Dahod Mgnrega Scam: જેલમાંથી બહાર આવતા જ કિરણ ખાબડની ધરપકડ, વધુ એક ફરિયાદ દાખલ

Dahod Mgnrega Scam: દાહોદ જિલ્લામાં બહુચર્ચિત રૂ.71 કરોડના મનરેગા કૌભાંડ મામલે મંત્રી પુત્રોની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. ગઈ કાલે બંને મંત્રી પુત્રોને જામીન મળ્યા બાદ જેલમુક્ત થતાની સાથે જ પોલીસે મંત્રીપુત્ર કિરણ ખાબડની જેલ બહારથી ધરપકડ કરી લેવામાં આવી હતી.

જેલમાંથી બહાર આવતા જ કિરણ ખાબડની ધરપકડ

દાહોદ જિલ્લામાં કામો કાગળ પર બતાવી મંત્રી પુત્રોએ બિલ પાસ કરાવી કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ થતા રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર બળવંત અને કિરણ ખાબડની પોલીસે ધરપકડ કરી હતી.જે બાદ બંનેના રિમાન્ડ મેળવ્યા બાદ કસ્ટડીમાં મોકલી દીધા હતા. ત્યારે તેઓની જામીન અરજી પર સુનાવણી દરમિયાન ગઈકાલે બંને મંત્રી પુત્રોના દાહોદની ચીફ જ્યુડિશિયલ કોર્ટે 50,000 ના બોન્ડ પર શરતી જામીન મંજૂર કર્યા હતા. જો કે પોલીસે આ જામીન સામે સ્ટે આપવા માટે દાદ મેળવી હતી.જેના પર આજે સુનાવણી બાદ કોર્ટે પોલીસની જામીન અરજી રદ કરવાનો સ્ટે ફગાવી બંને મંત્રી પુત્રોને જામીન આપ્યા હતા. ત્યારે જેલમુક્ત થતા સાંજે સબ જેલ ખાતેથી બંને મંત્રીપુત્રો જઈ રહ્યા હતા ત્યારે પોલીસે બળવંત ખાબડને જવા દીધો હતો અને કિરણ ખાબડની ધરપકડ કરી લીધી હતી.

મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું

મળતી માહિતી મુજબ મંત્રી પુત્ર કિરણ ખાબડ વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કારણ કે ધાનપુરના લવારીયા ગામમાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 79 કામો પૈકી 21 કામો કર્યા વગર નાણા સેરવી લેવામાં આવ્યા હતા. આ મામલે તે સમયે જિલ્લા વિકાસ અધિકારીના આદેશ બાદ ડીઆરડીએ નિયામકે તત્કાલીન કરાર આધારિત ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ તેમજ ગ્રામ રોજગાર સેવક બારીયા કાંતિભાઈ ધનસુખભાઈને ફરજ મુક્ત કર્યા હતા. આમ લવારીયા ગામે મનરેગાના 21 કામોમાં 18.41 લાખનું કૌભાંડ થયું હતુ પરંતુ તે સમયે ફરિયાદ નોંધાઇ ન હતી પરંતુ જેવા બચુ ખાબડના બંન્ને દિકરાના જામીન મંજુર થયા તેવા ગત 29 મેના રોજ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે કિરણ ખાબડ વિરુદ્ધ 21 કામોમાં ગેરરિતી મામલે ફરિયાદ નોધાવમાં આવી હતી. આ ફરિયાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (ડીઆરડીએ)ના નિયામક દ્વારા નોંધાવવામાં આવી છે.

વધુ તપાસ ચાલુ

આ ફરિયાદ નોંધાતાની સાથે જ દાહોદ એલસીબી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી કિરણ ખાબડને જામીન પર જેલમાંથી બહાર આવતાની સાથે જ ઝડપી લીધો હતો અને કિરણ ખાબડની ધરપકડ બાદ તેને દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે જ્યાં તેવી વધુ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:

Ahmedabad: ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, અમદવાદમાં સૌથી વધુ કેસ

‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE

RBI Bank note: ફાટેલી નોટોનોમાંથી ફર્નિચર કેમ બનાવવામાં આવી રહ્યું છે?

Jay Vasavada ની જૂની ઓડિયો ક્લિપ અત્યારે કેમ વાઈરલ?, શું ગુજરાત સમાચાર રેઈડ કનેક્શન છે?

રાજકોટમાંથી હીરા ચોરી કરનાર શખ્સ ઝડપાયો, આ રીતે પોલીસે દબચ્યો? | Diamond theft

Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ

Gujarat Weather Update: આજે ગુજરાતના 10 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, જાણો હવામાન વિભાગની નવી આગાહી

Trump Tarrif: ટ્રમ્પને ટેરિફ લાદવાનું ચાલુ રાખવાની મંજૂરી, જાણો શું દલીલ કરવામાં આવી?

Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ

અફઘાનિસ્તાને પાકિસ્તાન પર હુમલો કર્યો, BLA નો દાવો | Afghanistan | Pakistan | attack

Sabarkantha: તલોદ માર્કેટયાર્ડમાં બાજરીના ભાવ ઓછા બોલાતા ખેડૂતો વિફર્યા

  • Related Posts

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?
    • June 15, 2025

    મહેશ ઓડ Ahmedabad plane crash: 12 જૂને અમદાવાદમાં થયેલી વિમાન ક્રેશની ઘટનામાં ‘ભગવત ગીતા’ પુસ્તક બચી ગયાના દાવા થઈ રહ્યા છે. આને લોકો ધર્મ, ભગવાન સાથે જોડીને કહે છે કે…

    Continue reading
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….
    • June 15, 2025

    Ahmedabad Plane Crash: અમદાવાદમાં દુર્ગટનાગ્રસ્ત થયેલા એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના જાળવણીના દાવાને તુર્કીએ ફગાવી દીધો છે. તુર્કીએ કહ્યું કે તુર્કીએ ટેકનિક વિમાનના જાળવણીમાં સામેલ નથી. આ દરમિયાન અમેરિકાની NTSB…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    • June 15, 2025
    • 16 views
    Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    • June 15, 2025
    • 17 views
    Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    • June 15, 2025
    • 22 views
    Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    • June 15, 2025
    • 12 views
    Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    • June 15, 2025
    • 31 views
    Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

    • June 15, 2025
    • 18 views
    Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ