ચંદ્ર ગોવિંદ દાસે બંધારણના ઘડવૈયા અંગે શું કહી દીધું કે વિવાદ છેડાયો?, | Video | Chandra Govind Das

Chandra Govind Das statement controversy:  બંધારણ ઘડનારા બાબા સાહેબને એક બાબાએ મુર્ખ કહેતાં વિવાદ વકર્યો છે. જે એક ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે ભારતના અનેક ક્ષેત્રોમાં ધાર્મકિતા ઉભી કરી દેવામાં આવી છે. ઘણી એવી સરકારી જગ્યાઓઓ છે તેને ધાર્મિકતાનો રંગ લગાડી દેવામાં આવ્યો છે. સરકારી કચેરીઓ, જાહેર વાહનોમાં પણ ધાર્મકિતાનું પ્રમાણ વધી રહ્યું છે. જે એક પ્રકારે જૂથવાદ પેદા કરનારું છે. ભારતના દરેક ક્ષેત્રે ધાર્મિકતાનું પ્રમાણ વધી ગયું છે. રાજકીય પક્ષોમાં ધાર્મિક કટ્ટરતાં જોવા મળી રહી છે.

ત્યારે ઇસ્કોન સાથે જોડાયેલા ચંદ્ર ગોવિંદ દાસ ઉર્ફે ચેતન પટેલ ભારે વિવાદમાં આવી ગયા છે. તેમણે બંધારણ બનાવનારને મુર્ખ કહ્યા છે. વ્યાસપીઠ પરથી બંધારણ બનાવનારને મુર્ખ કહેતાં લોકોમાં રોષ ભભૂક્યો છે. જેઓ ઇસ્કોન (ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ) સાથે સંકળાયેલા છે.

ચંદ્ર ગોવિંદ દાસે ભારતના બંધારણ અને તેના નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે અપમાનજનક ટિપ્પણી કરી કરી છે. ચંદ્ર ગોવિંદ દાસનું નિવેદન ભારતના સામાજિક અને રાજકીય વાતાવરણમાં એક સંવેદનશીલ મુદ્દો બની ગયું છે, જે બંધારણ અને ડૉ. આંબેડકરના યોગદાન પર ચર્ચાને વેગ આપે છે. આ ઘટના સમાજમાં ધ્રુવીકરણને ઉત્તેજન આપી શકે છે.

ચંદ્ર ગોવિંદ દાસે શું કહ્યું હતુ?

ચંદ્ર ગોવિંદ દાસે એક વીડિયોમાં કથિત રીતે ભારતીય બંધારણના નિર્માતાઓને “મૂર્ખ” ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે કાયદો શું કરી લે. તમારો દિકરો-દીકરીનું તમે 20 વર્ષ સુધી પાલન કર્યું છે. પરંતુ જો તે જાતે ક્યાક લગ્ન કરી લે તો તમે કશું ન કરી શકો. કાયદો બનાવનારી સરકાર કેટલી મુર્ખ હશે. બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલાં મુર્ખ વ્યક્તિઓ હશે. અવ્વલ નંબરના. આ સંવિધાને દેશને વ્યભાચારમાં ધકેલી દીધોછે. સંવિધાન ધર્મના આધાર પર હોવું જોઈએ.

ત્યારે જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં  ધાર્મિકતામાં ડૂબેલા ભારત દેશ કરતાં અન્ય દેશોમાં કેવી રીતે ટેક્નોલોજીમાં આગળ વધી રહ્યા છે.

Related Posts

Budget 2026: મોદી સરકાર હવે યુવાનોને “રીલ માસ્ટર” બનાવશે! જોરદાર આઈડિયા “રીલ બનાવો પૈસા કમાવો!” જાણો, વિશ્લેષકો શુ કહે છે!
  • February 2, 2026

Budget 2026: દેશમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જાહેર થયેલા બજેટમાં સરકાર હવે ડિજિટલ અને સર્જનાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપવા શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને રીલ બનાવતા શીખવશે આ માટે કોલેજમાં જ ‘એક…

Continue reading
Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ
  • February 1, 2026

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં ભારતના વડાપ્રધાન મોદીનું નામ ઉછળતા ભારે ચર્ચા ઉઠી છે, સાથે સાથે ભારતના ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરીના નામ પણ સામે આવ્યા છે જેની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

  • February 3, 2026
  • 2 views
Anna Hazare: ગુજરાત ‘કૌભાંડોની ભૂમિ’ છે, રાજ્યમાં દૂધ કરતાં વધુ દારૂ વહે છે!:અન્ના હજારે એવું શું કામ બોલ્યા હતા? જાણો, આખો મામલો

Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

  • February 3, 2026
  • 2 views
Election: SIRમાં ગોલમાલ કરનારાઓ જેલ જવાથી ફફડ્યા! હજારો ફોર્મ-7 પરત ખેંચાયા!

Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

  • February 3, 2026
  • 5 views
Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ટેરીફ ઘટાડયાની જાહેરાત કરી પણ PM મોદીનું ‘અકળ’ મૌનનું સસ્પેન્સ યથાવત ! જાણો,તેલના વેપારનો ખેલ!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

  • February 2, 2026
  • 7 views
Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પરનો 25 ટકા ટેરીફ ઘટાડી 18 ટકા કર્યો! ટ્રમ્પની સત્તાવાર જાહેરાત

Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

  • February 2, 2026
  • 6 views
Lok Sabha: ‘ચીની ટેન્ક લદ્દાખ સુધી ઘૂસી ગઈ હતી!’ રાહુલના સવાલ ઉપર સ્પીકરે માઇક્રોફોન બંધ કર્યુ !

Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”

  • February 2, 2026
  • 10 views
Lok Sabha: ચીન મુદ્દે રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનું આક્રમક વલણ કહ્યું”માફી માંગો!”