
Bhavnagar: ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગળથર ગામમાં વન્યપ્રાણી દીપડાનું વીજ કરંટથી મોત થવાની દુખદ ઘટના સામે આવી છે. પ્રાથમિક તપાસમાં જાહેર થયું છે કે, મોડી રાત્રે શિકાર કે આશ્રયની શોધમાં દીપડો ઇલેક્ટ્રિક વીજ પોલના ટ્રાન્સફોર્મર પર ચડ્યો હતો, જ્યાં તેને તીવ્ર કરંટ લાગ્યો અને તે તરત જ મૃત્યુ પામ્યો. આ ઘટનાએ સ્થાનિક વસ્તીમાં વન્યપ્રાણીઓના માનવ-સંઘર્ષ અને વીજ વ્યવસ્થાની સુરક્ષા પર ચિંતા વધારી છે.ગામના રહેવાસીઓએ વહેલી સવારે ટ્રાન્સફોર્મર પર અટવાયેલા દીપડાના મૃતદેહને જોયા પછી તુરંત વન વિભાગને જાણ કરી. જે બાદ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને જોખમી કામગીરી કરીને મૃતદેહને નીચે ઉતાર્યો હતો.
વીજ કરંટથી દીપડાનું દુખદ મોત
વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, દીપડાના મોતના કારણો હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, કારણ કે દીપડો ટ્રાન્સફોર્મર પર કેવી રીતે ચડ્યો તે અંગે વિવિધ તર્ક-વિતર્કો ચર્ચામાં છે. કેટલાકનું માનવું છે કે વરસાદી વાતાવરણમાં આશ્રય મેળવવા માટે તે ઉપર ગયો હશે, જ્યારે અન્યો કહે છે કે વીજ પોલની તારો પરથી ચડવાનો પ્રયાસ કરતી વખતે અકસ્માત થયો હશે.વન વિભાગે આ મામલે વિગતવાર તપાસ હાથ ધરી છે.
તબીબી તપાસથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે
હાલ તો દિપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકના એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો છે, જ્યાં તબીબી તપાસથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. વીજ કંપનીને પણ સૂચના આપવામાં આવી છે કે, વીજ પોલ અને ટ્રાન્સફોર્મર પર વન્યપ્રાણીઓને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરે.
અહેવાલ: નીતિન ગીહેલ
આ પણ વાંચો:
Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું
chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો
Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો









