
Narendramodi: ભારત ઉપર અમેરિકાએ 50 ટકા ટેરીફ લગાવી રાખ્યો છે અને હવે વધુ 500 ટકા ટેરીફ લગાવવાની ધમકી આપી રહ્યું છે ટ્રમ્પ રશિયા પાસેથી ઓઇલ ક્રૂડ નહિ ખરીદવા દબાણ કરી રહયા છે અને વાટાઘાટો માટે ત્રણ શુક્રવારનો સમય આપ્યો તે મોદી ચુકી ગયા એટલે હવે ટ્રેડ ડિલની વાત અહીં થાય તેવું કહી વધું ડરાવી રહયા છે ત્યારે હવે ભારતે ચીન સાથે તેના વ્યાપારિક સંબંધો પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
અહેવાલ મુજબ, નાણા મંત્રાલય પાંચ વર્ષ જૂના પ્રતિબંધો હટાવવા માટે તૈયાર છે જે ચીની કંપનીઓને ભારતીય સરકારી પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાથી રોકતા હતા.આ કડક નિયમો 2020 માં થયેલી હિંસક સરહદી અથડામણો પછી લાગુ કરવામાં આવ્યા હતા, જેમાં કોઈપણ ચીની કંપનીને ભારતમાં બોલી પ્રક્રિયામાં ભાગ લેતા પહેલા સરકારી સમિતિ પાસેથી રાજકીય અને સુરક્ષા મંજૂરી મેળવવી જરૂર પડતી હતી.
સમાચાર એજન્સી રોઇટર્સે સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે સરકાર આ નોંધણી પ્રક્રિયાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કામ કરી રહી છે, જોકે અંતિમ નિર્ણય વડા પ્રધાન કાર્યાલય (PMO) પાસે છે. રોઇટર્સના અહેવાલને ટાંકીને The Gujarat Reportના MD મયુર જાનીએ આ મુદ્દા ઉપર જાણીતા પત્રકાર Paranjoy Guha Thakurta સાથે વાત કરી ત્યારે તેઓએ ભૂતકાળ અને વર્તમાન સ્થિતિના ઉદાહરણો ટાંકીને સચોટ વિશ્લેષણ કર્યું હતું, વિડીયો જોવાનું ચૂકશો નહિ પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









