
Narendramodi: છેલ્લા ઘણાજ સમયથી રાહુલ ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઈ ને કોઈ મુદ્દે ઘેરી રહયા છે ત્યારે અમેરિકન સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરીફ રદ કરવાનો ચુકાદો આપ્યા બાદ રાહુલે કહ્યું કે દુનિયાના બાકીના દેશોએ આ ચુકાદો આવ્યા બાદ ડિલ રદ કરી છે પણ નરેન્દ્ર મોદી કઈ બોલતા નથી કારણ કે તે ટ્રમ્પથી ડરે છે.
તેઓએ કહ્યું કે “હું નરેન્દ્ર મોદીને ચેલેન્જ કરું છું કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ રદ કરીને બતાવો. તેઓ આ નહીં કરી શકે, કારણ કે તેમના પર ટ્રમ્પનું દબાણ છે”
રાહુલ ગાંધીએ ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પાછળની સમગ્ર ઈન્સાઈડ સ્ટોરી જણાવી. રાહુલ ગાંધીએ કહ્યું, “પીએમ મોદીના ટ્રમ્પ સમક્ષ શરણાગતિ સ્વીકારવાના બે મુખ્ય કારણો છે. પહેલું, એપસ્ટીનની ફાઈલ ખુલવાનો ડર, અને બીજું, યુએસમાં અદાણી સામે ફોજદારી કેસ.”
આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો અરુણ દીક્ષિત,મયુર જાની અને મેહુલ વ્યાસે વિસ્તુત ચર્ચા કરી હતી જે અત્રે પ્રસ્તુત છે,જુઓ વિડીયો.






