Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?

Dahod: વિકસિત અને ગરવી ગુજરાતના દાવાઓ વચ્ચે ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોની દુર્દશા ચિંતાનો વિષય બની રહી છે. ગરબાડા નગરના નવાગામ ફળિયામાં આવેલી એક આંગણવાડીની જર્જરીત હાલતથી 47 બાળકોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભો થયો છે.

આંગણવાડીમાં પોપડા ખર્યા

આ આંગણવાડી કેન્દ્રના સ્લેબના પોપડા ખરવાની ઘટના સામે આવી છે, જો કે રજાના દિવસે આ ઘટના બની હોવાથી મોટી જાનહાની ટળી હતી. જો આ ઘટના રજાના દિવસે ના બની હોત તો આંગણવાડીમાં રોજના 47 બાળકોના જીવને જોખમ ઊભું થયું હોત. આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી અને આંગણવાડી કેન્દ્રોની જાળવણીના અભાવને ઉજાગર કર્યો છે.

સરકારના દાવાઓ પર ઉઠ્યા સવાલ 

દાહોદ જિલ્લાને ટ્રાઇબલ વિસ્તારોમાં વિકાસની મુખ્ય ધારા પહોંચાડવા માટે મહત્વકાંક્ષી જિલ્લા તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, ગરબાડા જેવા આંતરિયાળ વિસ્તારોમાં આંગણવાડીઓની જર્જરીત હાલત આ દાવાઓ પર સવાલ ઉભા કરે છે. નવાગામની આ આંગણવાડીમાં હાલ 47 બાળકો નિયમિત રીતે ભણે છે અને પોષણ મેળવે છે, પરંતુ જર્જરીત ઇમારતમાં તેમનું જીવન જોખમમાં મૂકાઈ રહ્યું છે.

વાલીઓમાં ચિંતાનો માહોલ 

સ્થાનિક લોકો અને બાળકોના વાલીઓએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે અને તંત્રને વહેલી તકે આવી જર્જરીત આંગણવાડીઓ બંધ કરી, વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માગણી કરી છે. જો આવી સ્થિતિમાં આંગણવાડી ચાલુ રહેશે અને સ્લેબના પોપડા ખરવાની ઘટના ફરી બને તો મોટી હોનારત સર્જાઈ શકે છે.

જરૂરી સમારકામ કરવાની માંગ

આ ઘટના દાહોદ જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં આંગણવાડીઓની દયનીય સ્થિતિને ઉજાગર કરે છે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રે આવા કેન્દ્રોનું તાત્કાલિક નિરીક્ષણ કરી, જરૂરી સમારકામ અથવા નવી ઇમારતોનું નિર્માણ કરવું જરૂરી છે, જેથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થાય.

આ પણ વાંચો:

Junagadh: માણાવદર રિવરફ્રન્ટનો મામલો ગરમાયો, અરવિંદ લાડાણીની ગોપાલ ઇટાલિયાને ‘મોરેમોરા’ આવી જવાની ચેલેન્જ!

Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

Related Posts

Jungleshwar Demolition Food Bill: ૨૭ લાખનો નાસ્તો, શું રાજકોટ મનપાના અધિકારીઓ માટે જંગલેશ્વર ડિમોલિશન એક ‘પાર્ટી’ હતી?
  • June 26, 2026

Jungleshwar Demolition Food Bill: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગત ફેબ્રુઆરી મહિનામાં થયેલું મેગા ડિમોલિશન એક તરફ હજારો પરિવારો માટે તેમના જીવનનો સૌથી કાળો અધ્યાય બનીને રહ્યું, તો બીજી તરફ આ જ…

Continue reading
Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાં નકલી બ્લડ પ્લાઝ્માના કરોડોના કથિત કારોબારનો પર્દાફાશ
  • June 26, 2026

Gujarat Fake Blood Plasma Racket: ગુજરાતમાંથી એક અત્યંત ચોંકાવનારી અને માનવતાને લાંછન લગાડે તેવી ઘટના સામે આવી છે, જ્યાં કૅન્સર અને હીમોફીલિયા જેવા જીવલેણ રોગોની સારવાર માટે વપરાતા ‘પીળા બ્લડ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

  • June 27, 2026
  • 5 views
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ

Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

  • June 27, 2026
  • 6 views
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ

Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

  • June 27, 2026
  • 7 views
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા

Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

  • June 27, 2026
  • 10 views
Bihar Caste Politics: બિહારની લોકશાહી કે જાતિવાદની પ્રયોગશાળા? દરેક ઘટનાને જાતીય રંગ આપવાની હીન રાજનીતિ

Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

  • June 27, 2026
  • 13 views
Maharashtra RTI Rules Protest: ભ્રષ્ટાચારીઓને બચાવવા RTI ને નબળું પાડવાનો ખેલ? મહારાષ્ટ્રના નવા નિયમો સામે જનતામાં રોષ

Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી

  • June 27, 2026
  • 11 views
Air India Flight 182: 40 વર્ષ બાદ કેનેડાની જાસૂસી સંસ્થાની મોટી કબૂલાત, એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ પાછળ ખાલિસ્તાની તત્વોની ભૂમિકા સ્વીકારી