
Rajkot Crime: રાજકોટમાં દિવાળીના તહેવારમાં ખૂની ખેલ ખેલાતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આંબેડકરનગરમાં ત્રણ લોકોની હત્યા થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી ગઈ છે. કાળી ચૌદસની રાત્રે વાહન અથડાવવાની બાબતે બાબલ થતાં તેણે મોટું સ્વરુપ ધારણ કરી લીધુ. જેમાં બે સગા ભાઈની છરીની ઘા ઝીંકી હત્યા થઈ ગઈ. જ્યારે હુમલાખોરને પણ હત્યા થઈ જતાં રાજકોટમાં તંગભર્યું વાતાવરણ છે.
મળતી જાણકારી અનુસાર ગત કાળી ચૌદસની મધ્ય રાત્રીએ રાજકોટના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી, જેમાં વાહન અથડાવા જેવી નજીવી બાબતમાં બન્ને જૂથના લોકો આમને સામને આવી ગયા હતા. આ જૂથ અથડામણમાં બે સગા ભાઈ સુરેશ વશરામ પરમાર (ઉ.વ.45) અને વિજય વશરામ પરમાર (ઉ.વ.40)ની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાઈ આવી છે.
જ્યારે સામા પક્ષે હુમલો કરનાર અરુણ બારોટની પણ હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આંબેડકરનગર વિસ્તારમાં મોડી રાત્રે ત્રણ હત્યાને કારણે હકંપ મચી ગયો છે. પોલીસે જૂથ અથડામણમાં બંને પક્ષ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
મૃતક બન્ને ભાઈના પિતા વશરામભાઇએ કહ્યું મારા બન્ને દીકરા મજૂરી કામ કરતા. તે મજૂરી કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. તે વખતે 10:30થી 11:00 વાગ્યાની આસપાસ તેમનું વાહન અથડાયું હશે. જેથી તેમને સામે જોઈને ચલાવવા બાબતે કહ્યું હતું. જેથી બોલાચાલી થતા સામેવાળા લોકોએ મારા બન્ને દીકરા એના દીકરા તેમજ મારી પુત્રવધૂ ઉપર છરીઓ મારી છે. જેમાં મારા બન્ને દીકરાના મોત થઇ ગયા. અમારા વિસ્તારમાં લુખ્ખા તત્ત્વો આવી રીતે દારૂ પીને લૂખ્ખાગીરી કરતા હોય છે.
ઘટનાની જાણ થતા DCP ક્રાઇમ જગદીશ બાંગરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ ઉપરાંત માલવિયાનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા હતા. હાલ સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ હત્યાઓના પગલે પરિવારમાં દિવાળીનો તહેવારનો માહોલ શોકમાં ફરવાયો છે.
આ પણ વાંચો:
AI ના દુરુપયોગને તાત્કાલિક રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી, ગોપનીયતા અને અધિકારો છીનવાઈ રહ્યા છે!
Pakistan Threat: ‘ભારત પર પરમાણુ બૉમ્બ ફેંકી દઈશું!’, પાકિસ્તાની આર્મી ચીફ મુનીરની ધમકી
Diwali Muhurat: 20 કે 21 ઓક્ટોબરે દિવાળી?, જાણી લો લક્ષ્મી પૂજા માટે શુભ સમય!









