Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

Dahod: વિકસિત અને ગરવી ગુજરાતના દાવાઓ વચ્ચે ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોની દુર્દશા ચિંતાનો વિષય બની રહી છે. ગરબાડા નગરના નવાગામ ફળિયામાં આવેલી એક આંગણવાડીની જર્જરીત હાલતથી 47 બાળકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભો થયો છે.

આંગણવાડીમાં પોપડા ખર્યા

આ આંગણવાડી કેન્દ્રના સ્લેબના પોપડા ખરવાની ઘટના સામે આવી છે, જો કે રજાના દિવસે આ ઘટના બની હોવાથી મોટી જાનહાની ટળી હતી. જો આ ઘટના રજાના દિવસે ના બની હોત તો આંગણવાડીમાં રોજના 47 બાળકોના જીવને જોખમ ઊભું થયું હોત. આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી અને આંગણવાડી કેન્દ્રોની જાળવણીના અભાવને ઉજાગર કર્યો છે.

સરકારના દાવાઓ પર ઉઠ્યા સવાલ 

દાહોદ જિલ્લાને ટ્રાઇબલ વિસ્તારોમાં વિકાસની મુખ્ય ધારા પહોંચાડવા માટે મહત્વકાંક્ષી જિલ્લા તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, ગરબાડા જેવા આંતરિયાળ વિસ્તારોમાં આંગણવાડીઓની જર્જરીત હાલત આ દાવાઓ પર સવાલ ઉભા કરે છે. નવાગામની આ આંગણવાડીમાં હાલ 47 બાળકો નિયમિત રીતે ભણે છે અને પોષણ મેળવે છે, પરંતુ જર્જરીત ઇમારતમાં તેમનું જીવન જોખમમાં મૂકાઈ રહ્યું છે.

વાલીઓમાં ચિંતાનો માહોલ 

સ્થાનિક લોકો અને બાળકોના વાલીઓએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને તંત્રને વહેલી તકે આવી જર્જરીત આંગણવાડીઓ બંધ કરી, વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગણી કરી છે. જો આવી સ્થિતિમાં આંગણવાડી ચાલુ રહેશે અને સ્લેબના પોપડા ખરવાની ઘટના ફરી બને તો મોટી હોનારત સર્જાઈ શકે છે.

જરૂરી સમારકામ કરવાની માંગ

આ ઘટના દાહોદ જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં આંગણવાડીઓની દયનીય સ્થિતિને ઉજાગર કરે છે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રે આવા કેન્દ્રોનું તાત્કાલિક નિરીક્ષણ કરી, જરૂરી સમારકામ અથવા નવી ઇમારતોનું નિર્માણ કરવું જરૂરી છે, જેથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થાય.

આ પણ વાંચો:

Junagadh: માણાવદર રિવરફ્રન્ટનો મામલો ગરમાયો, અરવિંદ લાડાણીની ગોપાલ ઇટાલિયાને ‘મોરેમોરા’ આવી જવાની ચેલેન્જ!

Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

Related Posts

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ
  • August 5, 2025

Vadodara: વડોદરા ફાયર બ્રિગેડ વિભાગમાં ભ્રષ્ટાચારનો મામલો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિઓની ફરિયાદો ઉઠતાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક તપાસના આદેશ આપ્યા હતા.…

Continue reading
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?
  • August 5, 2025

Surat Fake Tobacco Factory: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ, અધિકારીઓ, કચેરીઓ ઝડપાઈ રહી છે. છતાં સરાકર ઊંઘતી ઝડપાઈ રહી છે. જેનો લાભ ગઠિયાઓ લઈ રહ્યા છે. સુરતમાં નકલી શેમ્પૂના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 7 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 4 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 17 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 19 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 8 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?

  • August 5, 2025
  • 28 views
Satyapal Malik: પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન, મોદીના સમર્થક કટ્ટર ટીકાકાર કેવી રીતે બની ગયા હતા?