
Pahalgam terror attack Protests in Gujarat: પહેલગામ હુલમાનો ઠેર ઠરે વિરોધ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં 26 લોકોના મોત થયા છે. ત્યારે આ હુમલાનો જબરજસ્ત ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે. અંબાજી, માણસા, પાલનપુરમાં લોકોએ આતંકી કૃત્યોનો વિરોધ કર્યો છે. વિજાપુર, છોટાઉદેપુર જેવા શહેરોએ સ્વયંભૂ બંધ પાળી લોકોએ વિરોધ કર્યો છે.
સાધુ-સંતો, ભક્તો રોડ પર ઉતરી પાકિસ્તાનનો વિરોધ કરી રહ્યા છે. રોડ પર પાકિસ્તાનનો ઝંડો બાનાવી સખત વિરોધ કરી રહ્યા છે. લોકો માગ કરી રહ્યા છે સરકાર પાકિસ્તાનને જવાબ આપે. તેની વિરુધ્ધ કડકમાં કડક પગલાં ભરે. આ હુમલાની સાધુ સંતોએ પણ સખત ટીકા કરી છે. બનાસકાંઠાના પાલનપુરમાં સ્વામી રાજેંદ્રીગિરી મહારાજે ચેતવણી આપી હતી કે, જો સરકાર આતંકીઓને વહેલી તકે જવાબ નહીં આપે તો સંતો-મહંતો બોર્ડર પર પહોંચશે.
વધુમાં કહ્યું જે આતંકવાદને સાથ આપે છે તેમની દુકાનમાંથી માલ ન ખરીદવો જોઈએ. આર્થિક બહિષ્કાર કરવો જોઈએ.
અમદાવાદમાં આતંકી હુમલાનો વિરોધ
પહેલગામ હુમલા બાદ અમદાવાદમાં પણ આતંકવાદનો સખત વિરોધ જોવા મળ્યો છે. અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે બ્રિજની નીચે સ્થાનિકો દ્વારા પહેલગામ હુમલાના વિરોધમાં રોડ ઉપર પાકિસ્તાનનો ધ્વજ પેઇન્ટ કરવામાં આવ્યો છે. સ્થાનિકોએ ધ્વજ પેઇન્ટ કરીને નીચે પાકિસ્તાન મુર્દાબાદ લખ્યું હતું. લોકોએ પાકિસ્તાનના ધ્વજ પર ચઢીને સૂત્રોચાર કર્યા હતા, એટલું જ નહીં લોકોએ પાકિસ્તાનના ધ્વજને જુતા પણ માર્યા હતા. દિવસ દરમિયાન આ ધ્વજ દોરેલો હોવાથી લોકો પણ વાહન તેના પરથી લઈને જતા હતા.
આ પણ વાંચોઃ
ભારતે પાકિસ્તાનની કઈ YOUTUBE ચેનલો પર પ્રતિબંધ મૂક્યો? યાદી જુઓ
Surat: 23 વર્ષિય શિક્ષિકા 11 વર્ષિય બાળક સાથે ભાગી, ટુર પેકેજ પણ બુક કરાવ્યું, ટ્રેનમાં બેસી ફરાર
Gondal: કથીરિયા અને ગણેશ જાડેજાના ઝઘડાનું મૂળ શું છે?, ભાજપાનો રોલ કેટલો?
આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?
બધી પાર્ટીના લોકો આવ્યા પણ મોદીજી ના આવ્યા, આ શરમની વાત: Mallikarjun Kharge
Telangana: પત્રકારત્વની કથળેલી સ્થિતિને લઈ ચર્ચા, લોકોનો મિડિયા પર ભરોસો કેમ ઘટ્યો?