હવે દ્વારકાધીશ અંગે સ્વામી નીલકંઠ ચરણદાસજીની ખોટી ટિપ્પણી, મોગલ ધામના મણિધરબાપુ રોષે ભરાયા | Dwarkadhish

Dwarkadhish: સ્વામી નીલકંઠ ચરણદાસજીની દ્વારકાધીશ અંગેની ટીપ્પણી પર મોઘલ ધામના ગાદીપતિ મણિધરબાપુ રોષે ભરાયા છે. તેમણે સ્વામીને આડે હાથ લીધા છે. મણીધરબાપુએ નીલકંઠ ચરણસ્વામીના નિવેદનને ટાંકીને કહ્યું કે આ એસેમ્બલ કંપની હરામનું ખાય ખાય જેમ ફાવે તેમ બફાટ કરે છે, તેમને પૈસા આપવાનું બંધ કરો.

મણીધરબાપુએ વધુમાં કહ્યું  ‘આ એક બાપુનો અઢારેય વર્ણને આદેશ છે. પોતાની નાની લીટી મોટી કરવા બેઠા છે. હરામનું ખાઇ ખાઇ, પૈસા આપવાનું બંધ કરો. કરોડોનાં મંદિર બાંધી જેમ આવે તેમ બફાટ કરે છે.

શું બોલ્યા હતા નીલકંઠ ચરણ સ્વામી?

નીલકંઠ ચરણ સ્વામીએ એવા સમયે નિવેદન આપ્યુ છ કે એક બાજુ સ્વામિનારાયણના પુસ્તકમાં દ્વારકા અંગે ખોટું લખાણ લખાયું છે. તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફ હવે આ સ્વામીનું નિવેદન આપ્યું છે. જેથી હવે વારંવાર સ્વામીઓ ખોટા નિવેદનો આપવા પેધા પડી ગયા તેમ લાગે છે.

સુરતના વેડરોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી નીલકંઠ ચરણ સ્વામીએ નિવેદન આપ્યું હતું કે “દ્વારકાપતિએ મહારાજને પ્રાર્થના કરી હતી કે જો તમે મોટું ધામ બનાવો, વિશાળ મંદિર બનાવો, તો મારી ઈચ્છા છે કે ત્યાં આવીને હું નિવાસ કરું.” સ્વામીના આ નિવેદનને આહીર સમાજે દ્વારકાધીશ શ્રીકૃષ્ણના અસ્તિત્વ અંગે અનાદરજનક ગણાવી તેની સામે વિરોધપ્રદર્શન કર્યું હતું.

ઉલ્લેખનયી છે કે તાજેતરમાં જ  સ્વામિનારાયણ સંપ્રદાયના ધાર્મિક ગ્રંથમાં ‘દ્વારકામાં ભગવાન ક્યાંથી હશે? ભગવાનનાં દર્શન કરવા હોય તો વડતાલ જાઓ,’ દ્વારકા અંગે આવું વિવાદાસ્પદ લખાણ લખ્યું હતું, જેને કારણે સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ ફેલાયો છે. જેના અનુસંધાનમાં આ નીલકંઠ ચરણ સ્વામીએ નિવેદન આપતાં તેઓ પણ હવે વિવાદની લપેટમાં આવી ગયા છે.

 

આ પણ વાંચોઃ Dwarka: સ્વામીનારાયણના પુસ્તકમાં દ્વારકા અંગે શું લખ્યું કે વિવાદ થયો?

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર મંદિરે જઈ જલારામ બાપાની માફી માગી| Swami Gyanprakash

આ પણ વાંચોઃ કહાનવાડી જમીન કૌભાંડ: ત્યાગ વલ્લભ સ્વામીનું પૂતળું સળગાવાયું, ગ્રામજનો ઉગ્ર |Kahanvadi land Scame

આ પણ વાંચોઃ જ્ઞાનપ્રકાશ સ્વામીનો વધુ એક બફાટ, કહ્યું મહાભારત કોઈ લેખકે લખેલી દંતકથા

 

Related Posts

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ
  • October 27, 2025

Ahmedabad: અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સરકારી વિભાગોમાં નોકરી આપવાના બહાને લોકોને છેતરીને લાખો રૂપિયા પડાવનારી એક મોટી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. આરોપી અભિષેકસિંગ, જે વાસ્તવમાં અમન વર્મા તરીકે…

Continue reading
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’
  • October 27, 2025

Gujarat Cyclone Forecast: ગુજરાતમાં એક વરસાદી માહોલ તો બીજી તરફ હવે ગુજરાતના દરિયાકાંઠાના તટ વિસ્તારમાં ચક્રવાતની શક્યતાને લઈને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવતા તંત્ર સાબદુ બન્યું…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

  • October 27, 2025
  • 3 views
ગોખણપટ્ટીના જમાના ગયા!, CBSE બોર્ડ અભ્યાસની પદ્ધતિ બદલી નાખશે!,  યાદ રાખવાની ઝંઝટ અને પાસ થવાના ટેન્શનમાંથી બાળકોને મળશે મુક્તિ!

Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ, 9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

  • October 27, 2025
  • 11 views
Ahmedabad: સરકારી નોકરીના બહાને છેતરપિંડી કરનારી ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ,  9 લાખથી વધુની ઠગાઈનો પર્દાફાશ

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

  • October 27, 2025
  • 9 views
Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’

LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

  • October 27, 2025
  • 20 views
LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

  • October 27, 2025
  • 15 views
 SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

  • October 27, 2025
  • 3 views
BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’