OIC એ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર!, કહ્યું”જમ્મુ-કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબ્જો!”

  • World
  • October 29, 2025
  • 0 Comments

ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન (OIC) એ પાકિસ્તાનની ભાષા બોલવાનું શરૂ કરી દીધું છે,તેણે ભારતના અભિન્ન અંગ જમ્મુ અને કાશ્મીર મામલે ઝેર ઓક્યું છે અને વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. OIC ના જનરલ સેક્રેટરીએટલે કહ્યું છે કે ભારત કાશ્મીર પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે.

આ પહેલા પણ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ કાશ્મીર વિશે ખુલ્લેઆમ જુઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો જેને OIC સમર્થન કરતું હોય તે રીતે વ્યવહાર કરી રહ્યું છે.

ANIના અહેવાલ મુજબ, OIC એ એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે ભારત જમ્મુ અને કાશ્મીર પર ગેરકાયદેસર રીતે કબજો કરી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “27 ઓક્ટોબર, 2025 એ જમ્મુ અને કાશ્મીર પર ભારતના કબજાના 78 વર્ષ પૂરા થાય છે,આ અવસર પર ઇસ્લામિક સહકાર સંગઠન જમ્મુ અને કાશ્મીરના લોકોના સ્વ-નિર્ણયના અધિકારનો પુનરોચ્ચાર કરે છે અને ભારતને જમ્મુ અને કાશ્મીરના લોકોના મૂળભૂત માનવ અધિકારોનું સન્માન કરવા વિનંતી પણ કરે છે.”

યુએનના ઠરાવોનો ઉલ્લેખ કરીને, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કન્ટ્રીઝ (OIS) એ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, “જનરલ સેક્રેટરીએટ એ વાત પર પણ ભાર મૂકે છે કે જમ્મુ અને કાશ્મીર અંગેના વિવાદનો ઉકેલ યુએન સુરક્ષા પરિષદના ઠરાવો અનુસાર થવો જોઈએ.”

OIC પાકિસ્તાનમાં હિંસા પર મૌન  

OIC વારંવાર તેના બેવડા ધોરણો દર્શાવે છે. તે ભારત વિરુદ્ધ બોલે છે, પરંતુ પાકિસ્તાનમાં હિંસા પર મૌન રહે છે. તેણે કાબુલમાં પાકિસ્તાની હુમલા અને બલૂચ લોકોના ગુમ થવા જેવા મુદ્દાઓ પર કોઈ નિવેદન બહાર પાડ્યું નથી તે પાકિસ્તાનમાં લઘુમતીઓ સામેની દૈનિક હિંસા પર પણ મૌન રહે છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે 27 ઓક્ટોબરનો ઉલ્લેખ કરીને દાવો કર્યો હતો કે ભારતે કાશ્મીર પર કબજો કરી લીધો છે, પરંતુ X એ તેમના જુઠાણાનો પર્દાફાશ કર્યો. તેમણે હકીકતોની તપાસ કરી અને જાહેર કર્યું કે જમ્મુ અને કાશ્મીરના રાજા હરિ સિંહે ભારતમાં જોડાવા માટે વ્યક્તિગત રીતે સંમતિ આપી હતી. તેમણે કરાર પર હસ્તાક્ષર કર્યા પછી જ ભારતે પોતાના સૈનિકો તૈનાત કર્યા હતા.

આ પણ વાંચો:

Delhi Air Pollution: દિલ્હી હવે રહેવા લાયક ન રહ્યું!, કૃત્રિમ વરસાદના પરીક્ષણો પણ નિષ્ફળ, AQI સ્તર 300 પાર

kidnapped: ઈરાનમાં અપહરણ કરાયેલા 4 ગુજરાતીઓ ભારત પરત પહોંચ્યા

Montha Cyclone: આંધ્રપ્રદેશમાં આજે ‘મોન્થા’ વાવાઝોડું 100 કિમી ઝડપે લેન્ડફોલ થશે, હાઈ એલર્ટ અપાયું, તંત્ર સ્ટેન્ડબાય

 

 

Gujarat Cyclone Forecast: ગુજરાત પર ચક્રવાતી સંકટને લઈ ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા અપાયું ‘રેડ એલર્ટ’


Related Posts

USCIRF India Report: અમેરિકી આયોગ USCIRF એ ફરી ભારતને ‘વિશેષ ચિંતાનો દેશ’ જાહેર કરવાની માંગ કરી, ધાર્મિક સ્વતંત્રતા મુદ્દે લગાવ્યા ગંભીર આરોપો
  • May 9, 2026

USCIRF India Report: તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પરના અમેરિકી આયોગ (USCIRF) એ વોશિંગ્ટનમાં એક સુનાવણી યોજીને અમેરિકી વિદેશ વિભાગને ફરી એકવાર ભારતને ‘કન્ટ્રી ઓફ પર્ટીક્યુલર કન્સર્ન’ (CPC) એટલે કે ‘વિશેષ…

Continue reading
S Jaishankar: સુરીનામથી એસ. જયશંકરની વૈશ્વિક ચેતવણી, કહ્યું- દુનિયા હવે સંસાધનોને હથિયારની જેમ વાપરી રહી છે
  • May 8, 2026

S Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં સુરીનામની મુલાકાતે છે, જ્યાં તેમણે બદલાતી વૈશ્વિક વ્યવસ્થા અને મોટા દેશોની સ્વાર્થી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. પારામારીબોમાં ભારતીય સમુદાય અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

  • May 9, 2026
  • 3 views
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન

Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

  • May 9, 2026
  • 4 views
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના

Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

  • May 9, 2026
  • 9 views
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!

Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

  • May 9, 2026
  • 9 views
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

  • May 9, 2026
  • 7 views
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?

Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન

  • May 9, 2026
  • 5 views
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન