BANASKANTHA: ધાનેરા બંધના એલાન સાથે જન આક્રોશ સભા

  • Gujarat
  • January 21, 2025
  • 1 Comments

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતાં ધાનેરા તાલુકાની જનતામાં ભારે આક્રોશ છે. જેને લઈ આજે (21મી જાન્યુઆરીએ) ધાનેરા બંધનું એલાન આપી ધાનેરામાં જન આક્રોશ જનસભા યોજી છે. ધાનેરા તાલુકા હિતરક્ષક સમિતિએ ધાનેરાને બનાસકાંઠામાં રાખવામાં નહીં આવે તો ભવિષ્યમાં ઉગ્ર આંદોલન અને ટ્રેક્ટરમાં ગાંધીનગર કૂચ કરવા ચીમકી ઉચ્ચારી છે. તો પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયા બાદ હવે દિવસેને દિવસે વિવાદ વકરતો જતો જોવા મળી રહ્યો છે. જેમાં ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા આ વિભાજન મુદ્દે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે(21મી જાન્યુઆરીએ) બનાસકાંઠા ધાનેરા બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ એલાન સાથે ધાનેરા જન આક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધાનેરાના લોકોનું કહેવું છે કે તેમને થરાદ વાવમાંથી પરત બનાસકાંઠામાં રાખવામાં આવે. ધાનેરાના વિવિધ વેપારી સંગઠએ ધાનેરા બંધને ટેકો જાહેર કર્યો છે.

આ જન આક્રોશ સભામાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત પણ સભામાં જોડાયા છે. ધાનેરા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ મામા બાપજીના મંદિર પાસે સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. બીજી તરફ કાંકરેજના લોકોની પણ બનાસકાંઠામાં જોડાવાની માંગ છે સાથે જ દિયોદરના લોકોની એવી માગ છે કે દિયોદરને મુખ્ય મથક બનાવી તેને ઓગડ નામ રાખવામાં આવે.

મફતલાલ પુરોહિતે શું કહ્યું?

પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે જણાવ્યું હતું કે, ધાનેરા હિતરક્ષક સમિતિએ છેલ્લા 14 દિવસથી લોકોની માગ અને લોકલાગણીને વાચા આપવા માટે આંદોલન ચલાવ્યું છે, એમાં ધાનેરા બંધ, પ્રતીક ઉપવાસ બીજા બધા ઘણા કાર્યક્રમો આવ્યા છે. ગામડે ગામડે એ કાર્યક્રમને લઈને ગામડાઓ બંધ રાખીને આજે ધાનેરા હિતરક્ષક સમિતિને સમર્થન આપી રહ્યા છે. છતાં પણ કોઈ નિર્ણય સરકારે લીધો નથી, એટલે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.

 

આ પણ વાંચોઃ SURAT SUCIEDE: દિકરીના આપઘાત મામલે AAPના પાયલ સાકરીયાએ શું કહ્યું?

Related Posts

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!
  • August 7, 2025

High Court: ગુજરાત હાઇકોર્ટમાં એક જૂની અપીલના કેસમાં ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં ખેડા પોલીસ અને સરકારી વકીલની કચેરી વચ્ચેના સંકલનના અભાવે ન્યાયિક પ્રક્રિયાને ગંભીર રીતે અસર કરી છે. આ…

Continue reading
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો
  • August 7, 2025

Bhavnagar: ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલા રૂખડીયા હનુમાન મંદિર પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધ છન્નાભાઈ ગોહિલની કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 12 views
High Court: ગુજરાત હાઈકોર્ટમાં મૃતક સામે કેસ ચાલતો, કારણ જાણી ચોકી જશો!

Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

  • August 7, 2025
  • 8 views
Pakistan News: પાકિસ્તાનમાં દર છઠ્ઠો વ્યક્તિ ભિખારી! ભીખ માંગવાનું નેટવર્ક વિદેશમાં ફેલાયું, અધધ કમાણી

UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

  • August 7, 2025
  • 27 views
UP: 5 વર્ષથી સગી કાકી સાથે ભત્રીજાનું અફેર, પરિવારને ખબર પડતાં ભત્રીજાએ જે કર્યું તે જાણી ચોકી જશો!

Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

  • August 7, 2025
  • 16 views
Karachi Airport: કોન્ડોમમાંથી બનાવેલી પ્લેટમાં ખાવાનું પીરસ્યું, ગ્રાહક બરાબરનો ભડક્યો, વીડિયો વાયરલ

Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

  • August 7, 2025
  • 25 views
Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો

Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ

  • August 7, 2025
  • 25 views
Ahmedabad:”પોલીસ ગુંડાઓના ખિસ્સામાં છે” એલિસબ્રિજ પોલીસ પર યુવતીના ગંભીર આક્ષેપ