બિહાર: સિવિલ કોર્ટ અને પ્રશાંત કિશોર વચ્ચે ચકમક; કોર્ટે શરતી જામીન આપ્યા પરંતુ પ્રશાંત લેવા તૈયાર નથી

  • India
  • January 6, 2025
  • 0 Comments

પટનાના ગાંધી મેદાનમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા જન સુરાજના સંસ્થાપક પ્રશાંત કિશોરની સોમવારે સવારે પોલીસે ધરપકડ કરી હતી. તેઓ BPSC ઉમેદવારોના સમર્થનમાં 2જી જાન્યુઆરીએ સાંજે 5 વાગ્યાથી આમરણાંત ઉપવાસ પર હતા. પોલીસે તેમની અટકાયત કરીને આજે પટના સિવિલ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

SDJM આરતી ઉપાધ્યાયની કોર્ટમાંથી રૂ. 25 હજારના અંગત બોન્ડ પર જામીન મળ્યા હતા. કોર્ટમાં હાજર થવા દરમિયાન પ્રશાંત કિશોરે પોતે દલીલો કરી હતી. તેમણે ન્યાયાધીશને કહ્યું કે કેવી રીતે પોલીસ ક્રૂરતા આચરવામાં આવી હતી. કોર્ટે જામીન મંજૂર કર્યા છે, પરંતુ પ્રશાંત કિશોર શરતી જામીન લેવા તૈયાર નથી.

પ્રશાંત કિશોર પીઆર બોન્ડ પર સહી કરી રહ્યા નથી. અસલમાં કોર્ટે કહ્યું છે કે તમે ભવિષ્યમાં વિરોધ પ્રદર્શન કરી શકશો નહીં કારણે સામાન્ય લોકોને ફરીથી મુશ્કેલીનો સામનો કરવો પડે. ન્યાયાધીશ પોતાના નિર્ણય પર અડગ છે. સવારે 4 વાગ્યે પોલીસ બળજબરીપૂર્વક તેમને લઈ ગઈ હતી. જ્યારે ત્યાં હાજર લોકોએ વિરોધ કર્યો તો તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો- જ્યારે પીએમ મોદીની સ્પીચ વચ્ચે બંધ થઇ ગયું ટેલિપ્રોમ્પ્ટર; જૂઓ વીડિયો

શું છે BPSC એક્ઝામ અને લાઠીચાર્જની આખી ઘટના

બિહારનાં 912 કેન્દ્રમાંથી 911 પર 13 ડિસેમ્બરે BPSCની પરીક્ષા હતી. પટનામાં બાપુ પરીક્ષા ભવન નામનું કેન્દ્ર છે, ત્યાં એક્ઝામ પહેલાં જ પેપર લીક થયું ને હંગામો થયો. ત્યાર બાદ BPSC તંત્રએ કહ્યું હતું કે આ એક કેન્દ્રની પરીક્ષા રદ કરવામાં આવશે અને એક જ કેન્દ્રમાં પરીક્ષા ફરીથી લેવામાં આવશે, પણ ઉમેદવારોએ ડિમાન્ડ કરી કે આખા રાજ્યમાં ફરીથી પરીક્ષા લેવામાં આવે, પણ BPSCએ તમામ પરીક્ષા રદ કરીને ફરીથી યોજવાની માગને ફગાવી દીધી હતી.

જ્યાંથી પેપર લીક થયું હતું એ બાપુ પરીક્ષા ભવનમાં 4 જાન્યુઆરી 2025ના રોજ ફરીથી પરીક્ષા લેવાશે. આ પરીક્ષામાં 12,000 ઉમેદવાર ફરીથી બેસશે. તેમાંથી 5000થી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ પણ ડાઉનલોડ કરી લીધાં છે. આખા રાજ્યમાં 1957 જગ્યા માટે 4 લાખ 80 હજાર ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે. હવે મુદ્દો બિચક્યો છે એ કે તમામ સ્ટુડન્ટ્સ આનો વિરોધ કરી રહ્યા છે કે જે પેપર પર અમે પરીક્ષા આપી હતી એ જ પેપરમાં આ 12 હજાર ઉમેદવારો ફરીથી પરીક્ષા આપશે તો તેનો મતલબ શું? માટે આખા રાજ્યમાં ફરીથી પરીક્ષા લેવાવી જોઈએ.

આ પણ વાંચો-RAJKOT: ભાજપ MLA સામે સગી બહેને કર્યા ગંભીર આક્ષેપ, ભાઈએ બહેનને જેલમાં પુરાવી?

Related Posts

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: આજે 16 જૂને હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર અને મોડેલ…

Continue reading
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી