
Farmer: ભાવનગર જિલ્લાના મહુવામાં નિરમા લિમિટેડના પ્રસ્તાવિત સિમેન્ટ પ્લાન્ટ સામેના મહુવા આંદોલનને લગભગ 15 વર્ષ પૂર્ણ થયા છે. આ આંદોલન ગુજરાતના ખેડૂત આંદોલનોમાં એક સીમાચિહ્નરૂપ ઘટના ગણાય છે, આ લડતનું નેતૃત્વ ભાજપના તત્કાલિન ધારાસભ્ય ડો. કનુભાઈ કળસરિયા એ કર્યું હતું.
■ખેડૂતોના વિરોધનું કારણ શુ હતું?
સરકાર દ્વારા નિરમા કંપનીને સિમેન્ટ પ્લાન્ટ માટે મહુવાના સમઢિયાળા અને આસપાસના ગામોની જે જમીન ફાળવવામાં આવી હતી, તે જમીનમાં ચેકડેમ (બંધારો) આવતો હતો. ખેડૂતોનો તર્ક હતો કે જો અહીં પ્લાન્ટ બનશે તો વિસ્તારની ખેતી અને જળ સ્તર પર માઠી અસર પડશે આ આંદોલન તેના અહિંસક સ્વરૂપ માટે જાણીતું બન્યું હતું. હજારો ખેડૂતોએ મહુવા થી ગાંધીનગર સુધીની પદયાત્રા કરી હતી.
■સુપ્રીમ કોર્ટનો ચુકાદો
લાંબી કાનૂની લડત બાદ, સુપ્રીમ કોર્ટે પર્યાવરણીય પાસાઓને ધ્યાનમાં રાખીને કંપનીને ફાળવેલી જમીન પરત લેવાનો અને પ્લાન્ટ પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો.
આ આંદોલન ભારતભરમાં ખેડૂતોની એકતા અને જળ-જમીન બચાવવાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. આજે 15 વર્ષ પછી પણ આ આંદોલન જ્યારે જ્યારે ખેડૂત અધિકારોની વાત આવે ત્યારે યાદ કરવામાં આવે છે ત્યારે આ અંગે વરીષ્ઠ દિલીપ પટેલે કરેલું ખાસ એનાલીસીસ અત્રે પ્રસ્તુત છે જોવાનું ચૂકશો નહિ.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








