Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

Dahod: વિકસિત અને ગરવી ગુજરાતના દાવાઓ વચ્ચે ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોની દુર્દશા ચિંતાનો વિષય બની રહી છે. ગરબાડા નગરના નવાગામ ફળિયામાં આવેલી એક આંગણવાડીની જર્જરીત હાલતથી 47 બાળકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભો થયો છે.

આંગણવાડીમાં પોપડા ખર્યા

આ આંગણવાડી કેન્દ્રના સ્લેબના પોપડા ખરવાની ઘટના સામે આવી છે, જો કે રજાના દિવસે આ ઘટના બની હોવાથી મોટી જાનહાની ટળી હતી. જો આ ઘટના રજાના દિવસે ના બની હોત તો આંગણવાડીમાં રોજના 47 બાળકોના જીવને જોખમ ઊભું થયું હોત. આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી અને આંગણવાડી કેન્દ્રોની જાળવણીના અભાવને ઉજાગર કર્યો છે.

સરકારના દાવાઓ પર ઉઠ્યા સવાલ 

દાહોદ જિલ્લાને ટ્રાઇબલ વિસ્તારોમાં વિકાસની મુખ્ય ધારા પહોંચાડવા માટે મહત્વકાંક્ષી જિલ્લા તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, ગરબાડા જેવા આંતરિયાળ વિસ્તારોમાં આંગણવાડીઓની જર્જરીત હાલત આ દાવાઓ પર સવાલ ઉભા કરે છે. નવાગામની આ આંગણવાડીમાં હાલ 47 બાળકો નિયમિત રીતે ભણે છે અને પોષણ મેળવે છે, પરંતુ જર્જરીત ઇમારતમાં તેમનું જીવન જોખમમાં મૂકાઈ રહ્યું છે.

વાલીઓમાં ચિંતાનો માહોલ 

સ્થાનિક લોકો અને બાળકોના વાલીઓએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને તંત્રને વહેલી તકે આવી જર્જરીત આંગણવાડીઓ બંધ કરી, વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગણી કરી છે. જો આવી સ્થિતિમાં આંગણવાડી ચાલુ રહેશે અને સ્લેબના પોપડા ખરવાની ઘટના ફરી બને તો મોટી હોનારત સર્જાઈ શકે છે.

જરૂરી સમારકામ કરવાની માંગ

આ ઘટના દાહોદ જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં આંગણવાડીઓની દયનીય સ્થિતિને ઉજાગર કરે છે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રે આવા કેન્દ્રોનું તાત્કાલિક નિરીક્ષણ કરી, જરૂરી સમારકામ અથવા નવી ઇમારતોનું નિર્માણ કરવું જરૂરી છે, જેથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થાય.

આ પણ વાંચો:

Junagadh: માણાવદર રિવરફ્રન્ટનો મામલો ગરમાયો, અરવિંદ લાડાણીની ગોપાલ ઇટાલિયાને ‘મોરેમોરા’ આવી જવાની ચેલેન્જ!

Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

Related Posts

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો
  • October 28, 2025

Ahmedabad: અમદાવાદમાંથી એક અજૂગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સી.એજી રોડ પર આવેલી ડિઝાઈર શોપના દરજીએ ગ્રાહને લગ્ન પ્રસંગ પહેલા બ્લાઉઝ ના સીવી આપવા બદલ ગ્રાહક કમિશને 7 હજાર દંડ ફટકાર્યો…

Continue reading
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર
  • October 28, 2025

ગુજરાતમાં કેટલીક APMC  પર કેટલાક તત્વોએ રીતસર કબ્જો જમાવ્યો હોવાની ફરિયાદો ઉઠી છે અને ખેડૂતોને બદલે આવા તત્વો મફતમાં ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં હોવાની વાત ચર્ચાનો વિષય બની છે. હાલમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!V

  • October 28, 2025
  • 2 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!V

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 10 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 15 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

  • October 28, 2025
  • 9 views
Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

  • October 28, 2025
  • 21 views
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી

  • October 28, 2025
  • 8 views
Swaminarayan Controversy: સ્વામિનારાયણ સંપ્રદાયમાં વધતા વિવાદો, લંપટગીરી, કૌભાંડો અને ધર્મના કલંકની કર્મકુંડળી