11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભાગની વેબસાઈટ અપડેટ થઈ નથી!, નેતાઓની માહિતી અપડેટ | Gujarat Education

મહેશ ઓડ

Gujarat Education Website:  ‘શિક્ષણ વિભાગમાં મને કંઈ ખબર પડતી નથી, ક્યાકથી શું આવીને ઉભુ થઈ જાય. રોજ ચાલુ ને ચાલુ, TET અને TAT. ભરતીઓ ચાલુ છે તો પણ. સરકારી નોકરી, સરકારી નોકરી, તમે તમારા ભાઈઓની નોકરી ઘટાડી રહ્યા છો, સરકારી શાળામાં લોકોનો ક્રેસ ઘટતો જાય છે, તો સરકારી શાળામાં શિક્ષકોની ભરતી કેવી રીતે કરીએ. કામ એવું કરો કે સરકારી શાળામાં વિદ્યાર્થીઓ વધુને વધુ આવે. તો નોકરી મળશે. સરકારી નોકરી થઈ થઈને કેટલી થવાની!.. આ શબ્દો છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના.

આજે ઉચ્ચ ડિગ્રીઓ મેળવી યુવાનો શિક્ષકની નોકરી માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે ભૂપેન્દ્ર પટેલનું આ નિવેદન શિક્ષક બનવા માગતાં યુવાનો માટે ખતરારુપ છે. કારણ કે ભૂપેન્દ્ર પટેલના વાત પરથી લાગે છે કે હવે સરકારમાં શિક્ષકો માટે નોકરી રહી નથી. સરકારમાં પણ શિક્ષકોને નોકરી આપે તેવી તાકાત રહી નથી. ભાજપા માત્ર ભરતીની જાહેરાતો કરી દે છે અને પછી ટૂંક સમયમાં ભરતી કરવામાં આવશે, તેવા સતત નિવેદનો વાગોળ્યા કરે છે. આ ટૂંક સમયની આશા યુવાનો બેકાર બનાવી રહી છે. પોતાની વેબસાઈટને અભણ રાખતી આ ભાજપા સરકાર બાળકોને શું ભણાવશે!

2014થી વેબસાઈટ અપડેટમાં આંકડા અપડેટ થયા નથી

ગુજરાતની ભાજપા સરકાર શિક્ષણ વિભાગની વેબસાઈટ અપડેટ ન કરી શકતી હોય તો તે નોકરી શું આપવાની?. છેલ્લા 11 વર્ષથી ગુજરાત શિક્ષણ વિભાગની વેબસાઈટમાં પ્રવેશ ઉત્સવના આંકડા, કેટલા વિદ્યાર્થીઓએ અભ્યાસ છોડ્યો, તેમાં છોકરી અને છોકરાઓનું કેટલું પ્રમાણ છે. આ સહિતની માહિતી વર્ષ 2014થી અપડેટ કરાઈ નથી. જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી રુષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનસેરિયાની અને વહીવટી અધિકારીની માહિતી અપટેડ કરાઈ છે. મતલબ શિક્ષણની આંકડાકીય માહિતી અપડેટ થતી નથી. મુખ્યમંત્રી, આરોગ્યમંત્રી જેવા નેતાઓની ફટાફટ માહિતી અપડેટ થઈ જાય છે. સરકાર જેટલી પોતાની માહિતી અપડેટ કરે છે તેટલી ઝડપે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે નિર્ણય ન લઈ શકે. સરકાર પોતાનું બધી જ માહિતી અપડેટ કરતી હોય તો વિદ્યાર્થીના પ્રવેશના આંકડા કેમ અપડેટ કરતી નથી. શું સરકાર કંઈ છૂપાવવા માગે છે?

1998-99 થી સમગ્ર ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્‍સવનો કાર્યક્રમ અમલમાં મુકાયો હતો. ત્યારથી વર્ષ 2014 સુધીની માહિતી વેબસાઈટમાં ઉપલબ્ધ છે. પણ ભાજપાની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી ગુજરાત શિક્ષણ વિભાગની વેબસાઈટ અપડેટ કરવામાં આવી નથી. તો કેમ કરવામાં આવી નથી તેવા સવાલો થઈ રહ્યા છે. પોતાની માહિતી અપડેટ થઈ જાય છે. તો વિદ્યાર્થીઓના હિતની કેમ નહીં?

તેમાં પણ પ્રવેશોત્સવ દરમિયાન ધોરણ-1માં દાખલ થયેલા વિધ્યાર્થીઓની સંખ્યાના આંકડા 2003-2004થી 2012-2013ના જ આકડાં છે. મતલબ આ માહિતી 12 વર્ષથી થવા આવ્યા પણ અપડેટ થઈ નથી.

ભૂપેન્દ્ર પટેલ સરકાર શિક્ષકોને બાળકો એકત્રિત કરવાના ધંધે લગાડે છે. એવું કહીને કે વિદ્યાર્થી હશે તો નોકરી હશે. જો કે હકીકત એ છે કે સરકારી શાળામાં શિક્ષણ સારુ નથી. શિક્ષકો નથી. તો પછી વાલીઓ પોતાના બાળકો કેમ સરકારી શાળામાં ભણવાવે. પહેલા પોતે સરકારે શિક્ષણમાં સુધારો કરવો પડશે. તો વાલીઓ આપો આપ પોતાના સંતાનોને  સરકારી શાળાઓમાં ભણાવશે. તો વિદ્યાર્થીઓઓને અગાઉથી એકત્રિત કરવાની નોબત પણ નહીં આવે.

2,462 શાળાઓ ફક્ત 1 જ શિક્ષક

ગુજરાતમાં 2,462 પ્રાથમિક શાળાઓ ફક્ત એક જ શિક્ષકથી ચાલે છે, જે 87,000થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. ત્યારે માત્ર એક શિક્ષક બાળકોને કેવી રીતે ભણાવી શકે. એક શિક્ષક દ્વારા બહુવિધ ધોરણો ભણાવવાથી શિક્ષણની ગુણવત્તા ઘટે છે. હજારોની સંખ્યામાં એક શિક્ષકથી ચાલે તે મુખ્યમંત્રીને દેખાતું નથી અને દોષનો ટોપલો શિક્ષકો પર ઢોળે છે. અને કહે છે રોજ ચાલુ ને ચાલુ, TET અને TAT. તો ઉમેદવારો સરકાર નિષ્કાળજી દાખવે તો સામે પડવાના જ છે.

આ પણ વાંચો:

કથાકાર મોરારીબાપુના પત્નીનું અવસાન, સમાધિ અપાઈ | Morari Bapu wife passes away

Delhi: 9 વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનાર પાડોશી પકડાયો, પોલીસને બ્લેડ મારી

Sabarkantha Accident: પ્રાંતિજ હાઈવે પર ઇકો કારનું ટાયર ફાટતાં ગંભીર અકસ્માત, એક્ટિવા અને બાઈકના ભુક્કા

Austria School Firing: ઑસ્ટ્રિયાની શાળામાં વિદ્યાર્થીએ ગોળીબાર કર્યો, સુરક્ષકર્મીઓ દોડતા થયા!

Visavadar: પેરિસ જેવા રોડ, રામરાજ્યનું વચન… કિરીટ પટેલને કેમ આવા ગપગોળા ફેંકવા પડ્યાં?

Gujarat: કાયદો બન્યાને 25 વર્ષ થયા પણ દેશના માલિક હજી જમીનના માલિક ન બન્યા…

Rajasthan: નદીના ઊંડા પાણીમાં ન્હાવા પડવું મોંઘુ પડ્યુ, અકાળે 8 લોકોના જીવ ગયા

દ્વારકામાં TATA નો પ્રદૂષણ આતંક: સિમેન્ટના કણોએ જીવન બરબાદ કર્યું, સરકાર ચૂપ

 

Related Posts

Ahmedabad Plane Crash: અમદાવાદમાં પ્લેન ક્રેશની આ બીજી ઘટના, 1988માં થયા હતા આટલા મોત!
  • June 13, 2025

દિલીપ પટેલ અમદાવાદ, 13 જૂન 2025 Ahmedabad plane crash second incident: ભારતની આઝાદી બાદ 2020 સુધીમાં વિમાન અકસ્માતમાં 2173 શ્રીમંત મુસાફરોના મોત થયા, જેમાં અમદાવાદમાં 133 મોત આ રીતે થયા…

Continue reading
શું મોદી મેડિકલ માફિયાઓના શરણે કામ કરી રહ્યાં છે? | medical education system corruption
  • June 12, 2025

medical education system corruption : નેતાઓ પ્રજાને ખોટા વચનો આપીને મુર્ખ બનાવે છે. તેમને એવું લાગે છે કે, અત્યારે મોટા મોટા વચનો આપી દીઈએ પછી કોને કામ કરવું છે પ્રજાને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

  • June 15, 2025
  • 16 views
Pune Bridge Collapsed: નદીના તીવ્ર પ્રવાહમાં લોકો તણાઈ ગયા, બચાવકાર્યમાં મુશ્કેલી, પુલ પર 100 લોકો હતા

Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

  • June 15, 2025
  • 17 views
Ahmedabad plane crash: દુર્ઘટનાને અંધશ્રદ્ધામાં ખપાવવાનું કાવતરું કોનું?

Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

  • June 15, 2025
  • 22 views
Adani’s Haifa port attack: ઈરાનનના નિશાને ઈઝરાયલની તેલ રિફાયનરીઓ, અદાણી મુશ્કેલીમાં, જાણો કારણ!

Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

  • June 15, 2025
  • 12 views
Pratapgarh Couple Missing: હનીમૂન માટે સિક્કિમ ગયેલું કપલ 15 થી ગુમ, શોધવા ગયેલો પરિવાર નિરાશ

Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

  • June 15, 2025
  • 31 views
Ahmedabad Plane Crash: તુર્કીએ કહ્યું વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપનીએ કર્યું તે અમે જાણીએ છીએ પણ….

Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ

  • June 15, 2025
  • 18 views
Pune Bridge Collapsed: પુણેમાં નદી પરનો પુલ તૂટી પડ્યો, 10 થી 15 લોકો તણાયા, બચાવ કામગીરી ચાલુ