? વિદ્યાર્થીઓનું વધતું આર્થિક અને માનસિક ભારણ

Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

  • June 20, 2026
  • 7 views
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?

US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

  • June 19, 2026
  • 9 views
US-Iran Deal: ટ્રમ્પની શાંતિ ડીલ કે ઈરાનની રાજકીય જીત? પશ્ચિમ એશિયાના યુદ્ધ બાદ ઉભા થયેલા નવા સવાલો

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 7 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા