Ahmedabad: સાબરમતી નદીનું પાણી ખાલી કરાયું

Ahmedabad Sabarmati river, water empty: અમદાવાદ શહેર વચ્ચે વહેતી સાબરમતીનું પાણી ખાલી કરાયું છે. સાબરમતી નદીની સાફ-સફાઈ માટે ખાલી કરવામાં આવી છે. સાથે સાથે વાસણા બેરેજના સમારકામ અને ઉપરવાસમાં માટીના રેમ્પ નિર્માણ હેતુસર રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા નદીને સંપૂર્ણપણે ખાલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કામગીરી  આજે 12 મે, થી 5 જૂન, 2025 સુધી ચાલશે.

શહેરના હૃદય સમાન સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરીને સ્વચ્છ બનાવવાનું અભિયાન શરૂ થયું છે. સાબરમતી નદી પર વાસણા ખાતે નિર્મિત બેરેજના દરવાજાના રિપેરિંગ અને તેના ઉપરવાસમાં માટીનો રેમ્પ બનાવવાની અત્યંત જરૂરી કામગીરી કરાશે. આ હેતુસર રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સુભાષબ્રિજથી લઈને વાસણા બેરેજ સુધીના અંદાજિત પાંચ કિલોમીટરથી વધુ લાંબા નદી પટને ખાલી કરી દેવામાં આવશે. નદી સંપૂર્ણપણે શુષ્ક થયા બાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ દ્વારા નદીના તળિયાની સફાઈ હાથ ધરવામાં આવશે, જેમાં જમા થયેલો કચરો અને કાંપ વગેરે દૂર કરવામાં આવશે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ અને એનજીઓ સાથે મળીને જનભાગીદારી સાથે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી. નોંધનીય છે કે સુભાષ બ્રિજ નજીક સાબરમતી નદી પર બુલેટ ટ્રેનનું નિર્માણ કાર્ય પણ ચાલી રહ્યું છે, જેથી તે વિસ્તારથી આગળનો નદી પટ ખાલી થશે. નદીના કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલું છે, જે આગામી દિવસોમાં સુકાઈ જશે ત્યારબાદ ત્યાં પણ સફાઈ કરવામાં આવશે.

સાબરમતી નદી

સાબરમતી નદી ભારતની મહત્વની નદીઓમાંની એક છે, જે રાજસ્થાનના અરાવલી પર્વતમાળામાં, ઉદયપુર જિલ્લાના માઉન્ટ આબુ ખાતે જય સમુદ્ર તળાવ નજીકથી ઉદ્ભવે છે. આ નદી રાજસ્થાન અને ગુજરાત થઈને લગભગ 371 કિલોમીટરની મુસાફરી કરીને ખંભાતના અખાતમાં સમાય છે. તેના માર્ગમાં અમદાવાદ અને ગાંધીનગર જેવાં શહેરો આવે છે, જ્યાં તે સાંસ્કૃતિક અને આર્થિક રીતે મહત્વની છે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટે અમદાવાદમાં નદીના કાંઠાને પ્રવાસન અને પર્યાવરણીય સુધારણાનું કેન્દ્ર બનાવ્યું છે. જોકે, નદી પ્રદૂષણનો સામનો કરે છે, કારણ કે ગટરનું ગંદું પાણી અને ઔદ્યોગિક કચરો તેની ગુણવત્તાને અસર કરે છે. સફાઈ માટે 2025માં વાસણા બેરેજના સમારકામ અને પાણી ખાલી કરવાની કામગીરી શરૂ થઈ છે.

સાબરમતી નદી દેશની બીજા નંબરની ગંદી નદી?

સાબરમતી નદી કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (નવેમ્બર 2022) અનુસાર, તે ભારતની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી છે. અમદાવાદ જેવા શહેરોમાં ગટરનું ગંદું પાણી, ઔદ્યોગિક કેમિકલ્સ અને ઘન કચરો નદીમાં ઠલવાય છે, જેના કારણે પાણી પીવાલાયક નથી રહ્યું. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ હોવા છતાં, ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શનો અને અપૂરતી સફાઈને કારણે પ્રદૂષણ વધ્યું છે.

આ પણ વાંચોઃ

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે વાતચીત, ભારતને સીઝ ફાયર કેમ કરવું પડ્યુ? | Ceasefire

PM મોદીને પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી, દેશ સાથે દગો કર્યો: સંજય રાઉત | ceasefire

India Pakistan Updates: બંને દેશ તરફથી યુદ્ધવિરામ, છતાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ ચાલુ

India-Pakistan ઘર્ષણ: સીઝ ફાયર કરાવવામાં કોનો હાથ?, પૂર્વ સેના પ્રમુખ નારાજ!, કહ્યું ફરી નહીં મળે મોકો

PoK અને આતંકીઓ સોંપો તો જ વાતચીત, ભારતે અમેરિકાને શું કહી દીધું?

Salman Khan: યુદ્ધવિરામ અંગે પોસ્ટ કરતાં જ સલમાન લોકોના લપેટામાં આવી ગયો, શું કહ્યું?

ઓપરેશન સિંદૂર ચાલુ રાખવા સેના મક્કમ, હવે શું થશે? | Operation Sindoor

 

 

 

Related Posts

Jetpar Morbi Farmers Protest: મોરબીના જેતપરમાં ખેડૂતોનો અનોખો વિરોધ, 15 ખેડૂતોએ મુંડન કરાવી આમરણાંત ઉપવાસી ખેડૂતોને આપ્યો ટેકો
  • June 22, 2026

Jetpar Morbi Farmers Protest: મોરબી જિલ્લાના જેતપર ગામમાં હાલ ખેડૂતો અને ખાનગી પાવર કંપની વચ્ચેનો જંગ ચરમસીમાએ પહોંચ્યો છે. વીજપોલ અને કોરિડોરના પ્રોજેક્ટને લઈને સર્જાયેલા વિવાદમાં હવે ખેડૂતોએ ગાંધીગીરીનો માર્ગ…

Continue reading
Bayad Land Scam: અરવલ્લીના બાયડમાં મૃત ખેડૂતને ‘જીવતા’ કરી જમીન સગેવગે કરવાનો ખેલ બહાર આવ્યો
  • June 20, 2026

Bayad Land Scam: ગુજરાતનું મહેસૂલી તંત્ર અને ભૂમાફિયાઓની મિલીભગતનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના વાસણીરેલ ગામમાંથી સામે આવ્યો છે. આ ઘટના માનવીય કલ્પનાની બહાર છે: એક એવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

  • June 22, 2026
  • 4 views
Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ

Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

  • June 22, 2026
  • 5 views
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!

Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

  • June 22, 2026
  • 6 views
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?

India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

  • June 22, 2026
  • 10 views
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ

Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

  • June 22, 2026
  • 12 views
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ

Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?

  • June 22, 2026
  • 9 views
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?