Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: ગુજરાતમાં ચોમાસાએ જોર પકડ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. 29 જૂને રાજ્યના 160 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, જ્યારે 93 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રહ્યા. હવામાન વિભાગે 5 જુલાઈ સુધી ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે, માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે.

30 જૂન

હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

1-2 જુલાઈ

આ બે દિવસ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે થી અતિભારે વરસાદની આગાહી છે.

3 જુલાઈ

આ દિવસે સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર થયું છે. બીજી તરફ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા અને ડાંગમાં ભારે વરસાદનું યલો એલર્ટ છે.

4 જુલાઈ

4 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.

5 જુલાઈ

5 જુલાઈએ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે.

આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે, તેથી નાગરિકોને સાવચેત રહેવા અને સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો:

  • Related Posts

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ
    • October 29, 2025

    Bhavnagar News: ભાવનગર મહાનગરપાલિકાનાં વર્તમાન શાસકોની લાપરવાહી અને તંત્રની બેદરકારીના કારણે બોરતળાવ ની કૈલાશ બાલવાટીકાની સ્થિતિ દિવસેને દિવસે બદતર થતી જતી હોય છે. કરોડો રૂપિયાનો ખર્ચ છતાં કમોસમી વરસાદે નબળી…

    Continue reading
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ
    • October 29, 2025

    Bhavnagar: ભાવનગર શહેરનાં મધ્યમાં આવેલ ગંગાજળીયા તળાવ વિસ્તારની જૂની અને મોટી શાકમાર્કેટ અતિ જર્જરિત હાલતમાં થઈ ગઈ છે. વર્ષો જૂની આ માર્કેટમાં અનેક જગ્યાએ સ્લેબમાંથી ગાબડાં પડી રહ્યા છે, જેના…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    • October 29, 2025
    • 3 views
    Lucknow: રોંગ નંબરની કહાની… 400 વાર વાત, પત્નીએ પતિનો કાંટો કાઢવા બનાવ્યો ખૌફનાક પ્લાન

    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    • October 29, 2025
    • 13 views
    Bhavnagar: ભાવનગરમાં બોરતળાવના બુટિફિકેશનની વરસાદે ખોલી નાખી પોલ!, તપાસની ઉઠી માંગ

    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    • October 29, 2025
    • 17 views
    3I/ATLAS ધૂમકેતુ શું છે?, તે પૃથ્વી સાથે અથડાશે?, જાણો

    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    • October 29, 2025
    • 20 views
    Gold Ban: હવે સોનું ખરીદવાનું જ બંધ, સોનાના દાગીના પહેર્યાં તો  50 હજારનો દંડ!, અહીં ગ્રામજનોએ બનાવ્યો નિયમ

    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    • October 29, 2025
    • 19 views
    Bhavnagar: 60 વર્ષ જૂની શાકમાર્કેટ જર્જરિત, વેપારીઓમાં વધી ચિંતા, તાત્કાલિક રીપેરીંગની માંગ

    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં

    • October 29, 2025
    • 13 views
    Narmada:”મનસુખ વસાવા શું કહેવા માંગે છે, એમને જ ખબર નથી હોતી” નિરંજન વસાવાના મનસુખ વસાવા પર ચાબખાં