Gujarat: આખરે સરકાર ઝૂકી!, રેશન સંચાલકોનું ચોથા દિવસે આંદોલન સમેટાયુ!, ગરીબોને હવે અનાજ મળશે!

  • Gujarat
  • November 5, 2025
  • 0 Comments

Gujarat News: આખરે ગુજરાતમાં વ્યાજબી ભાવના દુકાનદારો દ્વારા પોતાની 20 માંગણીઓ માટે સરકાર સામે ચાલતા આંદોલનનો અંત આવ્યો છે, સરકારે નમતુ જોખતા ચોથા દિવસે અચોક્કસ મુદતની હડતાળ સમેટાઈ ગઈ છે.

રેશન સંચાલકો વતી ફેર પ્રાઈઝ એસોસિએશને કેબિનેટ મંત્રી સાથે જ મંત્રણા કરવાનો આગ્રહ રાખ્યો હતો જે પૂર્ણ કરાયો હતો અને અન્ન પુરવઠા વિભાગે દુકાનદારોની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેતાં મામલો થાળે પડતા હવે આવતીકાલથી ગુજરાતમાં વાજબી ભાવની દુકાનોમાં રાબેતા મુજબ અનાજ વિતરણ શરૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કમિશનમાં વધારો, ૨૫ ટકા સુધી જથ્થાની ફાળવણી,પરિપત્રમાં સુધારા સહિત વિવિધ ૨૦ પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતા રેશન ડિલરોએ આંદોલનનું શસ્ત્ર ઉગામતા છેલ્લા ચાર દિવસથી રાજ્યમાં ખાસ કરીને ગરીબ-મધ્યમ વર્ગના કાર્ડધારકો ખાંડ-અનાજથી વંચિત રહ્યા હતા. ત્રણ ત્રણ વખત મંત્રણા કર્યા પછી પણ રેશન ડિલરો પોતાની માંગ ઉપર અડગ રહયા હતા.

એક સમયે અન્ન પુરવઠા વિભાગના અધિકારીએ દુકાનદારોને જૂના પડતર કેસ ખોલવાની ધમકી આપતા વિવાદ વધુ વકર્યો હતો ઉપરથી સરકારે અનાજ વિતરણથી અળગા રહેલાં દુકાનદારો વિરુધ્ધ કાર્યવાહી કરવા ચિમકી પણ ઉચ્ચારી હતી. આમ છતાં રેશન ડિલરોએ એકસંપ થઈ અનાજનો જથ્થો ઉપાડવા ચલણ ભર્યુ ન હતું પરિણામે આંદોલન વધુ આગળ વધ્યુ હતુ,પરિણામે સરકારે નમતું જોખી રેશન ડિલરોની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લેતા મામલો થાળે પડ્યો છે અને આંદોલન સમેટાઈ ગયું છે.

હવેથી દુકાનદારોને રૂ. 20 હજાર ના બદલે રૂ. 30 હજાર કમિશન મળશે ઉપરાંત બોરી દીઠ રૂ. 1.50ને બદલે રૂ. 3 કમિશન ચૂકવવામાં આવશે. તકેદારી સમિતીની હાજરીમાં દુકાન પર અનાજનો જથ્થો ઉતારવાનો પરિપત્ર અન્ન પુરવઠા વિભાગે દુકાનદારોની જીદને પગલે રદ કરવો પડ્યો છે.

હવે માત્ર બે સભ્યોની હાજરીમાં અનાજનો જથ્થો ઉતારવામાં આવશે. છેલ્લાં ઘણાં વખતથી સર્વરના ધાંધિયા ચાલી રહ્યાં છે તેના પણ ટેકનીકલ ઉકેલને લઈને ચર્ચા કરાઈ હતી. અન્ય માંગણીઓને પણ સરકાર હકારાત્મક રીતે ઉકેલ લાવવા ખાતરી આપી છે.

આમ, રેશન ડીલરોનું આંદોલન સમેટાતા રાજ્યના લાખો ગરીબ પરિવારોને હવે કાલથી અનાજનો જથ્થો નિયમિત રીતે મળતો થશે.

આ પણ વાંચો:

Gujarat News | PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ ભાજપ સરકાર સામે બાયો ચડાવી! રેશન ડીલરોને કહ્યું”ઢીલા ન પડતા હો!અડીખમ રેજો!” આજથી હડતાળ શરૂ!

Dev Deepavali: આજે દેવ દિવાળી, જાણો દિવાળી-દેવ દિવાળી વચ્ચેનો તફાવત?

Chhattisgarh: બિલાસપુરમાં બે ટ્રેન સામસામે અથડાઈ, મેમુના ડબ્બા માલગાડી પર ચઢી ગયા, 5થી વધુ લોકોના મોતની આશંકા

Bihar: સીતામઢીના ભાજપ ઉમેદવાર સુનીલ કુમારનો અશ્લીલતા કરતો વીડિયો વાયરલ!, પછી શું કર્યો ખૂલાસો?

Related Posts

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!
  • June 19, 2026

Jamnagar Water Crisis: જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘સ્માર્ટ સિટી’ અને વિકાસના ગમે તેટલા ભપકાદાર દાવા કરવામાં આવતા હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જામનગરના વોર્ડ નંબર-૧માં આવેલો બેડી વિસ્તાર,…

Continue reading
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?
  • June 18, 2026

Ram Mandir Gujarat Contribution: ૧૯૮૪માં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શરૂ થયેલું રામજન્મભૂમિ મુક્તિ અભિયાન માત્ર એક રાજકીય આંદોલન નહોતું, પરંતુ તે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું. ગુજરાતના અમદાવાદ,…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

  • June 19, 2026
  • 2 views
Jamnagar Water Crisis: સ્માર્ટ સિટીના પોકળ દાવા, જામનગરના વોર્ડ નંબર-૧માં પાણી માટે વલખાં મારતા લાચાર લોકો!

Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

  • June 18, 2026
  • 6 views
Ram Mandir Gujarat Contribution: રામ મંદિરના ગુજરાતના અબજો રૂપિયા, મંદિર માટે ૨૦૦ કરોડનું સોનું સુરતનું, ગુજરાતનો ખજાનો સલામત કે ગુમ?

Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

  • June 18, 2026
  • 5 views
Nepal-China relations impact: નેપાળ-ચીન સંબંધોમાં નવી દિશા, ભારત માટે પડકાર કે પ્રાદેશિક સહકારની નવી તક?

Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

  • June 18, 2026
  • 10 views
Freedom of Religion: શું આધુનિક ભારતમાં પોતાની પસંદગીનો ધર્મ અને આરાધ્ય પસંદ કરવાની આઝાદી બચી છે?

Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

  • June 18, 2026
  • 12 views
Odisha Textbook Errors: ઓડિશાના નવા પાઠ્યપુસ્તકોમાં 1,678 ભૂલો, શિક્ષકો-વાલીઓમાં રોષ

Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ

  • June 18, 2026
  • 9 views
Priyank Kharge RSS: RSSની પારદર્શિતા મુદ્દે પ્રિયંક ખડગેનો સવાલ, પ્રતિબંધ નહીં પરંતુ કાનૂની જવાબદારીની માંગ