Delhi Pollution Case in Supreme Court: દિલ્હીના પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે સરકારની કાઢી ઝાટકણી!તાત્કાલિક જવાબ રજૂ કરવા આદેશ:10મીએ સુનાવણી

  • India
  • December 2, 2025
  • 0 Comments

Delhi Pollution Case in Supreme Court : દિલ્હીમાં ભયજનક રીતે પ્રદુષણનું સ્તર વધી રહ્યું છે ત્યારે સરકાર પ્રદૂષણ નાથવામાં બિલકુલ નિષ્ફળ જતા હવે સુપ્રીમ કોર્ટે સરકારની આકરી ઝાટકણી કાઢી હતી અને પ્રદૂષણ નાથવા શુ પગલાં ભર્યા તે અંગે તાત્કાલિક જવાબ રજૂ કરવા આદેશ કર્યોં હતો.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્યકાંતે કોવિડ-19 વખતે દિલ્હીમાં જે રીતે પ્રદૂષણ અટકી ગયું હતું તે અંગે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે તે સમયે આકાશ સ્વચ્છ થઈ ગયું હતું તેઓએ કહ્યું ‘અમે કોવિડ વખતે દિલ્હીનું આકાશ સંપૂર્ણ સ્વચ્છ જોયું હતું’

સુપ્રીમ કોર્ટની બેંચે સ્પષ્ટ કહ્યું છે કે, ‘અમે હવે ચૂપ નહીં બેસી શકીએ, દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડી શકાય છે તો અસરકારક પગલાં કેમ લેવામાં આવતા નથી?અમે કોવિડ-19 વખતે આકાશ સંપૂર્ણ સ્વચ્છ જોયું હતું. તે વખતે દિલ્હીના લોકો પ્રદૂષણની અડચણ વગર આકાશમાં તારા જોઈ શકતા હતા.

પરાલી સળગાવવાથી પણ પ્રદૂષણ વધ્યું છે, પરંતુ આ મુદ્દાને રાજકીય અને અહંકારની લડાઈ ન બનાવવી જોઈએ.સોમવારે સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીએ જણાવ્યું હતું કે પ્રદૂષણ માટે ખેડૂતોને દોષી ઠેરવવાનું સરળ છે, ખાસ કરીને જ્યારે તેઓ પોતાનો બચાવ કરવા માટે કોર્ટ સમક્ષ હાજર નથી હોતા ત્યારે.માત્ર પરાલી સળગાવવાથી દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું નથી. અન્ય કારણે વધેલું પ્રદૂષણ ઘટાડવા માટે તમે શું પગલાં લીધા, તેની માહિતી આપો.’

સુપ્રીમ કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) અને સરકારને પૂછ્યું છે કે, ‘તમે પ્રદૂષણ ઘટાડવા માટે શું યોજના બનાવી છે? CAQM અને સત્તાવાળાઓએ પગલાં ભરવા જોઈએ અને દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ઘટાડવા માટે વિચાર કરવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા માટે જે રીતે યોજનાઓ ચલાવાઈ રહી છે, તેનાથી અમે ચિંતિત છીએ.’

કોર્ટના કડક વલણથી સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રદૂષણને દૂર કરવા માટે હવે નક્કર પગલાં ભરવા પડશે.
હવે મુખ્ય સવાલ એ છે કે શું કોર્ટનું કડક વલણ એજન્સીઓને જાગૃત કરશે?દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ડોકટરો હવે શહેર છોડવાની સલાહ આપી રહ્યા છે.અહીં ઉછરતા બાળકોમાં અકાળ જન્મ અને માનસિક ક્ષમતામાં ઘટાડો થવા સહિત અનેક રોગોનું જોખમ ઉભું થયુ છે.

દરમિયાન, દલીલો સાંભળ્યા બાદ સીજેઆઈએ દિલ્હીમાં પરાલી સળગાવવાના કારણ સિવાય પ્રદૂષણ અટકાવવા માટે જે અસરદાર ઉપાયો કરાયા છે, તેનો રિપોર્ટ જમા કરવા CAQMને આદેશ આપ્યો છે.
કોર્ટ હવે આગામી સુનાવણી 10 ડિસેમ્બરે હાથ ધરશે.

આ પણ વાંચો:

Commonwealthgames2030:ગુજરાતમાં ‘ખેલકુદ’શિખવતા શિક્ષકો નથી અને ઓલેમ્પિકની વાતો થાય છે!

Prohibition in Gujarat is only on paper : ભાજપ ‘દારૂ અને ડ્રગ્સ’ના વેપારને ખુલ્લેઆમ પ્રોત્સાહન આપે છે!ઈમાનદાર પોલીસ અધિકારીઓને સાઈડ લાઈન કરાય છે!

Police action against farmers: કચ્છમાં અદાણીનો પાવર ચાલ્યો!હક્ક માંગી રહેલા 604 ખેડૂતો સામે પોલીસ કાર્યવાહી થતાં દેકારો!

Related Posts

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન
  • May 9, 2026

Congress Attack On Pm Modi: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં શનિવારનો દિવસ એક નવી ગાથા લઈને આવ્યો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા…

Continue reading
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના
  • May 9, 2026

Arvind Kejriwal: બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રભાવશાળી પ્રદર્શન બાદ હવે પક્ષની નજર પંજાબ પર ટકી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપ હવે પંજાબમાં પોતાની પૂરી તાકાત લગાવવા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 8 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 6 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન