
Jignesh Mevani: ગુજરાતમાં આ વખતે ભાજપે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની છેડેચોક હત્યા કરી છે તેના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા “લોકશાહી બચાવો” ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં AICC સેક્રેટરી, મધ્ય ગુજરાતના પ્રભારી રામકિશન ઓઝા અને વડોદરાના પ્રભારી બિમલ શાહ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. “ભાજપના નેતાઓ શરમ કરો”, “હિટલરશાહી નહીં ચલેગી” અને “લોકશાહી બચાવો”, વડોદરા બચાવોના નારા લગાવ્યા હતા. પ્રભારી વિમલ શાહે ભાજપ ઉપર પોલીસ અને સરકારી તંત્રનો ઉપયોગ કરીને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યાનો આક્ષેપ કર્યો હતો.
આજ પ્રકારના આક્ષેપ કોંગ્રેસના જીગ્નેશ મેવાણી તેમજ આમ આદમી પાર્ટીના નેતા ઇસુદાન ગઢવીએ ભાજપ ઉપર લગાવ્યા હતા જીગ્નેશ મેવાણીએ ભાજપ પર આક્ષેપ કર્યો છે કે, તેમની વડગામ વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા તેમના ઉમેદવારને 25 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. આ પ્રકારના ગંભીર આક્ષેપો સાથે તેમણે ભાજપ પર “ડર અને દબાણની રાજનીતિ” કરવાનો આરોપ લગાવ્યો છે જીગ્નેશ મેવાણીએ ગુજરાત પોલીસના અધિકારીઓને ભાજપના ઈશારે કામ કરનારા જણાવ્યા તેઓએ ખાલી ભાજપનો ખેસ પહેરવાનો જ બાકી રાખ્યો હોવાનું જણાવી પોલીસ તંત્ર ભાજપના ઈશારે કામ કરતું હોવાનું જણાવ્યું હતું.
સાથેજ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપની બિનહરીફ જીતને “લોકશાહીની હત્યા” ગણાવીને તીખા પ્રહારો કર્યા છે.
તેમણે જણાવ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણી એ જનતાનો અવાજ છે અને બિનહરીફ વરણીની પ્રક્રિયા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ રદ થવા અથવા પરત ખેંચવા પાછળ વહીવટી દબાણ હોઈ શકે છે આ નિવેદન દ્વારા તેમણે પારદર્શક ચૂંટણી પ્રક્રિયાની માંગ કરી હતી અને મતદારોના અધિકારોના રક્ષણ પર ભાર મૂક્યો હતો આમ,ગુજરાતભરમાં ભાજપની આ પ્રકારની પરાણે ખુરશી છીંનવવાની રીતભાત અંગે અનેક સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!










