મેરે કૂત્તે ઇન્સાનોં સે કમ હે!, 2 વર્ષની ‘દાલી’ વૉટર કલરથી પેઇન્ટિંગ કરે છે અને ‘રૉકી’એ ભસી ભસીને 37 લોકોના જીવ બચાવ્યા

આજે આપણે એક બહુ મોટા ચિત્રકાર વિશે વાત કરવાની છે. આ ચિત્રકારે વૉટર કલરથી અત્યાર સુધીમાં 37 પેઇન્ટિંગ્સ બનાવી છે અને એમનું નામ દાલી અને ઉંમર માત્ર 2 વર્ષ છે! દાલી એ કોઈ માણસ નથી પણ લેબ્રાડોર ડૉગ છે.

ફિમેલ ડૉગ દાલી હૈદરાબાદના મણિકોંડામાં રહે છે અને એણે રમતરમતમાં આ ચિત્રો દોરી નાખ્યાં છે. દાલી 45 દિવસની હતી ત્યારે એને એક જગ્યાએ બાંધીને કોઈ જતું રહ્યું હતું. સ્નેહાંશુ દેવનાથ અને હોઈ ચૌધરી એને છોડાવી લાવ્યા અને દત્તક પણ લીધી. હોઈ આર્ટિસ્ટ છે. દાલી એક દિવસ એના સ્ટુડિયોમાં આવી અને બધી વસ્તુઓનું નિરીક્ષણ કરવા લાગી. દાલીને પણ ચિત્રો દોરવામાં રસ હશે એવું માનીને હોઈએ દાલી મોંમાં લઈ શકે એવું ખાસ પ્રકારનું બ્રશ બનાવ્યું. દાલી 7 મહિનાની થઈ ત્યારે એણે પહેલું ચિત્ર દોર્યું. દાલી જન્મજાત ચિત્રકાર છે, એવું કહી શકાય. કારણ કે એને કોઈ તાલીમ અપાઈ નથી. એ જાતે જ બધું દોરતાં શીખી છે.

દાલીએ અત્યાર સુધીમાં 37 જેટલાં એબ્સ્ટ્રેક્ટ આર્ટવર્ક બનાવ્યાં છે. ગયા વર્ષે 2024માં એક કૅલેન્ડરમાં દાલીનાં 12 પેઇન્ટિંગ્સ છપાયાં હતાં. એ કૅલેન્ડર વેચાયાં એમાં 35000 રૂપિયા ભેગા થયા અને હૈદરાબાદની એનિમલ રેસ્ક્યુ સંસ્થા માર્ગને આપ્યા હતા. આ કૅલેન્ડર ભારતમાં જ નહીં પણ અમેરિકા, કેનેડા, ચીન અને થાઈલૅન્ડમાં પણ માગ થઈ હતી. દાલીને ચિત્રો દોરવા સિવાય તરવાનું, ફરવાનું અને તોફાન કરવાનું ગમે છે.

દાલી ચિત્રકાર તરીકે દેશભરમાં પ્રખ્યાત થઈ ગઈ એ રીતે ભસી ભસીને 67 લોકોના જીવ બચાવીને પાળેલો કૂતરો રૉકી પણ લોકોના હૈયામાં વસી ગયો છે. બન્યું એવું કે હિમાચલ પ્રદેશમાં ગયા અઠવાડિયે ભારે વરસાદ પડ્યો હતો. વાત 30 જૂનની છે. મંડીના સિયાથી ગામ પોઢી ગયું હતું. અડધી રાતે એકાએક નરેન્દ્રનો કૂતરો રૉકી જોર જોરથી ભસવા લાગ્યો.

કૂતરો બીજા માળે હતો. રાત્રે 1 વાગ્યે ભસાભસ કરી પણ નરેન્દ્રે ન ગણકાર્યું પણ રૉકી સતત ભસ્યા કરતો હતો. એટલે એને કશુંક થયાની શંકા ગઈ. નરેન્દ્ર ઉઠ્યો. લાઇટ ચાલુ કરીને જોયું તો ઘરની દીવાલ પર મોટી તિરાડ પડી હતી અને એમાંથી પાણી ઘરમાં આવતું હતું. ઘર પડવાની તૈયારી હતી એટલે જ રૉકી ભસતો હતો. નરેન્દ્ર તરત જ કૂતરાને લઈને નીચે ભાગ્યો અને ઘરની બહાર નીકળી ગયો. પળવારનું મોડું કર્યા વિના નરેન્દ્રે સૌને જગાડ્યા અને જોત જોતાંમાં આખું ગામ ખાલી કરી નાખ્યું. એ પછી ભૂસ્ખલન થયું અને સિયાથી ગામ પર ભેખડો તૂટી પડી. એમાં એકાદ ડઝન ઘર તારાજ થઈ ગયાં પણ માત્ર ને માત્રે રૉકીને કારણે 67 લોકોના જીવ બચી ગયા. હિમાચલમાં ચોમાસામાં પડેલા ભારે વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 85 લોકોનાં મૃત્યુ થયાં છે. આખા રાજ્યમાં ભૂસ્ખલનને કારણે 225 ઘર, 7 દુકાન, 243 પશુશેડ, 31 વાહન અને 14 પુલ ક્ષતિગ્રસ્ત થયા છે. 215 પશુનાં પણ મૃત્યુ થયાં છે.

 

આ પણ વાંચોઃ

Gujarat: માર્ગ અને પુલની વર્ષે 30 હજાર ફરિયાદો, પૂર્ણેશ મોદીએ પ્રજાની સેવા શરૂ કરીને પાટીલે હાંકી કાઢ્યા

Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે

Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા

Nirav Soni Arrest: નડિયાદમાં 1 કરોડથી વધુનું ફૂલેકું ફેરવનાર નીરવ સોની પોલીસ સકંજામાં, બે દિવસના રિમાન્ડ પર, મહિલાને આ રીતે છેતરી!

Bhavnagar: 19 વર્ષિય કિન્નરનો આપઘાત, મંજૂરી વગર PM કરી નાખ્યું, પરિવારે કહ્યું અતુલ ચૌહાણ….

 

 

Rajkot: રાજકોટમાં કલેક્ટર કચેરીનો ઘેરાવ, રોડ નહીં તો ટોલ નહીં, નીતિન ગડકરી પર પ્રહાર

 

 

Related Posts

Ring One: હવે ‘વીંટી’થી થઈ જશે ઓનલાઈન પેમેન્ટ, સ્માર્ટફોન, વોલેટ જૂના થયા!, જાણો કિંમત
  • October 16, 2025

Ring One: આજકાલ બધું ઓનલાઇન થઈ ગયુ છે અને ખૂબ જ ઓછા લોકો કેશથી પેમેન્ટ કરતા હોય છે. આપને જણાવી દઈએ કે અત્યાર સુધી UPI પેમેન્ટ માટે QR Code સ્કેન…

Continue reading
Planets: ‘અહીં જીવન શક્ય છે!’, બ્રહ્માન્ડમાં પૃથ્વી જેવા જ પાણીનું અસ્તિત્વ ધરાવતાં અનેક ગ્રહ મળ્યા!
  • October 13, 2025

Planets Found: આપણે વર્ષોથી બ્રહ્માંડમાં જીવન હોવાની વાતો સાંભળતા આવ્યા છે અને એલિયનની વાતો પણ અવારનવાર સામે આવતી રહે છે અને ચંદ્ર-મંગળ ઉપર જવાની વાતો થતી રહે છે પણ ત્યાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

  • October 27, 2025
  • 4 views
Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

  • October 27, 2025
  • 8 views
BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

  • October 27, 2025
  • 3 views
Shreyas Iyer Admitted : શ્રેયસ ઐયરની હવે કેવી છે હાલત? પાંસળીમાં  થઈ હતી ઈજા , છેલ્લા ઘણા દિવસોથી ICUમાં દાખલ

SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

  • October 27, 2025
  • 19 views
SBI અને બેંક ઓફ બરોડા હવે AI ટેક્નોલોજીથી સજ્જ,  ડિજિટલ ફ્રોડનું પેમેન્ટ આવતા જ ખબર પડી જશે!

Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

  • October 27, 2025
  • 25 views
Ahmedabad: ‘હું ટ્રીટમેન્ટ નહીં કરું’, અમદાવાદની સોલા સિવિલમાં મહિલા ડૉક્ટરની દાદાગીરી

SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC

  • October 27, 2025
  • 3 views
SIR dates announce : દેશભરમાં આજે SIRની તારીખોનું થશે એલાન,ચૂંટણી પંચ સાંજે કરશે PC