
Honoring Gujarati artists: તાજેતરમાં કેટલાંક ગુજરાતી કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં આવ્યા હતા. જો કે વિક્રમ ઠાકોર કે હિતેનકુમાર જેવા ગુજરાતના સુપર સ્ટારને ન બોલાવાતા વિવાદ થયો હતો. અને ગુજરાત સરકાર ચોરકોરથી ઘેરાઈ હતી. ત્યારે હવે સરકાર વિક્રમ ઠાકોરનું જ નહીં કુલ 300 કલાકોરને સન્માન કરવા તૈયાર થઈ છે. જો કે હવે આ કલાકરોને ભારે વિરોધ બાદ ગુજરાત સરકારે બોલાવ્યા છે. 300 કલાકારોને બોલવામાં આવ્યા છે.
વિક્રમ ઠાકોર અને સમાજના લોકોએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. હિતેનકુમારે પણ સરકારને નહીં પણ વચેટિઓને આડે હાથ લીધા હતા. ત્યારે ભારે વિરોધ બાદ સરકાર લોકકલાના 300 કલાકોરનું 27-28 માર્ચે સન્માન કરવા તૈયાર થઈ છે. જેમાં વિક્રમ ઠાકોર, હિતેન કુમાર સહિત સંગીત જગતના કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યુ છે.
ત્યારે સવાલ એ થાય છે કે શું ગુજરાત સરકાર કલાકારોનું સાચુ સન્માન કરવા જઈ રહી છે? કારણ કે તે તેના પર દબાણ આવ્યા બાદ કલાકોરને આમંત્રણ આપવામાં આવ્યું છે. Grok AI આપેલા જવાબ અનુસાર વિરોધ બાદ આપવામાં આવેલું સન્માન ફક્ત દેખાડો કે દબાણનું પરિણામ હોય શકે છે, તો તે અપમાન ગણાઈ શકે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા વિરોધને શાંત કરવા માટે મજબૂરીમાં સન્માન આપે, પરંતુ તેમના મનમાં સાચી લાગણી ન હોય, તો તે ખોટું અને અર્થહીન છે.
એવું પણ બની શકે કે વિરોધ કરનારને લાગે કે આ સન્માન તેમના સંઘર્ષને ઓછું કરે છે, જેમ કે “હવે જ્યારે અમે લડ્યા, ત્યારે આપ્યું, પહેલાં શું હતું?” આવી લાગણીથી સન્માન અપમાનમાં બદલાઈ જાય. ત્યારે હવે શું ગુજરાત સરકાર કલાકારોનું સાચુ સન્માન કરવા જઈ રહી છે. કે પછી રોષે ભરાયેલા લોકો અને કલાકોરને ડામવાનો પ્રયાસ કરી છે. જો કે અત્યાર સુધી કોઈ 300 કલાકરોને આમંત્રણ આપ્યા બાદ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જેથી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ CBI Raid: ED પછી CBIના ભૂપેશ બઘેલના ઘરે દરોડા, સમર્થકો ગુસ્સે, કાર્યવાહી વિરુદ્ધ સૂત્રોચ્ચાર
આ પણ વાંચોઃ Panchmahal: જંગલમાંથી 30 વર્ષિય મહિલાનો મૃતદેહ મળ્યો, લાશ પાસે ફુલ અને શ્રીફળ
આ પણ વાંચોઃ અમદાવાદ પોલીસની કારને હરિયાણામાં અકસ્માત, 3 પોલીસકર્મીના મોત | Ahmedabad Police car Accident
આ પણ વાંચોઃ કોમેડિયન કુણાલ કામરાના ગીત પર મહારાષ્ટ્ર સરકારની તાનાશાહી, એક ગીત સહન ન કરી શકી | Kunal Kamra