BANASKANTHA: ધાનેરા બંધના એલાન સાથે જન આક્રોશ સભા

  • Gujarat
  • January 21, 2025
  • 1 Comments

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતાં ધાનેરા તાલુકાની જનતામાં ભારે આક્રોશ છે. જેને લઈ આજે (21મી જાન્યુઆરીએ) ધાનેરા બંધનું એલાન આપી ધાનેરામાં જન આક્રોશ જનસભા યોજી છે. ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન અને ટ્રેક્ટરમાં ગાંધીનગર કૂચ કરવા ચીમકી ઉચ્ચારી છે. તો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ હવે દિવસેને દિવસે વિવાદ વકરતો જતો જોવા મળી રહ્યો છે. જેમાં ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા આ વિભાજન મુદ્દે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે(21મી જાન્યુઆરીએ) બનાસકાંઠા ધાનેરા બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ એલાન સાથે ધાનેરા જન આક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધાનેરાના લોકોનું કહેવું છે કે તેમને થરાદ વાવમાંથી પરત બનાસકાંઠામાં રાખવામાં આવે. ધાનેરાના વિવિધ વેપારી સંગઠએ ધાનેરા બંધને ટેકો જાહેર કર્યો છે.

આ જન આક્રોશ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાયા છે. ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મામા બાપજીના મંદિર પાસે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. બીજી તરફ કાંકરેજના લોકોની પણ બનાસકાંઠામાં જોડાવાની માંગ છે સાથે જ દિયોદરના લોકોની એવી માગ છે કે દિયોદરને મુખ્ય મથક બનાવી તેને ઓગડ નામ રાખવામાં આવે.

મફતલાલ પુરોહિતે શું કહ્યું?

પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે જણાવ્યું હતું કે, ધાનેરા હિતરક્ષક સમિતિએ છેલ્લા 14 દિવસથી લોકોની માગ અને લોકલાગણીને વાચા આપવા માટે આંદોલન ચલાવ્યું છે, એમાં ધાનેરા બંધ, પ્રતીક ઉપવાસ બીજા બધા ઘણા કાર્યક્રમો આવ્યા છે. ગામડે ગામડે એ કાર્યક્રમને લઈને ગામડાઓ બંધ રાખીને આજે ધાનેરા હિતરક્ષક સમિતિને સમર્થન આપી રહ્યા છે. છતાં પણ કોઈ નિર્ણય સરકારે લીધો નથી, એટલે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

 

આ પણ વાંચોઃ SURAT SUCIEDE: દિકરીના આપઘાત મામલે AAPના પાયલ સાકરીયાએ શું કહ્યું?

Related Posts

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?
  • April 30, 2025

Junagadh Demolition: અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓની વસાહતના બહાના હેઠળ સરકાર ગરીબોના ઝૂંપડા પાડી રહી છે. જેથી લોકો આકરા ઉનાળામાં બેઘર બન્યા છે. લોકોના માથેથી છત જતી રહી છે. તેઓ પોતાના…

Continue reading
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું
  • April 30, 2025

Amreli Accident: રાજકોટથી અમેરલી જતાં ડીઝલ ટેન્કરમાં એકાએક બ્લાસ્ટ થઈ ગયો છે. બાબરા-અમેરલી રોડ પર લુણકી ગામ નજીક ડિઝલ ટેન્કરમાં બ્લાસ્ટ થતાં ડ્રાઈવર સળગી જતાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયું…

Continue reading

One thought on “BANASKANTHA: ધાનેરા બંધના એલાન સાથે જન આક્રોશ સભા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

  • April 30, 2025
  • 4 views
ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા સરકાર તૈયાર

સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

  • April 30, 2025
  • 15 views
સીમા હૈદર પાકિસ્તાનનો કચરો, પાછી મોકલવી જોઈએ, મિથિલેશ ભાટી ગુસ્સે ભરાઈ

Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

  • April 30, 2025
  • 18 views
Junagadh: અમદાવાદની જેમ જૂનાગઢમાં મોટું દબાણ હટાવવાનું કામ, આ બેઘરોને છત કોણ આપશે?

Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

  • April 30, 2025
  • 15 views
Char Dham Yatra: ગંગોત્રી-યમુનોત્રીના દ્વાર ખૂલ્યા, CMએ પહેલી પૂજા મોદીના નામે કરી

Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

  • April 30, 2025
  • 34 views
Ahmedabad: 3 વર્ષમાં 70 લાખ વૃક્ષારોપણ, 24 લાખ મરી ગયા, મોદી વૃક્ષોના નામે જુઠ્ઠુ બોલ્યા!  

Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું

  • April 30, 2025
  • 37 views
Amreli: બાબરા-અમરેલી રોડ પર ડીઝલ ટેન્કર પલટી જતાં બ્લાસ્ટ, ડ્રાઈવર ભડથું