
Gujarat Government, Property seizure: ગુજરાતમાં વ્યાજખોરીના કારણે અનેક પરિવારોના માળા વિખેરાયા છે. વ્યાજના ખપ્પરમાં આવી કેટલાંય લોકોએ આપઘાત કરી લીધો છે. ત્યારે મોડે મોડેથી જાગેલી સરકારે વ્યાજખોરો સામે ગાળિયો કસ્યો છે. હવે સરકાર વ્યાજખોરોની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી કરશે.
સુરતમાં ડુમસ વિસ્તારમાં નવા રોડના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીધામ પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ કરેલી કાર્યવાહીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ગુજરાત તો બરાબર પણ દેશના ઈતિહાસમાં પહેલીવાર એવું થયું હશે કે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો દાખલ થાય, ગુના પછી ગુજસીટોક કરવામાં આવે, સાથે સાથે વ્યાજથી બનાવેલી પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે અને આ જપ્ત કરાયેલી પ્રોપર્ટીની આવનારા દિવસોમાં હરાજી બોલાવીને રાજ્યના નાગરિકોના હિતમાં એ રૂપિયા વપરાય એ માટેની વ્યવસ્થા કરવામાં આવે.
ગુજરાતમાં કચ્છ જિલ્લાના અંજાર શહેરમાં વ્યાજખોરીની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા અંજાર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કાયદા અન્વયે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા આરોપીઓ સામે પગલાં લેવાયા છે. આ કાર્યવાહીમાં આરોપીઓ દ્વારા વ્યાજખોરી દ્વારા મેળવેલી લગભગ 63.46 લાખ રૂપિયાની મિલકત એટલે કે ચાર મકાન, બે પ્લોટ અને એક સ્કોર્પિયો ગાડી સહિતની મિલકત જપ્ત કરાઈ.
અંજાર પોલીસે 3 આરોપી સામે કાર્યવાહી કરી
અંજાર પોલીસની ટીમે વ્યાજખોરીની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા ત્રણ આરોપી રિયાબેન ઇશ્વરગર ગૌસ્વામી, આરતીબેન ઇશ્વરગર ગૌસ્વામી અને તેજસ ઇશ્વરગર ગૌસ્વામી, (રહે. મંકલેશ્વર, અંજાર) સામે કાર્યવાહી કરી. આ આરોપીઓએ આર્થિક ફાયદા માટે વ્યાજખોરીના ગુનાઓ આચર્યા હતા. આરોપીઓની કુલ 63.46 લાખની મિલકતો જપ્ત કરવામાં આવી છે.
સરકાર વ્યાજખોરોની મિલકતો જપ્ત કરી હરાજી કરશે અને નાગરિકોના હિતમાં રુપિયા વપરશે, તેમ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે. સાથે સાથે લાઈસન્સ વગર જે કોઈ બંદૂક જેવા ઘાતક હથિયારો પરવાનગી વગર રાખશે તો પણ કાર્યવાહી થશે, તેની રિલ, વીડિયો પર પણ કાર્યવાહી થશે. ગન લાઈસન્સ પણ રદ્દ થઈ શકે છે.
આ પણ વાંચોઃ
Waqf Law: સુપ્રીમનો વક્ફ કાયદા વિરુદ્ધની નવી અરજી પર સુનાવણી કરવા ઇનકાર
UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?
Ahmedabad: જીન્સની ફેક્ટરીમાં 3 મજૂરના મોત, શું છે કારણ?
Gujarat Samachar પર રેડ પડવા પાછળ સરકાર વિરોધી લખાણ નહીં, આ છે અસલી કારણો!
Vijay Raj ને મોટી રાહત, જાતીય સતામણીના કેસમાં નિર્દોષ, મહિલાએ લગાવ્યા હતા આરોપ
Vadodara: ભાજપાના રાજમાં મહાદેવનું મંદિર તૂટશે? ‘ભગવાનને પણ નોટીસ’
મહિલા સાથે અશ્લીલતા કરનાર ઝડપાયેલા ભાજપા નેતા પાર્ટીમાંથી સસ્પેન્ડ | Babban Singh Raghuvanshi
ગુજરાત સમાચાર પર IT અને EDની રેડ પર ઈસુદાન ગઢવી શું બોલ્યા? | Gujarat Samachar
Trump decision: હું નથી ઈચ્છતો ભારતમાં એપલની પ્રોડક્ટ બને: મોદી મિત્ર ટ્રમ્પનો નિર્ણય
The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો: