
Bangladesh: બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી સમુદાય ઉપર ચિંતાજનક હુમલાઓ થઈ રહયા છે અને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહયા છે, છેલ્લા 25 દિવસમાં અહીં આઠ હિન્દુઓની હત્યા કરી દેવામાં આવી છે.
બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાનો સિલસિલો ચાલુ રહ્યો છે અને વધુ હિંદુ યુવાનની હત્યા કરી દેવામાં આવી છે ફેંગુઆના દગનભુઆમાં હિન્દુ યુવાન સમીર દાસ (28)ને ઢોરમાર મારીને હત્યા કરવામાં આવી હતી હત્યારાઓ સમીર દાસની હત્યા કર્યા બાદ તેની ઓટો રીક્ષા લૂંટીને ભાગી ગયા હતા આ સાથેજ છેલ્લા 25 દિવસમાં બાંગ્લાદેશમાં હિન્દુની આ આઠમી હત્યાની ઘટના છે.
પોલીસના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર સમીર દગનભુઆના માતુભુઈયા સંઘના રામાનંદપુર ગામનો રહેવાસી હતો અને લાંબા સમયથી બેટરીથી ચાલતી ઓટોરિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો પરિવારના સભ્યોએ જણાવ્યું કે જ્યારે સમીર રવિવારે રાત્રે ઘરે પાછો ફર્યો નહીં ત્યારે તેઓએ તેની શોધ શરૂ કરી પણ તે નહિ મળતા બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ લગભગ 2 વાગ્યે, લોકોને દક્ષિણ કરીમપુરના મુહુરી બારી નજીક સમીરનો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો.
●૧૧ જાન્યુઆરીની સાંજે હત્યા થઈ હતી
પોલીસ અને સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, દગનભુઆ વિસ્તારમાં સમીર કુમાર દાસની હત્યા ૧૧ જાન્યુઆરીની સાંજે થઈ હતી, કાર્તિક કુમાર દાસ અને રીના રાની દાસનો સમીર સૌથી
મોટો પુત્ર હતો ઘટનાની માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહનો કબજો લીધો અને તેને પોસ્ટમોર્ટમ માટે ફેની જનરલ હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
● હિન્દુ સમુદાય સામે હિંસાના બનાવો વધી રહ્યા છે
બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય ઉપર અત્યાચારો વધ્યા છે અને હિંસાથી અસુરક્ષાની લાગણી પ્રસરી છે, માનવાધિકાર સંગઠનોનું કહેવું છે કે નબળા પગલાં અને વિલંબિત ન્યાયને કારણે લઘુમતી સમુદાયમાં ભયનું વાતાવરણ સર્જાયું છે આમ,બાંગ્લાદેશમાં 25 દિવસમાં 8 હિંદુઓની હત્યાઓ થતાં હિન્દુ સમાજમાં દહેશતનો માહોલ છે.
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









