Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?

  • Gujarat
  • April 23, 2025
  • 6 Comments

Bhavnagar  Rajkot terrorism  protest: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા સામે દેશભરમાં વિરોધ રહ્યો છે. હુમલાની વિશ્વએ પણ નિંદા કરી છે. ત્યારે ભારતના વિવિધ સ્થળોએ પણ ભારે વિરોધ થયો છે. પહેલગામમાં થયેલા હુમલામાં 3 ગુજરાતીના મોત થયા છે. 2 ભાવનગર જ્યારે 1 સુરતના હોવાના સામે આવ્યું છે. ભાવનગરના પિતા-પુત્ર અને માતા પહેલગામ ફરવા ગયા હતા. જ્યાં આતંકીઓના ફાયરિંગમાં  પિતા-પુત્રનું મોત થયું છે. જ્યારે માતાનો બચાવ થયો છે.

આ હુમલામાં સુરતના અન્ય એક યુવકનું પણ મોત થયું છે. આ ત્રણેયના મૃતદેહ આજે વતન લાવવામાં આવી રહ્યા છે. મોડી રાત સુધી મૃતદેહો વતન આવી જશે. પહેલગામમાં થયેલા હુમલામાં 30 જેટલા લોકોના મોત થઈ ગયા છે.

ત્યારે આજે આતંકી હુમલાનો રાજકોટમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો. રાજકોટના ત્રિકોણ બાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરાયું છે. વિશ્વ હિન્દુ પરિષદના વિનય કારીયાએ જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદી તેમજ અમિત શાહ દ્વારા આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા માટે ત્રીજી સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી અને આતંકવાદીઓ સામે લડવા માટે સમગ્ર દેશ સરકારની સાથે છે તેવું જણાવ્યું હતું.

ભાવનગરમાં પણ બજરંગ દળ દ્વારા આતંકવાદીઓના પૂતળાનું દહન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે સાથે જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

જો કે આ હુમલામાં ખુદ અમિત શાહ પણ જવાબદાર છે. તેમણે ટુરિસ્ટની સિઝન હોવા છતાં હુમલાસ્થળે એક પણ સુરક્ષાકર્મી તૈનાત કર્યો ન હતો. આ હુમલાની સીધી જવાબદારી કેન્દ્ર સરકારની બને છે. તેમાં પણ ખાસ કરીને ગૃહમંત્રી અમિત શાહની. આ હુમલામાં મહારાષ્ટ્રના 6 લોકોના મોત થયા છે. જ્યાં શિવ સેનાના નેતા સંજય રાઉતે અમિત શાહને આડે હાથ લીધા હતા. અને રાજીનામું આપી દેવા કહ્યું હતુ.

સ્થાનિકોની સંડોવણી?

સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાના શંકાસ્પદ આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. તેમના નામ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા હોવાનું કહેવાય છે. ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે હુમલાનો માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબાનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ ખાલિદ છે. આ હુમલામાં સ્થાનિકોની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ

Pahalgam Terrorist Attack: પહેલગામ હુમલા મામલે પાકિસ્તાની રક્ષામંત્રીએ શું કહ્યું?

Pahalgam Terror Attack: પંજાબમાં મુસ્લીમોએ લગાવ્યા પાકિસ્તાન મુર્દાબાદના નારા, આતંકીનું પૂતળું બાળ્યું

Resignation demand:  ‘અમિત શાહ રાજીનામું આપે, 365 દિવસ વિપક્ષોને ખતમ કરવા કાવતરા કરે છે, દેશ રામ ભરોસે’

Kashmir Bandh: આતંકવાદના વિરોધમાં કાશ્મીર બંધ, મસ્જિદોએ હુમલાની નિંદા કરી, ‘અમારા માથા શરમથી ઝૂકી ગયા’

Pahalgam Attack: 3 આતંકીઓના સ્કેચ જાહેર, ધાર્મિક ઓળખ પૂછ્યા બાદ પ્રવાસીઓ પર ફાયરિંગ

 

Related Posts

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા
  • June 16, 2025

Vijay Rupani : અમદાવાદમાં વિમાન દુર્ઘટના પછી, મૃતદેહોની ઓળખ માટે એકત્રિત કરાયેલા સંબંધીઓના ડીએનએ નમૂનાઓ સાથે 90 મૃતદેહોના ડીએનએ નમૂનાઓ મેચ થયા છે, જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નામ…

Continue reading
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
  • June 15, 2025

મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

Continue reading

One thought on “Terrorism Protest: ભાવનગર, રાજકોટમાં આતંકવાદનો વિરોધ, શું કરી માંગ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

  • June 16, 2025
  • 3 views
પૂર્વ મુખ્યમંત્રી Vijay Rupani ના આજે થશે અંતિમ સંસ્કાર, અત્યાર સુધીમાં આટલા મૃતકોના DNA સેમ્પલ મળ્યા

Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા, એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

  • June 16, 2025
  • 5 views
Earthquake in Peru: પેરુમાં મોડી રાત્રે 6.1 ની તીવ્રતાના આંચકા અનુભવાયા,  એકનું મોત, અનેક ઇમારતો ધરાશાયી

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 25 views
Adani’s Haifa port attack: ઈરાનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 15 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ