
GST: દેશમાં અમૃતકાળ ચાલી રહ્યો છે અને તેમાંય ઉત્તર પ્રદેશમાં યોગી અદિત્યનાથ અને શંકરાચાર્યના વિવાદમાં અધિકારીઓ દ્વારા રાજીનામાનો દોર ચાલુ થયો છે તો વળી ક્યાંક મફતનું ખાવા લોકોની લાંબી લાઈનો લાગી રહી છે ભાઈ ગજબનો સીન ક્રિએટ થઈ રહ્યો છે.
યુપીમાં બરેલી સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ પ્રયાગરાજમાં માઘ મેળામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના ધરણા વિરોધ અને યુજીસીના નિયમોને કારણે રાજીનામું આપ્યું એ ખૂબજ ચર્ચામાં રહ્યું હવે, વધુ એક અધિકારી જીએસટી વિભાગના ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે યોગી અદિત્યનાથ અને નરેન્દ્રભાઈ મોદીના સમર્થનમાં કેમેરા સામે રડતા રડતા મીડિયા સમક્ષ રાજીનામું આપ્યું છે.
જીએસટી વિભાગના ડેપ્યુટી કમિશનર પ્રશાંત કુમાર સિંહે પોતાનું બે પાનાનું રાજીનામું રાજ્યપાલને મોકલી આપ્યું છે જેમાં તેઓ પોતાના નિવેદનમાં જણાવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું થયેલું અપમાન તેઓ સહન કરી શકતા નથી કારણકે તેઓએ તેમનું નમક ખાધુ છે તેથી મોદીજી અને યોગીજીના સમર્થનમાં આ પગલું લઈ રહ્યા છે જોકે,યુઝર્સ કોમેન્ટ કરી રહયા છે કે તમે જે નમક ખાવાની વાત કરી રહયા છો તે નમક જનતાનું છે નહીં કે કોઈ નેતાનું.
નેતા પ્રજાના મતથી ચૂંટાય છે અને પાંચ વર્ષ પૂર્ણ થતાં તે સત્તામાં રહેતા નથી ત્યારે યુપીમાં સર્જાયેલો નાટકીય ઘટનાક્રમ ભારે ચર્ચામાં આવ્યો છે.
મુંબઈમાં શિલ્પા શેટ્ટીના રેસ્ટોરન્ટ દ્વારા પ્રજાસત્તાક પર્વ 26મી જાન્યુઆરીના દિવસે મફતમાં નાસ્તો આપવાની જાહેરાત થતાં લોકો મફતમાં ખાવા મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને લાઈનો લગાવી દીધી હતી આ બધા દ્રશ્યો આપણા ભારતમાં જોવા મળી રહયા છે કારણકે વિકાસની હરણફાળનો અમૃતકાળ શરૂ થઈ ગયો છે આ વિડિયો આપને કેવો લાગ્યો એ વિશેનો આપનો અભિપ્રાય જરુર જણાવશો.
પ્રસ્તુત છે વિડીયો
આ પણ વાંચો:
Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા









