
Donald Trump: ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાની ગણતરી ખોટી પડી છે અને ધડાધડ મિસાઇલ ઉપર મિસાઇલ છોડતા હવે અમેરિકાના મિસાઇલ ભંડારમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે પરિણામે હવે મોટા યુદ્ધ માટે અમેરિકાની ક્ષમતા પર સવાલો ઉભા થયા છે.
એક અહેવાલમાં જણાવાયું છે કે સાત અઠવાડિયાના યુદ્ધમાં, અમેરિકાએ તેની લગભગ 45% પ્રિસીજન સ્ટ્રાઇક મિસાઇલો, લગભગ અડધા THAAD ઇન્ટરસેપ્ટર અને લગભગ 50% પેટ્રિઅટ એર ડિફેન્સ મિસાઇલોનો ઉપયોગ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આંકડા પેન્ટાગોનના આંતરિક મૂલ્યાંકન સાથે પણ મેળ ખાય છે. અહેવાલમાં જણાવાયું છે કે જોકે, અમેરિકા પાસે હજુ પણ ઇરાન સામે લડવા માટે પૂરતા શસ્ત્રો છે પરંતુ ત્યારબાદ અમેરિકાનો ભંડાર ખાલી થઈ શકે છે અને ત્યારબાદ અમેરિકા પાસે આકસ્મિક યુદ્ધ માટે કોઈ શસ્ત્રો નહિ બચે,જેના કારણે યુદ્ધવિરામ જરૂરી બની રહ્યો છે.
■શસ્ત્રોના ઉત્પાદનમાં વિલંબ
અમેરિકાના સંરક્ષણ ઉત્પાદનની ગતિ એટલી ધીમી છે કે ખાલી થયેલા ભંડારોને ફરીથી ભરવામાં ઓછામાં ઓછો 1 થી 4 વર્ષનો સમય લાગી શકે છે, જેના કારણે ભવિષ્યમાં (જેમ કે ચીન સાથે) સંઘર્ષો થવાનું જોખમ ઊભું થઈ શકે છે.અમેરિકામાં યુદ્ધ વિરોધી માહોલનું વાતાવરણ પણ નિર્માણ થઈ રહ્યું છે અને યુદ્ધ ખર્ચ સતત વધી રહ્યો હતો, જેના કારણે ટ્રમ્પ વહીવટીતંત્ર પર દબાણ આવી રહ્યું હતું.
કહી શકાય કે ટ્રમ્પે આ યુદ્ધવિરામ સમયગાળાનો ઉપયોગ પોતાના શસ્ત્રાગારને ફરીથી ભરવા માટે કર્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો સોદો નિષ્ફળ જાય, તો તેઓ પહેલા કરતાં વધુ આક્રમક રીતે હુમલો કરવા માટે તૈયાર છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે ચીન સામે તેની તૈયારીને મજબૂત બનાવવા માટે શસ્ત્રોનું ઉત્પાદન વધાર્યું છે આ યુદ્ધવિરામ અમેરિકાની લશ્કરી ક્ષમતાને પુનઃસ્થાપિત કરવા માટે એક વ્યૂહાત્મક પગલું માનવામાં આવે છે, જેને ટ્રમ્પ રાજદ્વારી માસ્ટરસ્ટ્રોક તરીકે રજૂ કરી રહ્યા છે.
આ પણ વાંચો:
Japan: જાપાને હવામાંથી ‘એર પેટ્રોલ’ની શોધ કરી લીધી! છતાં આ ડ્રિમ પ્રોજેક્ટ કેમ પડતો મુકયો ? જાણો









