Crack on Indira Bridge: અમદાવાદમાં વધુ એક બ્રિજમાં પડી તિરાડો! ભ્રષ્ટ તંત્રના પાપે એક સાથે ત્રણ બ્રિજ બન્યા જર્જરિત!

Crack on Indira Bridge: અમદાવાદમાં સુભાષબ્રિજ બાદ દધીચિ બ્રિજમાં લોખંડના સળિયા દેખાયા બાદ હવે ઈન્દિરા બ્રિજ પર પણ તિરાડ પડી હોવાનું સામે આવતા ભારે ચકચાર મચી ગઇ છે.અમદાવાદમાં સાબરમત નદી પરના એક સાથે ત્રણ બ્રિજમાં બેદરકારી સામે આવ્યા બાદ હવે શહેરના અન્ય બ્રિજોની શુ સ્થિતિ છે તે હવે તપાસનો વિષય બન્યો છે પણ તે અંગે હજુસુધી તપાસ કરવાની તંત્રએ તસ્દી લીધી નથી.

હાલમાં સાબરમતી નદીના જુદા-જુદા બ્રિજ પરથી દરરોજ પસાર થઈ રહેલા હજારો નાગરિકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે પણ તંત્ર હજુ જાણે દુર્ઘટના બને પછી જ કામગીરી કરવાની રાહ જોઈ રહ્યું હોવાનું જણાય રહ્યું છે.શહેરમાં બનેલા બ્રિજ જર્જરિત થઈ રહયા છે જેને કોઈ જોવા વાળું નથી પરિણામે મોટી દુર્ઘટના સર્જાવાની દહેશત ઉભી થઇ છે.

ઈન્દીરા બ્રિજ 2012માં ખૂલ્લો મુકવામાં આવ્યો હતો જે અમદાવાદ-ગાંધીનગરને જોડતો બ્રિજ છે આ બ્રિજ ઉપર તિરાડો, પડી હોવાછતાં તંત્ર આ વાતથી અજાણ છે.અહીથી રોજના સેંકડો વાહનચાલકો પસાર થઇ રહ્યા છે, જેઓ સામે જોખમ ઉભું થયું છે.ઈન્દીરા બ્રિજના સાંધા અને સપાટી પર તિરાડો પડી ગઈ છે જે તે ગમે ત્યારે મોટી દુર્ઘટનાનું કારણ બની શકે તેમ છે. બ્રિજનો આ રોડ સચિવાલય અને એરપોર્ટ જેવા મહત્વના સ્થળોને જોડતો હોવાથી અહીં ચોવીસ કલાક વાહનોથી ધમધમતો રહે છે, છતાં તંત્ર દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી અને હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નહિ આવતા આશ્ચર્ય સર્જાયું હતું.

સરકાર મોટી મોટી જાહેરાત કરે છે અને લોકહિત માટે સગવડો આપે છે પણ કરોડોના પ્રોજેક્ટ્સમાં નબળી ગુણવત્તા અને મળતિયા કોન્ટ્રાક્ટરોને કામ આપવાના કારણે આવા કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહયાનું સપાટી ઉપર આવી રહ્યું છે.અગાઉ સુભાષ બ્રિજ ત્યારબાદ દધિચી બ્રિજ અને હવે ઇન્દિરા બ્રિજ નબળો પડતા આ વ્યસ્ત બ્રિજ પર મોટી દુર્ઘટનાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અહીં તંત્રની બેદરકારી અને બ્રિજની નબળી ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

Related Posts

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years
  • August 2, 2026

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું, 26% increase in heart disease in 10 years, 2026માં 1 લાખ લોકોની હૃદયની ધમની ખારાબ દિલીપ પટેલ અમદાવાદ, 2 ઓગસ્ટ 2026…

Continue reading
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

  • August 2, 2026
  • 3 views
Bhadohi-Sant Ravidas Nagar: ભદોહીનું નામ બદલવા પાછળ શું છે રાજકીય ગણિત? જાણો સંપૂર્ણ મામલો

Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

  • August 2, 2026
  • 5 views
Gujarat Heart Disease: યુવાનોનું દિલ ધકધક નહીં ધડધડ કરવા લાગ્યું 26% increase in heart disease in 10 years

Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

  • August 2, 2026
  • 10 views
Trump Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઑફ પીસ’ને લઈને વિવાદ શા માટે? ગાઝા પુનર્નિર્માણ યોજના પર વિશ્વમાં ઉઠ્યા ગંભીર પ્રશ્નો

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

  • August 1, 2026
  • 6 views
Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી

Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

  • August 1, 2026
  • 8 views
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી

Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ

  • August 1, 2026
  • 9 views
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ