પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે કેન્દ્ર સરકાર ફાળવશે જમીન

  • India
  • February 4, 2025
  • 0 Comments
  • મનમોહન સિંહના સ્મારક માટે કેન્દ્ર સરકાર ફાળવશે જમીન

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના સ્મારક માટે તેમના પરિવારને સરકારે જમીન આપવાની તૈયારી દર્શાવી છે. આ જમીન પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના સ્મારક માટે નિર્ધારિત જમીનની નજીક ફાળવવામાં આવી છે. આ મામલે સરકાર મનમોહન સિંહના પરિવાર દ્વારા ટ્રસ્ટ બનાવવાની રાહ જોઈ રહી છે. ત્યાર બાદ તેમને સત્તાવાર રીતે જમીન ફાળવવામાં આવશે.

એક રિપોર્ટ પ્રમાણે સરકાર ટ્રસ્ટને 25 લાખ રૂપિયાની રકમ પણ આપશે. આ રકમ સ્મારકના નિર્માણ પાછળ ખર્ચ કરવામાં આવશે. મનમોહન સિંહના નિધન બાદ સરકાર જમીન શોધી રહી હતી. મનમોહનસિંહના સ્મારકની જમીન માટે એક સર્વે પણ કરવામાં આવ્યો હતો. શહેરી વિકાસ મંત્રાલય અને સીપીડબ્લ્યુડીએ સંયુક્ત રીતે મનમોહન સિંહ સ્મારક માટે જમીનનો નિર્ણય કર્યો છે.

આ ભૂમિકા રાષ્ટ્રીય સ્મારક હેઠળ આવે છે, જેને યુપીઓ સરકાર દ્વારા વર્ષ 2013માં એક પ્રસ્તાવ લાવીને રજૂ કરવામાં આવ્યો હતો. આ સંકુલ નીચે અટલ બિહારી વાજપેયીનું સ્મારક પણ છે. જાન્યુઆરીની શરૂઆતમાં CPWD અધિકારીઓએ રાષ્ટ્રીય સ્મારકની મુલાકાત લીધી હતી અને સંજય ગાંધીની સમાધિ પાસે જમીન આપવાની ચર્ચા થઈ હતી.

એવું કહેવાય છે કે મનમોહન સિંહના પરિવારને કેટલીક જગ્યાઓ પ્રસ્તાવિત કરવામાં આવી હતી, જેમાંથી એક જગ્યા પર હવે સંમતિ સધાઈ ગઈ છે. મનમોહન સિંહના અવસાન પછી તેમના અંતિમ સંસ્કાર પર પણ રાજકારણ ગરમાયું હતું. મનમોહન સિંહના અવસાન બાદ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો.

આ પણ વાંચો- આપણા સંતો / મહંતો/ કથાકારો/ બાબાઓ જૈન સાધુઓની માફક અપરિગ્રહી બની શકે ખરાં?

Related Posts

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી
  • August 3, 2026

CVoter Snap Poll: દેશમાં પેપર લીક વિવાદ અને તેના પગલે થયેલા વિદ્યાર્થી આંદોલનો વચ્ચે જાહેર થયેલા CVoterના તાજા સ્નેપ પોલમાં કેન્દ્ર સરકાર માટે ચિંતાજનક સંકેતો સામે આવ્યા છે. સર્વે મુજબ,…

Continue reading
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો
  • August 2, 2026

Bhadohi-Sant Ravidas Nagar: ઉત્તર પ્રદેશનો ભદોહી જિલ્લો ફરી એકવાર પોતાના નામને લઈને ચર્ચામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે કે ભદોહી જિલ્લાનું નામ ફરીથી ‘સંત રવિદાસ નગર’…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

  • August 3, 2026
  • 6 views
CVoter Snap Poll: પેપર લીક મુદ્દે મોદી સરકારથી અડધાથી વધુ લોકો અસંતોષી, યુવાનોમાં વધી રહી છે નારાજગી

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 8 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 10 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 11 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 8 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 10 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી