
● અમેરિકામાં ગેરકાયદે ઘૂસેલા ભારતીયોને આમેય દેશ નિકાલ કરી શકાય પણ હાથકડી બાંધી બંધક બનાવી અપમાનિત કરીને અમાનવીય વર્તન કેમ ?ઉઠયા સવાલ
Donald Trump: એક તરફ ટ્રમ્પ ભારત અને નરેન્દ્ર મોદી માટે દોસ્તીની અને મોટી મોટી ડીલની વાતો કરે છે પણ બીજી તરફ ભારતીયોને હાથકડી બાંધીને અપમાનિત કરીને ત્યાંથી હડધૂત કરવામાં આવી રહયા છે.
2025 માં ભારતીય ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને હાથકડી અને સાંકળોમાં બાંધીને અમાનવીય રીતે જે રીતે દેશનિકાલ કરવામાં આવી રહયા છે તે દ્રશ્યો જોઈ વિપક્ષે સંસદમાં આ મુદ્દો જોરદાર રીતે ઉઠાવ્યો હતો.
ભારત સરકાર તેના નાગરિકોના દેશનિકાલ સંબંધિત તમામ બાબતો પર અમેરિકા સાથેના અમાનવીય વ્યવહાર અંગે વાત કરવી જોઈએ, યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદેસર ઇમિગ્રેશન મામલે કડક પગલાં ભરી રહ્યા છે. આ જ કારણ છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર સતત યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરી રહ્યું છે.
2025 માં, ટ્રમ્પ વહીવટીતંત્રે એકલા 3,800 ભારતીયોને દેશનિકાલ કર્યા. એક લેખિત પ્રતિભાવમાં, વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે ડિસેમ્બરના મધ્ય સુધીમાં, યુનાઇટેડ સ્ટેટ્સે 3,414 ભારતીયોને દેશનિકાલ કર્યા હતા,ભારતીયોને અમાનવીય રીતે હાથકડી બાંધીને જે રીતે વ્યવહાર કરાઈ રહ્યો છે તે મુદે ભારે હોબાળો મચ્યો છે, ત્યારે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મેહુલ વ્યાસ અને રાજેશ ઠાકર દ્વારા વિસ્તુત વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જુઓ વિડીયો.
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા








