
Delhi Pollution Case in Supreme Court : દિલ્હીમાં ભયજનક રીતે પ્રદુષણનું સ્તર વધી રહ્યું છે ત્યારે સરકાર પ્રદૂષણ નાથવામાં બિલકુલ નિષ્ફળ જતા હવે સુપ્રીમ કોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી અને પ્રદૂષણ નાથવા શુ પગલાં ભર્યા તે અંગે તાત્કાલિક જવાબ રજૂ કરવા આદેશ કર્યોં હતો.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતે કોવિડ-19 વખતે દિલ્હીમાં જે રીતે પ્રદૂષણ અટકી ગયું હતું તે અંગે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તે સમયે આકાશ સ્વચ્છ થઈ ગયું હતું તેઓએ કહ્યું ‘અમે કોવિડ વખતે દિલ્હીનું આકાશ સંપૂર્ણ સ્વચ્છ જોયું હતું’
સુપ્રીમ કોર્ટની બેંચે સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમે હવે ચૂપ નહીં બેસી શકીએ, દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડી શકાય છે તો અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી?અમે કોવિડ-19 વખતે આકાશ સંપૂર્ણ સ્વચ્છ જોયું હતું. તે વખતે દિલ્હીના લોકો પ્રદૂષણની અડચણ વગર આકાશમાં તારા જોઈ શકતા હતા.
પરાલી સળગાવવાથી પણ પ્રદૂષણ વધ્યું છે, પરંતુ આ મુદ્દાને રાજકીય અને અહંકારની લડાઈ ન બનાવવી જોઈએ.સોમવારે સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીએ જણાવ્યું હતું કે પ્રદૂષણ માટે ખેડૂતોને દોષી ઠેરવવાનું સરળ છે, ખાસ કરીને જ્યારે તેઓ પોતાનો બચાવ કરવા માટે કોર્ટ સમક્ષ હાજર નથી હોતા ત્યારે.માત્ર પરાલી સળગાવવાથી દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું નથી. અન્ય કારણે વધેલું પ્રદૂષણ ઘટાડવા માટે તમે શું પગલાં લીધા, તેની માહિતી આપો.’
સુપ્રીમ કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) અને સરકારને પૂછ્યું છે કે, ‘તમે પ્રદૂષણ ઘટાડવા માટે શું યોજના બનાવી છે? CAQM અને સત્તાવાળાઓએ પગલાં ભરવા જોઈએ અને દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ઘટાડવા માટે વિચાર કરવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા માટે જે રીતે યોજનાઓ ચલાવાઈ રહી છે, તેનાથી અમે ચિંતિત છીએ.’
કોર્ટના કડક વલણથી સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રદૂષણને દૂર કરવા માટે હવે નક્કર પગલાં ભરવા પડશે.
હવે મુખ્ય સવાલ એ છે કે શું કોર્ટનું કડક વલણ એજન્સીઓને જાગૃત કરશે?દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ડોકટરો હવે શહેર છોડવાની સલાહ આપી રહ્યા છે.અહીં ઉછરતા બાળકોમાં અકાળ જન્મ અને માનસિક ક્ષમતામાં ઘટાડો થવા સહિત અનેક રોગોનું જોખમ ઉભું થયુ છે.
દરમિયાન, દલીલો સાંભળ્યા બાદ સીજેઆઈએ દિલ્હીમાં પરાલી સળગાવવાના કારણ સિવાય પ્રદૂષણ અટકાવવા માટે જે અસરદાર ઉપાયો કરાયા છે, તેનો રિપોર્ટ જમા કરવા CAQMને આદેશ આપ્યો છે.
કોર્ટ હવે આગામી સુનાવણી 10 ડિસેમ્બરે હાથ ધરશે.
આ પણ વાંચો:
Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!







