Ahmedabad માં પણ ખંડણી કલ્ચર, ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો જીવલેણ હુમલો

Ahmedabad : અમદાવાદના પૂર્વ વિસ્તારો, ખાસ કરીને પુનિત નગર, વટવા, વસ્ત્રાલ અને ઘોડાસરમાં લુખ્ખાતત્વો બેફામ બન્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ લુખ્ખા તત્વો પોલીસને પણ પડકાર આપી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે. ત્યારે પોલીસની નબળી કામગીરીએ શહેરની સુરક્ષા પર સવાલો ઉભા કર્યા છે.ત્યારે ફરી એક વાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી લુખ્ખાતત્વોના આતંકની ઘટના સામે આવી છે જેમાં ગુંડાતત્વોએ વેપારીને પુનિત નગર વિસ્તારમાં ધંધો કરવા માટે 50 લાખની ખંડણી માગી હતી પરંતુ વેપારીએ ના પાડતા આઠથી દસ જેટલા અસામાજિક તત્ત્વો દ્વારા તેના પર દંડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને 10 જેટલા શખ્સોએ દંડાથી તૂટી પડતા વેપારી અધમુઆ થઈ ગયા હતા. આમ અમદાવાદમાં મુંબઈ જેવું ખંડણી કલ્ચર જોવા મળી રહ્યું છે પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરે છે.

ખંડણી આપવાની ના પાડતા વેપારી પર ગુંડાતત્વોનો હુમલો

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં, ખાસ કરીને પુનિત નગર વિસ્તારમાં, અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં, મોબાઇલના વેપારી કમલેશ સંતાણી પર જય ગઢવી નામના આરોપી અને તેના આઠથી દસ સાગરીતોએ છરી અને લાકડીઓથી હુમલો કર્યો હતો. આ હુમલામાં કમલેશને મોઢા પર છરીના ઘા, ડાબા હાથમાં ફ્રેક્ચર અને પગમાં ગંભીર ઇજાઓ થઈ છે.

ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે

આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે આરોપીઓની બેફામ હરકતોને ઉજાગર કરે છે. પરંતુ આ ઘટનાએ શહેર પોલીસની પેટ્રોલિંગ વ્યવસ્થા અને કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ફરિયાદ મુજબ, જય ગઢવીએ કમલેશ પાસેથી 50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી અને ધંધો ચલાવવા દેવાની ધમકી આપી હતી. 2 જૂનના રોજ, જ્યારે કમલેશ નૈનિતાલમાં હતો, ત્યારે જય ગઢવીએ વ્હોટ્સએપ કોલ દ્વારા ધમકી આપી કે, “ધંધો કરવો હોય તો 50 લાખ આપ, નહીં આપે તો દુકાન તોડી નાખીશ અને હાથ-પગ તોડી નાખીશ.”8 જૂનની રાત્રે, કમલેશ અમદાવાદ પરત ફર્યો અને જય ગઢવીને મળવા બોલાવ્યો. રાત્રે બે વાગ્યે, કમલેશ તેના બે મિત્રો સાથે દુકાન પાસે ઉભો હતો ત્યારે આરોપીઓએ હથિયારો સાથે હુમલો કર્યો. કમલેશના મિત્રો અને આસપાસના લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ તેમને પણ માર માર્યો. વટવા GIDC પોલીસે ફરિયાદ નોંધી છે.

વેપારીઓ અને નાગરિકોમાં ભયનું વાતાવરણ

આ ઘટના કોઈ એકલદોકલ નથી. અગાઉ વસ્ત્રાલ અને ઘોડાસર વિસ્તારોમાં પણ અસામાજિક તત્વોએ જાહેરમાં નિર્દોષ લોકો પર હુમલા કર્યા હતા. આવા ગુનાઓમાં આરોપીઓ હથિયારો સાથે બેફામ રીતે ફરતા હોય છે, ત્યારે પોલીસનું પેટ્રોલિંગ ક્યાં છે? રાત્રિના સમયે આવા વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા શા માટે નબળી છે? શું પોલીસ આવા અસામાજિક તત્વોની પૂર્વ માહિતી એકત્ર કરવામાં નિષ્ફળ રહી છે? આવી ઘટનાઓનું પુનરાવર્તન શહેરના વેપારીઓ અને નાગરિકોમાં ભયનું વાતાવરણ ઊભું કરે છે, પરંતુ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા આ ગુનાઓને આમંત્રણ આપે છે.

શું પોલીસ આવા ગુનાઓને રોકવા માટે સક્ષમ નથી ?

શું પોલીસ આવા ગુનાઓને રોકવા માટે સક્ષમ નથી ? શું ખંડણી અને હુમલાની ઘટનાઓની તપાસમાં ઢીલાશ દાખવવામાં આવે છે? પોલીસે આવા ગુનાઓની ગંભીરતાને સમજીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ અને પેટ્રોલિંગ વધારીને નાગરિકોમાં વિશ્વાસ જગાવવો જોઈએ. નહીં તો, આવી ઘટનાઓ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર કાયમી ડાઘ લગાવશે.

આ પણ વાંચો:

Viral Video: પેટ ભરવા માટે નાચતી રહી મા, રડતા માસૂમને હૃદય પર પથ્થર રાખી અવગણ્યું

Bihar Election 2025: ભાજપને મોટો ફટકો, યુટ્યુબર મનીષ કશ્યપે રાજીનામું આપ્યું

America માં મોટા પાયે વિરોધ પ્રદર્શનો, ટ્રમ્પે 2000 નેશનલ ગાર્ડ કર્યા તૈનાત

કેટલાક દેશોને ગમશે નહીં, પરંતુ પાકિસ્તાન પાસે ખૂબ જ મજબૂત નેતૃત્વ છે : Donald Trump

Arnab Goswami ના પત્રકારત્વની પોલ ખુલી, ભારત વિરુદ્ધ બોલવા માટે પાકિસ્તાનીઓને આપ્યા પૈસા?

India-Canada Relations: મોદીને G-7 સમિટમાં કેમ આપ્યું આમંત્રણ? કેનેડાના પીએમ સામે ઉઠ્યા સવાલો

Colombia ના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ચૂંટણી પ્રચાર દરમિયાન હુમલો, આરોપીની ધરપકડ

Manipur Violence: મણિપુરમાં ફરી ભડકી હિંસા, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

  • June 19, 2026
  • 2 views
India Christian Attacks: ભારતમાં ખ્રિસ્તીઓ પર વધતા હુમલા, ડરના ઓથાર હેઠળ જીવતા પરિવારોની વ્યથા

Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

  • June 19, 2026
  • 7 views
Ice Cream vs Frozen Dessert: આઈસ્ક્રીમના નામે પામ ઓઈલનો ખેલ, કંપનીઓની નફાખોરી અને ગ્રાહકો સાથે થતી છેતરપિંડી!

Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

  • June 19, 2026
  • 7 views
Indian Political Defections: શું પક્ષ-પલટો કરનારા નેતાઓ ભારતીય લોકશાહી સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે?

NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

  • June 19, 2026
  • 9 views
NCERT Dancing Girl Controversy: જ્યારે શિક્ષણ સંસ્થા પોતે જ બની જાય સેન્સર બોર્ડ

India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

  • June 19, 2026
  • 7 views
India UK FTA: ભારત-UK મુક્ત વ્યાપાર કરારના છુપાયેલા પાસાં!

Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર

  • June 19, 2026
  • 14 views
Political horse trading: ‘સાંસદ-ધારાસભ્યોની ખરીદ-વેચાણ માટે સ્ટોક એક્સચેન્જ શરૂ કરો’, કોંગ્રેસનો ભાજપ પર આકરો પ્રહાર