ગુજરાતમાં પ્રથમ વખત અમિત શાહ વિરૂદ્ધ ઉગ્ર વિરોધ- તડીપાર માફી માંગોના લાગ્યા નારા

  • Gujarat
  • December 21, 2024
  • 0 Comments

દેશભરમાં અમિત શાહનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ પાછળનું કારણ બાબા સાહેબ આંબેડકર વિરૂદ્ધ આપત્તિજનક નિવેદન છે. અમિત શાહ દ્વારા સંસદની અંદર બંધારણ ઉપરની ચર્ચા દરમિયાન જ બંધારણના રચેતા એવા બાબા સાહેબ આંબેડકર અંગે નિવેદન આપવામાં આવ્યું હતુ કે, આજકાલ આંબેડકર… આંબેડકર.. આંબેડકર… આંબેડકર કહેવાની ફેશન થઈ ગઈ છે.. જો આટલી વખત ભગવાનનું નામ લેવામાં આવે તો સાત વખત સ્વગ મળી જાય… હવે આ નિવેદન તેમને કેમ આપ્યું અને તેના પાછળ તેઓ શું કહેવા માંગે છે તેનો કોઈ ખુલાસો કર્યો નહતો.

હવે બન્યું એમ છે કે, અમિત શાહના બાબા સાહેબ આંબેડકર વિશે કરેલા નિવેદન પછી દેશભરમાં તો ઉગ્ર વિરોધ શરૂ થઈ ગયો હતો પરંતુ પ્રથમ વખત ગુજરાતમાં પણ અમિત શાહ વિરૂદ્ધ ઉગ્ર વિરોધ જોવા મળ્યા છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં એકપણ વખત અમિત શાહ વિરૂદ્ધ ક્યારેય વિરોધ પ્રદર્શન થયા નથી. ખાસ કરીને ગુજરાતમાં બીજેપીના નેતાઓ કે તેમની નીતિ વિરૂદ્ધ ક્યારેય વિરોધ પ્રદર્શન ક્યારેય કરવામાં આવતા નથી. માત્ર કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નાનું એવું વિરોધ પ્રદર્શન કરીને ઘરે જતાં રહેતા હતા. પરંતુ આ વખતે ગુજરાતમાં પણ વિવિધ જગ્યાઓ ઉપર અમિત શાહ વિરૂદ્ધ આંદોલન જોવા મળી રહ્યો છે.

મળી રહેલી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાં સ્વયં સૈનિકો દ્વારા ભરૂચ ક્લેકટર કચેરીને અમિત શાહ વિરૂદ્ધ આવેદન પત્ર આપવામાં આવ્યું છે. તે ઉપરાંત મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ અમિત શાહના મુર્દાબાદના નારાઓ લગાવવાની સાથે તેમના પોસ્ટરને ચપ્પલો દ્વારા માર મારીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.

મહિલાઓ સહિત વિરોધ કરનારાઓએ અમિત શાહના પોસ્ટરોને ચપ્પલો મારવામાં આવ્યા હતા. આ દરમિયાન તડીપાર માફી માંગે તેવા સૂત્રોચ્ચાર સાથેના બેનરો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં ક્યારેય પણ અમિત શાહ વિરૂદ્ધ આટલો ઉગ્ર વિરોધ ક્યારેય નોંધાવાવમાં આવ્યો નથી. જેમાં અમિત શાહ વિરૂદ્ધ તડીપાર અંગેના નારા લાગ્યા હોય પરંતુ પ્રથમ વખત અમિત શાહ વિરૂદ્ધ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

  • September 17, 2026
  • 3 views
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 5 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 11 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani