Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?

  • India
  • September 4, 2025
  • 0 Comments

Vantara: દેશમાં એક તરફ વોટ ચોરીનો મુદ્દો ઉછળ્યો છે. ત્યારે ગુજરાતમાં અંબાણીના ગુજરાતના જામનગર સ્થિત વનતારાની કામગીરીને લઈ સવાલો ઉભા થયા છે. જેની કામગીરીની તપાસ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા હતા. જો કે બીજી તરફ આરોપ લાગ્યો છે કે 2024માં શરૂ થયેલા વનતારામાં કેન્દ્રમાં પ્રાણીઓની સંખ્યા 4,600થી વધીને 75,000 થઈ છે, જે વન્યજીવન પ્રેમીઓ અને નીતિ નિર્માતાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.

વન્યજીવન નીતિ પર ગંભીર સવાલો

પત્રકાર રાજશેખરે સાઉથ સેન્ટ્રલ પોડકાસ્ટમાં આ ઝડપી વિસ્તરણ, લુપ્તપ્રાય પ્રજાતિઓ જેવી કે પર્વતીય ગોરિલાને રાખવાના ઈરાદાઓ, પુરવઠા શૃંખલા, અને વન્યજીવન નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ ઘટનાએ વનતારાના સંરક્ષણના હેતુઓ અને તેની પાછળની નીતિઓ પર નવી ચર્ચા જન્માવી છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટે પણ વનતારાની તપાસ કરવા આદેશ આપ્યા છે.

અનંત અંબાણી અઢળક પ્રાણીઓ લાવ્યો

અંબાણીએ વનતારાને 3,000 એકરથી વધુ વિસ્તારમાં બનાવ્યું છે. મુકેશ અંબાણીના પ્રાણીપ્રેમી પુત્ર અનંદનો દાવો છે કે લુપ્તપ્રાય પ્રજાતિઓનું સંરક્ષણ, બચાવ, અને પુનર્વસન છે. આ કેન્દ્રમાં હાથીઓ, સિંહો, ચિત્તાઓ, અને અન્ય વન્યજીવોની સંભાળ લેવામાં આવે છે. જોકે, તાજેતરના અહેવાલો અનુસાર વનતારામાં પ્રાણીઓની સંખ્યા 4,600થી વધીને 75,000 થઈ હોવાનો દાવો ચોંકાવનારો છે. આ આંકડો ખરેખર સાચો હોય તો, તે વૈશ્વિક સ્તરે સૌથી મોટા વન્યજીવન કેન્દ્રોમાંનું એક બની શકે છે.

આ ઝડપી વૃદ્ધિ ઘણા સવાલો ઉભા કરે છે કે આટલી મોટી સંખ્યામાં પ્રાણીઓ ક્યાંથી આવ્યા? તેમની સંભાળ માટેનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું પર્યાપ્ત છે? અને સૌથી મહત્ત્વનું, આ પાછળનો હેતુ શું છે?

લુપ્તપ્રાય પ્રજાતિઓનું સંરક્ષણ: પર્વતીય ગોરિલા એક ઉદાહરણ?

રાજશેખરે તેમના પોડકાસ્ટમાં ખાસ કરીને પર્વતીય ગોરિલા જેવી લુપ્તપ્રાય પ્રજાતિઓનો ઉલ્લેખ કર્યો છે. પર્વતીય ગોરિલા, જે આફ્રિકાના વિરુંગા પર્વતોમાં જોવા મળે છે, તે વિશ્વની સૌથી લુપ્તપ્રાય પ્રજાતિઓમાંની એક છે, જેની વસ્તી લગભગ 1,000ની આસપાસ છે. જો વનતારામાં આવી પ્રજાતિઓ રાખવામાં આવી રહી હોય, તો તે એક અભૂતપૂર્વ પગલું છે, કારણ કે આવા પ્રાણીઓને ભારતના વાતાવરણમાં રાખવું એ નૈતિક અને વૈજ્ઞાનિક રીતે જટિલ મુદ્દો છે.

વનતારાનો દાવો છે કે તે એક્સ-સિટુ કન્ઝર્વેશન (Ex-situ conservation) દ્વારા લુપ્તપ્રાય પ્રજાતિઓના જનીન-બીજ (gene pool) ને સાચવવા માટે કામ કરે છે. આમાં પ્રાણીઓને તેમના કુદરતી નિવાસસ્થાનની બહાર સુરક્ષિત વાતાવરણમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત, વનતારા શિક્ષણ, જાગૃતિ, અને વૈજ્ઞાનિક સંશોધન માટે પણ કામ કરે છે. જોકે, પર્વતીય ગોરિલા જેવી બિન-ભારતીય પ્રજાતિઓને રાખવી એ પર્યાવરણીય અને નૈતિક દૃષ્ટિકોણથી પડકારજનક છે, કારણ કે આવા પ્રાણીઓને તેમના મૂળ આવાસની નજીકનું વાતાવરણ જરૂરી હોય છે.

રાજશેખરના સવાલો: પુરવઠા શૃંખલા અને વન્યજીવન નીતિ

પત્રકાર એમ. રાજશેખરે સાઉથ સેન્ટ્રલ પોડકાસ્ટમાં વનતારાના ઝડપી વિસ્તરણ અને તેની પાછળના ઈરાદાઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આટલી મોટી સંખ્યામાં પ્રાણીઓ વનતારામાં કેવી રીતે લાવવામાં આવ્યા? શું આ પ્રાણીઓ ભારતના જંગલોમાંથી બચાવવામાં આવ્યા છે, કે આંતરરાષ્ટ્રીય સ્તરે ખરીદવામાં આવ્યા છે? આ પ્રક્રિયામાં CITES જેવા આંતરરાષ્ટ્રીય કરારોનું પાલન કરવામાં આવ્યું છે? ભારતના વન્યજીવન સંરક્ષણ કાયદા, 1972 હેઠળ, લુપ્તપ્રાય પ્રજાતિઓને રાખવા માટે કડક નિયમોનું પાલન કરવું જરૂરી છે. વનતારાની નીતિઓ આ કાયદાઓ સાથે કેટલી સુસંગત છે? શું વનતારા ખરેખર સંરક્ષણ માટે કામ કરે છે, કે તેનો હેતુ વ્યાપારી અથવા પ્રતિષ્ઠા સાથે જોડાયેલો છે? રાજશેખરનો આ સવાલ વનતારાના લાંબા ગાળાના લક્ષ્યો પર પ્રકાશ ફેંકે છે.

વનતારાની તપાસ માટે સુપ્રીમે પણ આદેશ આપ્યા હતા

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે તપાસના આદેશ આપતાં વનતારા વિવાદના કેન્દ્રમાં આવ્યું છે.  કોર્ટે વનતારાની કામગીરીની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણય 25 ઓગસ્ટ, 2025ના રોજ લેવામાં આવ્યો હતો, જેમાં ન્યાયમૂર્તિ પંકજ મિથલ અને ન્યાયમૂર્તિ પ્રસન્ના બી. વરાળેની બેન્ચે બે જાહેર હિતની અરજીઓ (PILs) પર સુનાવણી કરી હતી. આ અરજીઓમાં વનતારા પર ગેરકાયદેસર વન્યજીવન હસ્તાંતરણ, હાથીઓની ગેરકાયદેસર કેદ, અને નાણાકીય અનિયમિતતાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યારે મોદી વોટ ચોરી અને અંબાણી વનતારા મામલે ફસાયા છે.

 

આ પણ વાંચો:

Jamnagar: અંબાણી ક્યાંથી પ્રાણીઓ પકડી લાવે છે?, અનંત અંબાણીનું વનતારા શંકાના ઘેરામાં કેમ આવ્યું?

આખા દેશમાં સર્કસ ચાલી રહ્યું છે! કોણ છે જોકર?| VANTARA

Jamnagar: અંબાણી ક્યાંથી પ્રાણીઓ પકડી લાવે છે?, અનંત અંબાણીનું વનતારા શંકાના ઘેરામાં કેમ આવ્યું?

Anklav: પોલીસે કંઈક કાનમાં કહ્યું, સીધા ચાલતાં આરોપી અજય પઢિયારે લંગડાવાનું નાટક કર્યું!

Trump Threat: ‘પુતિનને મારે કંઈ કહેવું નથી, પછી શું થશે તે તમે જોશો’, ટ્રમ્પે આપી ધમકી!

ચીનની પરેડમાં પાકિસ્તાન મહેમાન, મોદીને આમંત્રણ ના મળ્યું એટલે રોયાં? | China Military Parade

 

Related Posts

Bihar Bandh: બિહાર બંધનો સૌથી ખતરનાક વીડિયો, જોઈને તમે પણ ચોંકી જશો!
  • September 4, 2025

Bihar Bandh: રાહુલ ગાંધીની ‘મતાધિકાર યાત્રા’સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા હીરાબેન વિરુદ્ધ અપશબ્દો બોલવાને લઈને આજે ભાજપે બિહાર બંધનું એલાન કર્યું હતું પરંતુ ભાજપનું આ બિહાર બંધ…

Continue reading
બંગાળના લોકોએ સ્વતંત્રતા માટે લોહી વહેવડાવ્યું, ત્યારે ભાજપનો જન્મ પણ થયો ન હતો: Mamata Banerjee
  • September 4, 2025

Mamata Banerjee: બુધવારે પશ્ચિમ બંગાળ વિધાનસભામાં BJP અને TMC ના ધારાસભ્યો વચ્ચે ભારે હોબાળો થયો હતો. લઘુમતીઓ સંબંધિત બિલ પર ચર્ચા દરમિયાન આ મામલો શરૂ થયો હતો. હોબાળાને કારણે વિધાનસભા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Surat: માતાએ પુત્રને 13મા માળેથી ફેંકી દીધો પછી પોતે લગાવી છલાંગ, હચમચાવી નાખતો કિસ્સો

  • September 4, 2025
  • 7 views
Surat: માતાએ પુત્રને 13મા માળેથી ફેંકી દીધો પછી પોતે લગાવી છલાંગ, હચમચાવી નાખતો કિસ્સો

Bihar Bandh: બિહાર બંધનો સૌથી ખતરનાક વીડિયો, જોઈને તમે પણ ચોંકી જશો!

  • September 4, 2025
  • 12 views
Bihar Bandh: બિહાર બંધનો સૌથી ખતરનાક વીડિયો, જોઈને તમે પણ ચોંકી જશો!

બંગાળના લોકોએ સ્વતંત્રતા માટે લોહી વહેવડાવ્યું, ત્યારે ભાજપનો જન્મ પણ થયો ન હતો: Mamata Banerjee

  • September 4, 2025
  • 13 views
બંગાળના લોકોએ સ્વતંત્રતા માટે લોહી વહેવડાવ્યું, ત્યારે ભાજપનો જન્મ પણ થયો ન હતો: Mamata Banerjee

Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી

  • September 4, 2025
  • 19 views
Bhavnagar: ‘મમ્મી પપ્પા, તમે મને ડોકટર બનાવવા માટે બહુ મહેનત કરી’ તબીબી સ્ટુડન્ટે હોટલમાં ઝેરી દવા ગટગટાવી

Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?

  • September 4, 2025
  • 21 views
Vantara: વનતારામાં પ્રાણીઓ 4,600થી વધીને 75,000 થયા!, ઝડપથી વધતાં પ્રાણીઓ અંગે સવાલ?

Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!

  • September 4, 2025
  • 15 views
Bihar Bandh: ભાજપનું બિહાર બંધ ફ્લોપ, ભાજપ નેતાઓએ દાદાગીરી કરી લોકો પર કાઢયો ગુસ્સો!