Crack on Indira Bridge: અમદાવાદમાં વધુ એક બ્રિજમાં પડી તિરાડો! ભ્રષ્ટ તંત્રના પાપે એક સાથે ત્રણ બ્રિજ બન્યા જર્જરિત!

Crack on Indira Bridge: અમદાવાદમાં સુભાષબ્રિજ બાદ દધીચિ બ્રિજમાં લોખંડના સળિયા દેખાયા બાદ હવે ઈન્દિરા બ્રિજ પર પણ તિરાડ પડી હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે.અમદાવાદમાં સાબરમત નદી પરના એક સાથે ત્રણ બ્રિજમાં બેદરકારી સામે આવ્યા બાદ હવે શહેરના અન્ય બ્રિજોની શુ સ્થિતિ છે તે હવે તપાસનો વિષય બન્યો છે પણ તે અંગે હજુસુધી તપાસ કરવાની તંત્રએ તસ્દી લીધી નથી.

હાલમાં સાબરમતી નદીના જુદા-જુદા બ્રિજ પરથી દરરોજ પસાર થઈ રહેલા હજારો નાગરિકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે પણ તંત્ર હજુ જાણે દુર્ઘટના બને પછી જ કામગીરી કરવાની રાહ જોઈ રહ્યું હોવાનું જણાય રહ્યું છે.શહેરમાં બનેલા બ્રિજ જર્જરિત થઈ રહયા છે જેને કોઈ જોવા વાળું નથી પરિણામે મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત ઉભી થઇ છે.

ઈન્દીરા બ્રિજ 2012માં ખૂલ્લો મુકવામાં આવ્યો હતો જે અમદાવાદ-ગાંધીનગરને જોડતો બ્રિજ છે આ બ્રિજ ઉપર તિરાડો, પડી હોવાછતાં તંત્ર આ વાતથી અજાણ છે.અહીથી રોજના સેંકડો વાહનચાલકો પસાર થઇ રહ્યા છે, જેઓ સામે જોખમ ઉભું થયું છે.ઈન્દીરા બ્રિજના સાંધા અને સપાટી પર તિરાડો પડી ગઈ છે જે તે ગમે ત્યારે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે તેમ છે. બ્રિજનો આ રોડ સચિવાલય અને એરપોર્ટ જેવા મહત્વના સ્થળોને જોડતો હોવાથી અહીં ચોવીસ કલાક વાહનોથી ધમધમતો રહે છે, છતાં તંત્ર દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી અને હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નહિ આવતા આશ્ચર્ય સર્જાયું હતું.

સરકાર મોટી મોટી જાહેરાત કરે છે અને લોકહિત માટે સગવડો આપે છે પણ કરોડોના પ્રોજેક્ટ્સમાં નબળી ગુણવત્તા અને મળતિયા કોન્ટ્રાક્ટરોને કામ આપવાના કારણે આવા કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહયાનું સપાટી ઉપર આવી રહ્યું છે.અગાઉ સુભાષ બ્રિજ ત્યારબાદ દધિચી બ્રિજ અને હવે ઇન્દિરા બ્રિજ નબળો પડતા આ વ્યસ્ત બ્રિજ પર મોટી દુર્ઘટનાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અહીં તંત્રની બેદરકારી અને બ્રિજની નબળી ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!
  • June 18, 2026

Gujarat Teachers Protest: ગુજરાતમાં ખેડૂતોના આંદોલન બાદ હવે શિક્ષણ જગતમાંથી પણ સરકાર સામે મોટો બળવો શરૂ થયો છે. રાજ્યભરના હજારો પ્રાથમિક શિક્ષકો હાલ TET (Teacher Eligibility Test) પરીક્ષામાંથી મુક્તિની માંગ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 3 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 4 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 7 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 8 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 8 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!

  • June 18, 2026
  • 10 views
Gujarat Teachers Protest: શું અનુભવની કિંમત નથી? TET પરીક્ષા ફરજિયાત સામે ગુજરાતભરમાં શિક્ષકોનો જબરદસ્ત વિરોધ!