Bangladesh: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા,25 દિવસમાં આઠમી હત્યાથી હિન્દુઓમાં દહેશતનો માહોલ

  • World
  • January 13, 2026
  • 0 Comments

Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય ઉપર ચિંતાજનક હુમલાઓ થઈ રહયા છે અને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહયા છે, છેલ્લા 25 દિવસમાં અહીં આઠ હિન્દુઓની હત્યા કરી દેવામાં આવી છે.

બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાનો સિલસિલો ચાલુ રહ્યો છે અને વધુ હિંદુ યુવાનની હત્યા કરી દેવામાં આવી છે ફેંગુઆના દગનભુઆમાં હિન્દુ યુવાન સમીર દાસ (28)ને ઢોરમાર મારીને હત્યા કરવામાં આવી હતી હત્યારાઓ સમીર દાસની હત્યા કર્યા બાદ તેની ઓટો રીક્ષા લૂંટીને ભાગી ગયા હતા આ સાથેજ છેલ્લા 25 દિવસમાં બાંગ્લાદેશમાં હિન્દુની આ આઠમી હત્યાની ઘટના છે.

પોલીસના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર સમીર દગનભુઆના માતુભુઈયા સંઘના રામાનંદપુર ગામનો રહેવાસી હતો અને લાંબા સમયથી બેટરીથી ચાલતી ઓટોરિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરિવારના સભ્યોએ જણાવ્યું કે જ્યારે સમીર રવિવારે રાત્રે ઘરે પાછો ફર્યો નહીં ત્યારે તેઓએ તેની શોધ શરૂ કરી પણ તે નહિ મળતા બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ લગભગ 2 વાગ્યે, લોકોને દક્ષિણ કરીમપુરના મુહુરી બારી નજીક સમીરનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો.

●૧૧ જાન્યુઆરીની સાંજે હત્યા થઈ હતી

પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, દગનભુઆ વિસ્તારમાં સમીર કુમાર દાસની હત્યા ૧૧ જાન્યુઆરીની સાંજે થઈ હતી, કાર્તિક કુમાર દાસ અને રીના રાની દાસનો સમીર સૌથી
મોટો પુત્ર હતો ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે ફેની જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

● હિન્દુ સમુદાય સામે હિંસાના બનાવો વધી રહ્યા છે

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય ઉપર અત્યાચારો વધ્યા છે અને હિંસાથી અસુરક્ષાની લાગણી પ્રસરી છે, માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે નબળા પગલાં અને વિલંબિત ન્યાયને કારણે લઘુમતી સમુદાયમાં ભયનું વાતાવરણ સર્જાયું છે આમ,બાંગ્લાદેશમાં 25 દિવસમાં 8 હિંદુઓની હત્યાઓ થતાં હિન્દુ સમાજમાં દહેશતનો માહોલ છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

 

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા
  • March 22, 2026

War Update: ઈરાન યુદ્ધના આટલા દિવસોમાં તા.22 માર્ચના રોજ ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પહેલીવાર કબુલ્યું છે કે ‘આજે અમારા માટે અત્યંત મુશ્કેલ સાંજ છે.’ 21 માર્ચની રાત્રે ઈરાને ઇઝરાયલ પર…

Continue reading
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!
  • March 22, 2026

Pakistan News: ભારતીય ધરતી પર હિંસા ફેલાવતા આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના કમાન્ડરને પાકિસ્તાનમાં ઠાર મારવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, શનિવારે ઈદની નમાજ પછી લશ્કર કમાન્ડર બિલાલ આરિફ સલાફીની ચાકુ માર્યા બાદ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

  • March 23, 2026
  • 6 views
UP: ભાજપના રાજમાં ગૌહત્યાઓ કેમ વધી રહી છે ? મથુરા પણ સુરક્ષિત નહિ! ફરસા વાલે બાબાની હત્યા કે અકસ્માત? જુઓ ખાસ વિશ્લેષણ

SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

  • March 23, 2026
  • 8 views
SHANKARACHARY: જ્યોતિર્મઠના શંકરાચાર્યનો ચોંકાવનારો દાવો ‘ RSS’ ના આ આગેવાને 10 લાખ હિન્દૂ છોકરીઓને મુસ્લિમો સાથે પરણાવી દીધી!’ આતે કેવા સનાતની કહેવાય?

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 10 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 11 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 15 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 9 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા