NADIAD: હસતાં મુખે શરુ કરાયેલી સીટી બસ બંધ, ફરી શરુ નહીં થાય આંદોલન કરાશે | City bus service close

City Bus Service Close In Nadiad: નડિયાદ શહેરમાં સિટી બસના કોન્ટ્રાક્ટરોએ નિયમનું ઉલ્લઘન કરતાં બે મહિનાથી બંધ છે. શહેરમાં બસ નંબર પ્લેટ વગર દોડતી હતી. જેના કેટલાંક વીડિયો વાઈરલ થયા બાદ બંધ કરી દેવી પડી હતી. ત્યારે આટલા ટૂંકા ગાળામાં બસ સેવા બંધ થઈ જતાં લોકોમાં રોષ ભભૂક્યો છે. જ્યારે સીટી બસ સેવા શરુ કરાઈ ત્યારે ધારાસભ્ય પંકજ દેસાઈ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, પાલિકાના સભ્યોએ ઉદ્ઘટાન કરી બસોનું હસતાં પ્રસ્થાપન કરાવ્યું હતુ. જો કે છેલ્લા બે મહિનાથી બંધ પડેલી બસ સેવાએ નડિયાદવાસીઓને વીલા કર્યા છે.

ત્યારે પશ્ચિમ નાગરિક સમિતિએ મહાનગરપાલિકામાં આવેદનપત્ર આપી બસ સેવા પુનઃ શરુ કરવા માગ કરી છે. ડેપ્યુટી કમિશનર રૂદ્રેશભાઈ હુદડને આવેદનપત્ર આપ્યું છે. સંસ્થાના પ્રમુખ નરેન્દ્ર નકુમે જણાવ્યું કે જો આવનારા દિવસોમાં આ લોકહિત સેવા શરૂ નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

નડિયાદમાં 25 ડિસેમ્બર 2024ના રોજ લીલી ઝંડી આપી સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી. સિટી બસ સેવાનો વર્ક ઓર્ડર મહેસાણાની ગુરૂકૃપા ટ્રાવેલ એજન્સીને આપવામાં આવ્યો હતો. જોકે નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારોના નાગરિકોની અવરજવર માટે શરૂ કરવામાં આવેલી સિટી બસ સેવા માત્ર 63 દિવસમાં જ વહીવટી બેદરકારીના કારણે બંધ થઈ હતી.

યોગ્ય આયોજન, સંકલન અને વ્યવસ્થાપન કરાયું હોત તો આ નોબત ઉભી થઈ ન હોત. ભાજપના સ્થાનિક નેતાઓની અણઆવડત અને ઉતાવળે કરેલા નિર્ણયના કારણે નડિયાદ અને આસપાસના વિસ્તારના નાગરિકોને મળતી સિટી બસની સુવિધા છીનવાઈ ગઈ છે. સિટી બસ બંધ થવા પાછળ સ્થાનિક ભાજપના નેતા અને બે અધિકારીઓ જવાબદાર હોવાના આક્ષેપ લગાવ્યા હતા. તેમજ વહેલી તકે સિટી બસ શરૂ કરવા માંગ કરાઈ છે.

આ પણ વાંચોઃ મોંઘવારીના માર વચ્ચે PM MODI શ્રીલંકામાં બેસી ક્રિકેટની ચિંતા કરે છે?

આ પણ વાંચોઃ ટ્રમ્પના ટેરિફની ગુજરાતના હીરા ઉદ્યોગ પર શું અસર થઈ રહી છે? જાણો | Trump tariffs

આ પણ વાંચોઃ શું 26/11ના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને આજે ભારત લાવાશે? | Tahawwur Rana Extradition

આ પણ વાંચોઃ અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન, મોદીના ગઢ ગુજરાતને જીતવું કોંગ્રેસને કેટલું મુશ્કેલ? | Ahmedabad

આ પણ વાંચોઃ  અમદાવાદમાં પૈસાની લેતી-દેતી મામલે મિત્રો બાખડ્યા, ધારિયાથી હુમલો |Ahmedabad

 

 

  • Related Posts

    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ
    • April 29, 2025

    China Restaurant Fire:  ચીનના લિયાઓનિંગમાં એક દુ:ખ દુર્ઘટના ઘટી છે. અહીં એક રેસ્ટોરન્ટમાં આગ લાગવાથી 22 લોકોના મોત થયા છે. આગમાં ભયંકર રીતે 3 લોકો દાઝી ગયા છે. આગ લાગવાના…

    Continue reading
    MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ
    • April 29, 2025

    135 લોકોની જીવ લેનારી મોરબી(Morbi) પુલ દુર્ઘટનામાં આરોપીઓ છટક બારીઓ શોધી રહ્યા છે. જોકે તેમને એક બાદ એક ઝટકા મળી રહ્યા છે. મોરબી સેશન્સ કોર્ટમાં આરોપીઓએ તેમની સામે નોંધાયેલી આઈપીસી…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

    • April 29, 2025
    • 5 views
    China Restaurant Fire: ચીનની રેસ્ટોરન્ટમાં આગ લાગતાં 22 લોકોના મોત, 3 લોકોને ઈજાઓ

    Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

    • April 29, 2025
    • 14 views
    Pahalgam Attack: અલ્લાહુ અકબર બોલનાર ઝિપલાઇન ઓપરેટરના પિતાએ શું કહ્યું?

    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

    • April 29, 2025
    • 19 views
    Power outage: વિકસિત દેશો અંધકારમાં ડૂબ્યા, ફ્રાન્સ, સ્પેન અને પોર્ટુગલમાં વીજળી ગુલ, જાણો કારણ

    MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

    • April 29, 2025
    • 21 views
    MORBI: ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં કોર્ટે જયસુખ સહિત 10 આરોપીની ડિસ્ચાર્જ અરજી રદ

    TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

    • April 29, 2025
    • 29 views
    TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

    Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના

    • April 29, 2025
    • 33 views
    Mehsana: ભલે ગોળી મારી દે, પણ ‘પાકિસ્તાન’ પાછા નહીં જઈએ, મહેસાણામાં રહેતાં હિંદુઓની વેદના