
ગુજરાતમાં આજે ભયંકર અકસ્માત થયો છે. ધોલેરા-ભાવનગર હાઇવે પર સાંઢીડા નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાતાં 5 લોકોના મોત થયા છે. જેમાં 4 લોકો અમદાવાદ અને એક પાલિતાણાની મહિલાનું મોત હોવાનું સામે આવ્યું છે.
સાંઢીડા નજીકથી પસાર થતાં ધોલેરા-ભાવનગર હાઇવે રોડ પર આજે સવારે અકસ્માત થયો છે. બે કાર વચ્ચેની સામસામે અથડાતાં એક મહિલા અને ત્રણ પુરુષ અને 1 બાળક મળી કુલ 5 લોકોનાં મૃત્યુ થયાં છે.
મૃતકોમાં 3 પુરુષ અમદાવાદમાં રહેતા એક જ પરિવારના સગા ભાઈઓ છે અને એક તેમનું બાળક છે. જયારે મૃતક મહિલા પાલીતાણાની વાતની છે. પ્રાથમિક માહિતી અનુસાર, સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સસિટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલિતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાથે જ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. હાલ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતમાં એટલો ભયંકર હતો સ્કોર્પિયો કાર પલટીને રોડની નીચે જતી રહી હતી. જ્યારે કિયા કારનો આગળનો ભાગ ભાંગીને કૂચ્ચો થઈ ગયો હતો. અકસ્માત થતાં લોકોનો ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. અકસ્માત બાદ ટ્રાફિકજામ પણ થઈ ગયો હતો. પોલીસે આવી ટ્રાફિક હળવો કર્યો હતો.
મૃતકોની નામ
1.ગોરધનભાઇ ગોબરભાઈ ડોબરીયા
2.અશોકભાઈ ગોબરભાઈ ડોબરીયા
3.ગૌરવભાઈ ગોબરભાઈ ડોબરીયા
4.તીર્થ ગૌરવભાઈ ડોબરીયા (હાલ તમામ રહે સાયન્સ સિટી પાસે, અમદાવાદ)
5.દિશાબેન કિરીટભાઇ પ્રબતાણી (પાલીતાણા)
આ પણ વાંચોઃ
Modi address: મફતમાં નાટક જોવાની તક ચૂકશો નહીં, વિશ્વના મહાન કલાકાર આવી રહ્યા છે’ | Sanjay Singh
UP Murder Case: પત્ની બળાત્કારના કેસમાં જુબાની આપે તે પહેલા જ હત્યા!, દિયરે શું કહ્યું?
MP: પોલીસે પીછો કરતાં દુષ્કર્મનો આરોપી હાઈટેન્શન લાઈન પર ચઢી ગયો, પછી શું થયું?
ભાજપા નેતાઓની હત્યા-આત્મહત્યાઓનો ઈતિહાસ, ભાજપાના ગુંડાઓ કેમ ફૂલ્યા ફાલ્યા? | Murder-suicide
ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી
ભારતીય સૈન્ય હાજરીનો વિરોધ કરનાર માલદીવને ભારતે 50 મિલિયન ડોલરની સહાય કરી
બચ્ચને યુદ્ધવિરામ બાદ એવું તે શું લખ્યું કે પોસ્ટ જબરજસ્ત વાઈરલ થઈ? | Amitabh Bachchan
Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું
