
Congress changes president: કોંગ્રેસ હવે ગુજરાતમાં આવનારી 2027મા આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ તૈયારીઓ આદરી દીધી છે. કોંગ્રેસે જૂના પ્રમુખોને બદલી નવા નિમ્યા છે. ગુજરાત કોંગ્રેસે સંગઠન સૃજન અભિયાન હેઠળ રાજ્યના 40 શહેર અને જિલ્લા પ્રમુખોની નિમણૂકની જાહેરાત કરી છે. આ યાદીમાં 10 પૂર્વ ધારાસભ્યો અને એક પૂર્વ સાંસદનો સમાવેશ થાય છે, જેમાં અમદાવાદ શહેરની કમાન સોનલબેન પટેલને સોંપવામાં આવી છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ તરીકે પાલ આંબલિયાની વરણી થઈ છે.

કોંગ્રેસે 31 મે સુધીમાં સંગઠનની રચના પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ 20 દિવસના વિલંબ બાદ આ નિમણૂકો જાહેર કરવામાં આવી છે. રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન રાહુલ ગાંધીએ જરૂર પડે કેટલાક નેતાઓને ઘરભેગા કરવાની અને સારું કામ કરનાર નેતાઓને રિપિટ કરવાની વાત કરી હતી. આ યાદીમાં ઋત્વિક જોશી (વડોદરા શહેર), જશપાલસિંહ પઢીયાર (વડોદરા જિલ્લો), નૌશાદ સોલંકી (સુરેન્દ્રનગર), પ્રતાપ દુધાત (અમરેલી), અને રાજેન્દ્રસિંહ રાણા (ભરૂચ શહેર) જેવા કેટલાક નેતાઓને રિપિટ કરવામાં આવ્યા છે.
ગુજરાત કોંગ્રેસના શહેર-જિલ્લા પ્રમુખોની યાદી
- અમદાવાદ શહેર:
- અમદાવાદ જિલ્લો: રાજેશ ગોહિલ
- અમરેલી: પ્રતાપ દુધાત
- આણંદ: અલ્પેશ પઢીયાર
- અરવલ્લી: અરણું પટેલ
- બનાસકાંઠા: ગુલાબસિંહ રાજપુત
- ભરૂચ: રાજેન્દ્રસિંહ રાણા
- ભાવનગર જિલ્લો: પ્રવીણ રાઠોડ
- ભાવનગર શહેર: મનોહરસિંહ
- બોટાદ: હિંમત કટારીયા
- છોટાઉદેપુર: શશીકાંત રાઠવા
- દાહોદ: હર્ષદ નિનામાં
- ડાંગ: સ્નેહીલ ઠાકરે
- દેવભૂમિ દ્વારકા: પાલ આંબલિયા
- ગાંધીનગર જિલ્લો: અરવિંદસિંહ સોલંકી
- ગાંધીનગર શહેર: શક્તિ પટેલ
- ગીર સોમનાથ: પૂંજા વંશ
- જામનગર શહેર: વીરેન્દ્રસિંહ જાડેજા
- જામનગર જિલ્લો: મનોજ કથીરિયા
- જુનાગઢ શહેર: મનોજ જોશી
- ખેડા: કાળુસિંહ ડાભી
- કચ્છ: વી. કે. હુંબલ
- મહીસાગર: હર્ષદ પટેલ
- મહેસાણા: બળદેવજી ઠાકોર
- મોરબી: કિશોર ચીખલીયા
- નર્મદા: રણજિતસિંહ તડવી
- નવસારી: શૈલેશ પટેલ
- પંચમહાલ: ચેતનસિંહ પરમાર
- પાટણ: ઘેમર પટેલ
- પોરબંદર: રામ મારૂ
- રાજકોટ શહેર: ડૉ. રાજદીપસિંહ જાડેજા
- રાજકોટ જિલ્લો: હિતેશ વોરા
- સાબરકાંઠા: રામ સોલંકી
- સુરત જિલ્લો: આનંદ ચૌધરી
- સુરત શહેર: વિપુલ ઉધનાવાલા
- સુરેન્દ્રનગર: નૌશાદ સોલંકી
- તાપી: વૈભવ ગામીત
- વડોદરા જિલ્લો: જશપાલસિંહ પઢીયાર
- વડોદરા શહેર: ઋત્વિક જોશી
- વલસાડ: કિશન પટેલ
આ નિમણૂકો 12 એપ્રિલ, 2025થી શરૂ થયેલા સંગઠન સૃજન અભિયાનના ભાગરૂપે કરવામાં આવી છે, જેમાં 43 AICC અને 183 PCC નિરીક્ષકોએ રાજ્યના 26 લોકસભા અને 182 વિધાનસભા ક્ષેત્રોની મુલાકાત લઈને નેતાઓની પસંદગી કરી હતી. આ પ્રક્રિયાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ નજીકથી નિરીક્ષણ કર્યું હતું.
આ નવી નિમણૂકો ગુજરાતમાં કોંગ્રેસને 2027ની વિધાનસભા ચૂંટણી માટે મજબૂત કરવાના પ્રયાસનો ભાગ છે, જેમાં પક્ષ ભાજપને પડકાર આપવા અને જનતાનો વિશ્વાસ જીતવા માટે પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો:
Gram Panchayat Election: મોડાસા અને ગોધરમાં સરપંચ ઉમેદવારો પર હુમલા, ભાવનગરમાં બોગસ મતદાનનો દાવો
Gram Panchayat Elections: કડી-વિસાવદર મતવિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી મોકૂફ, જાણો શું છે કારણ
Iran Reaction on US Attack: અમેરિકાના હુમલા પછી ઈરાનની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
Rain Update: ગુજરાતમાં મેઘરાજાનો મહાકહેર: સાબરકાંઠામાં જળબંબાકાર, 25 જૂન સુધી ભારે વરસાદનું એલર્ટ
Iran-Israel War: ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાનો મોટો હુમલો
મોટો ખુલાસો: પાકિસ્તાને ઈરાન સામે લડવા અમેરિકાને પોતાનું એરબેઝ આપી દીધુ! | Pakistan-Iran
ભારતે કોની મિત્રતા રાખવી જોઈએ? ઈરાન કે ઈઝરાયલ? | Iran Israel War
યશસ્વી અને ગિલ પછી પંતે સદી ફટકારી, શું ભારત ઇંગ્લેન્ડમાંસર્વોચ્ચ સ્કોર બનાવશે? | Cricket









