BANASKANTHA: ધાનેરા બંધના એલાન સાથે જન આક્રોશ સભા

  • Gujarat
  • January 21, 2025
  • 1 Comments

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતાં ધાનેરા તાલુકાની જનતામાં ભારે આક્રોશ છે. જેને લઈ આજે (21મી જાન્યુઆરીએ) ધાનેરા બંધનું એલાન આપી ધાનેરામાં જન આક્રોશ જનસભા યોજી છે. ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન અને ટ્રેક્ટરમાં ગાંધીનગર કૂચ કરવા ચીમકી ઉચ્ચારી છે. તો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ હવે દિવસેને દિવસે વિવાદ વકરતો જતો જોવા મળી રહ્યો છે. જેમાં ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા આ વિભાજન મુદ્દે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે(21મી જાન્યુઆરીએ) બનાસકાંઠા ધાનેરા બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ એલાન સાથે ધાનેરા જન આક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધાનેરાના લોકોનું કહેવું છે કે તેમને થરાદ વાવમાંથી પરત બનાસકાંઠામાં રાખવામાં આવે. ધાનેરાના વિવિધ વેપારી સંગઠએ ધાનેરા બંધને ટેકો જાહેર કર્યો છે.

આ જન આક્રોશ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાયા છે. ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મામા બાપજીના મંદિર પાસે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. બીજી તરફ કાંકરેજના લોકોની પણ બનાસકાંઠામાં જોડાવાની માંગ છે સાથે જ દિયોદરના લોકોની એવી માગ છે કે દિયોદરને મુખ્ય મથક બનાવી તેને ઓગડ નામ રાખવામાં આવે.

મફતલાલ પુરોહિતે શું કહ્યું?

પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે જણાવ્યું હતું કે, ધાનેરા હિતરક્ષક સમિતિએ છેલ્લા 14 દિવસથી લોકોની માગ અને લોકલાગણીને વાચા આપવા માટે આંદોલન ચલાવ્યું છે, એમાં ધાનેરા બંધ, પ્રતીક ઉપવાસ બીજા બધા ઘણા કાર્યક્રમો આવ્યા છે. ગામડે ગામડે એ કાર્યક્રમને લઈને ગામડાઓ બંધ રાખીને આજે ધાનેરા હિતરક્ષક સમિતિને સમર્થન આપી રહ્યા છે. છતાં પણ કોઈ નિર્ણય સરકારે લીધો નથી, એટલે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

 

આ પણ વાંચોઃ SURAT SUCIEDE: દિકરીના આપઘાત મામલે AAPના પાયલ સાકરીયાએ શું કહ્યું?

Related Posts

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો
  • October 29, 2025

UP:  ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક અચરજમાં મૂકતી ઘટના બની છે. અહીં 95   વર્ષીય એક વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તેમના પરિવારને આ ઘટનાની જાણ થઈ ત્યારે…

Continue reading
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…
  • October 29, 2025

UP News: મંગળવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં એક ચોંકાવનારી ઘટના બની. શાસ્ત્રીપુરમના આરવી લોધી કોમ્પ્લેક્સમાં આવેલી હોટેલ “ધ હેવન” માં ગભરાટ ફેલાયો, જ્યારે એક યુવતી અચાનક પહેલા માળેથી પડી ગઈ અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

  • October 29, 2025
  • 2 views
UP: 95 વર્ષીય વૃદ્ધ પર ગુંડાગીરીનો આરોપ, પરિવારના સભ્યો ખાટલામાં જ લઈને પ્રાંત કચેરીએ  પહોંચ્યા, શું છે મામલો

UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

  • October 29, 2025
  • 2 views
UP News: આગ્રામાં હોટેલ ‘ધ હેવન’ની છત પરથી નગ્ન છોકરી પડી ગઈ! પોલીસ રૂમ નંબર 4 પર પહોંચી, ત્યારે…

Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

  • October 29, 2025
  • 4 views
Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

  • October 29, 2025
  • 13 views
Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

  • October 29, 2025
  • 18 views
3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

  • October 29, 2025
  • 20 views
Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ