Durga Temple in Bangladesh: બાંગ્લાદેશમાં મંદિર તોડી પડાયું, હિન્દુ સમુદાય વિરોધ કરવા રસ્તા પર ઉતર્યો

  • World
  • June 27, 2025
  • 0 Comments

Durga Temple in Bangladesh: છેલ્લા કેટલાક સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકાર લઘુમતીઓ વિશે સારી વાત કરી રહી છે પરંતુ જમીન પર વાસ્તવિકતા તેનાથી વિપરીત છે. હવે બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક હિન્દુ મંદિર તોડી પાડવામાં આવ્યું છે.

બાંગ્લાદેશમાં મંદિર તોડી પડાયું

સમાચાર એજન્સી ANI દ્વારા જાહેર કરાયેલા એક વીડિયોમાં, એક મહિલા એક ધરાશાયી થયેલા માળખા પાસે રડતી જોવા મળી રહી છે. તે કહે છે, “હું નિશબ્દ છું. હું શું કહું? હું નિશબ્દ છું. મારું શરીર બળી રહ્યું છે અને મારું હૃદય તુટી રહ્યું છે. આપણી પાસે પ્રાર્થના કરવા માટે કોઈ જગ્યા નથી. આ ખૂબ જ મોટું દુઃખ છે. જો હજારો મસ્જિદો હોઈ શકે છે, તો મંદિર કેમ ન હોઈ શકે?”

તે આગળ કહે છે, “હું સરકારને અપીલ કરું છું કે જો કાયમી નહીં તો એક કામચલાઉ મંદિર બનાવવામાં આવે જેથી અમારી પાસે પ્રાર્થના કરવાની જગ્યા હોય. દુર્ગા પૂજા નજીક છે… અમે કેવી રીતે પ્રાર્થના કરીશું? આ અમારી સરકારને વિનંતી છે. અમે તેમને પ્રાર્થના કરવા માટે જગ્યા આપવા વિનંતી કરીએ છીએ…”

હિન્દુ સમુદાય વિરોધ કરવા રસ્તા પર ઉતર્યો

શુક્રવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકાના શાહબાગ ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. ખિલખેતમાં દુર્ગા મંદિર તોડી પાડવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવા માટે તેમણે માનવ સાંકળ બનાવી હતી. બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના કાર્યકારી મહાસચિવ મનિન્દ્ર કુમાર નાથે આ અંગે વધુ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ સનાતની જૂથના લોકો મંદિર તોડી પાડવાના વિરોધમાં અહીં એકઠા થયા હતા. શનિવારે ઢાકા પ્રેસ ક્લબ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર આવા નિંદનીય કૃત્યો કરવાનો આરોપ લગાવ્યો હતો.

કાલે ઢાકા પ્રેસ ક્લબ સામે થશે વિરોધ પ્રદર્શન

મણીન્દ્ર નાથે કહ્યું, ‘ઢાકાના રેલ્વે લાઇન પાસે સરકારી બુલડોઝરનો ઉપયોગ કરીને એક મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. આપણે આવી ક્રૂર ઘટના જોવી પડી. આનાથી આપણી ભાવનાઓને ઠેસ પહોંચી છે. અમે આવા વિનાશક અને હિંસક ધાર્મિક ઉન્માદની સખત નિંદા કરીએ છીએ. આના વિરોધમાં આજે સનાતની સમાજ જાગૃત થયો છે.’ તેમણે કહ્યું કે અમે આવા કૃત્યનો એક થઈને વિરોધ કરી રહ્યા છીએ. કાલે સવારે ઢાકા પ્રેસ ક્લબ સામે વિરોધ પ્રદર્શન થશે. અમે આ કૃત્યની સખત ટીકા કરીએ છીએ. દુર્ભાગ્યવશ, આ સરકાર આવા નિંદનીય કૃત્યો કરી રહી છે અને અમને સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા દેખાતી નથી. તેઓ લાંબા સમયથી આ ઘટનાઓને અફવાઓ કહીને અવગણી રહ્યા છે.

શું છે રેલ્વે અધિકારીઓનો તર્ક?

બાંગ્લાદેશ રેલ્વે અધિકારીઓએ ગુરુવારે ઢાકાના ખિલખેતમાં રેલ્વેની જમીન પર બનેલા દુર્ગા મંદિરને તોડી પાડ્યું, ત્રણ દિવસ પહેલા ટોળાએ તેને દૂર કરવાની માંગ કરી હતી. રેલ્વે અધિકારીઓએ જણાવ્યું હતું કે મંદિર રેલ્વેની જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું અને તેથી તેને તોડી પાડવામાં આવ્યું હતું. અનેક લઘુમતી સંગઠનોએ આ નિર્ણયની નિંદા કરી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે અધિકારીઓએ સમુદાયને કોઈ પૂર્વ સૂચના આપ્યા વિના મંદિર તોડી પાડ્યું હતું. મંદિર સમિતિના સભ્યોએ આરોપ લગાવ્યો છે કે સોમવારે રાત્રે 9 વાગ્યાની આસપાસ લાકડીઓથી સજ્જ 500 થી વધુ લોકોનું ટોળું મંદિરમાં ઘૂસી ગયું હતું જ્યારે ભક્તો પ્રાર્થના કરી રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે રેલ્વે અધિકારીઓએ ફક્ત મંદિર તોડી નાખ્યું હતું જ્યારે અન્ય ગેરકાયદેસર ઇમારતોને કોઈ સ્પર્શ કરવામાં આવ્યો ન હતો.

આ પણ વાંચો:

Punjab માં ગેંગ વોર, ગેંગસ્ટર જગ્ગુની માતા અને ASI ના પુત્રની હત્યા

CM Mohan Yadav: મુખ્યમંત્રી પણ પેટ્રોલ પંપ પર છેતરાયા , 19 ગાડીઓમાં ડીઝલની જગ્યાએ પાણી

Gujarat Weather Update: ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ, આજે આ જિલ્લામાં ભુક્કા કાઢશે

Ahmedabad: રથયાત્રામાં ગજરાજ થયા બેકાબૂ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

Ahmedabad: પ્લેન ક્રેશને પગલે સાદગીથી નિકળનારી રથયાત્રામાં ‘સિંદૂરીયો ઉત્સાહ’!

Ahmedabad: 148મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય શુભારંભ, પહેલીવાર ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઓફ ઓનર

  • Related Posts

    Tarique Rahman India Visit: તારિક રહમાનની ભારત યાત્રા પર અનિશ્ચિતતા, શેખ હસીના પ્રત્યર્પણને લઈને બાંગ્લાદેશે મૂકી શરતો
    • August 17, 2026

    Tarique Rahman India Visit: બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહમાનની ભારતની પ્રથમ દ્વિપક્ષીય યાત્રાને લઈને હજુ અંતિમ નિર્ણય લેવાયો નથી. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે રવિવારે સ્પષ્ટ કર્યું કે યાત્રા માટે “અનુકૂળ વાતાવરણ” જરૂરી…

    Continue reading
    Asif Ali Zardari: ઝરદારીનો મોટો દાવો, પાકિસ્તાનમાં હિન્દુઓ ભારત કરતાં વધુ ખુશ? UN રિપોર્ટમાં સામે આવ્યું અલગ ચિત્ર
    • August 15, 2026

    Asif Ali Zardari: પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની સ્થિતિ અંગે એવું નિવેદન આપ્યું છે, જેને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ નિમિત્તે આયોજિત એક…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

    • August 17, 2026
    • 3 views
    Jharkhand Student Protest: ઝારખંડમાં ભરતી પરીક્ષાનો વિવાદ, 24 દિવસથી વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર

    Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

    • August 17, 2026
    • 5 views
    Arunachal Border Dispute: વંદે માતરમ ગાવાથી, તિરંગા યાત્રા કાઢવાથી, નકલી શૌર્ય બતાવવાથી CHINA ડરી જશે?

    UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

    • August 17, 2026
    • 5 views
    UGC NET Re Exam 2026: પ્રશ્નપત્રમાં ભૂલો, જૂના સવાલોનું પુનરાવર્તન અને હવે રી-એક્ઝામ: NTAની પરીક્ષા વ્યવસ્થા પર સવાલ

    Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

    • August 17, 2026
    • 8 views
    Bankura CJP Attack: બાંકુડામાં CJP કાર્યકરના ઘરે હુમલો, પિતાનું મોત; BJP નેતા સહિત 8ની ધરપકડ

    Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી

    • August 17, 2026
    • 8 views
    Gujarat Liquor Ban: ખાતર માટે લાઈનો અને દારૂની હોમ ડિલિવરી, દાંતામાં ગેનીબેન-અમિત ચાવડાએ સરકારને ઘેરી

    Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું

    • August 17, 2026
    • 9 views
    Bharuch Liquor Seized: ગુજરાતમાં દારૂબંધીનો ઢોંગ? 32.57 લાખનો દારૂ ઝડપાતા ભાજપના નેતાનું નામ સામે આવ્યું