Release 600 Workers in Gandhidham: કંપનીએ 600 કામદારોને તગેડી મૂક્યા, અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલનનું એલાન

Release 600 Workers in Gandhidham: કચ્છના ગાંધીધામમાં જીંદાલ કંપનીના કામદારો ન્યાયની માંગ સાથે અનિશ્ચિત ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. આ આંદોલનનું નેતૃત્વ સમાઘોઘાના પૂર્વ સરપંચ વિજયસિંહ જાડેજા અને કુશળ-અકુશળ અસંગઠિત કામદાર સંગઠનના જનરલ સેક્રેટરી વેલજીભાઈ જાટ કરી રહ્યા છે. સ્થાનિક સમુદાય અને અન્ય સંગઠનો પણ આ આંદોલનમાં જોડાઈ રહ્યા છે.

કંપનીએ 600 કામદારોને તગેડી મૂક્યા

કામદારોનો આક્ષેપ છે કે, જીંદાલ કંપની દ્વારા તેમના હક્કોનું હનન થઈ રહ્યું છે, અને યોગ્ય વેતન, કામની સ્થિતિ તથા અન્ય મૂળભૂત અધિકારોની માંગણીઓ પૂરી નથી થઈ. આંદોલન ન્યાય મળે ત્યાં સુધી ચાલુ રહેશે તેવો સંકલ્પ કામદારોએ કર્યો છે.

કામદારો અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન પર

આ મામલે વિજયસિંહ જાડેજા (પુર્વ સરપંચ શ્રી સમાઘોઘા)એ જણાવ્યું કે, જીંદાલ કંમ્પની દ્વારા જ્યાં સુધી યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન કરી કામદારોને ન્યાય માટે લડત કરવામાં આવશે.તેમજ વેલજીભાઈ જાટે જણાવ્યું કે, રાજકીય બિનરાજકીય ક્ષેત્ર ના હોદેદારો અને આગેવાનો પણ સાથે રહી સમર્થન આપી રહ્યા છે.

કામદારોનો હુંકાર 

આ આંદોલનથી કંપનીના કામકાજ પર પણ અસર થઈ શકે છે, પરંતુ કામદારોનું કહેવું છે કે, તેઓ અન્યાય સામે ઝૂકશે નહીં. સ્થાનિક વહીવટીતંત્ર અને કંપનીના સંચાલકોને આ મુદ્દે વાતચીત માટે આગળ આવવા આહ્વાન કરવામાં આવ્યું છે.

કંપનીનો કઠોર નિર્ણય  

આ ઘટના દેશભરના અસંગઠિત કામદારોના અધિકારોના પ્રશ્નને ફરી એકવાર ચર્ચામાં લાવી છે. કામદારોને રાખીને મનફાવે ત્યારે કાઢી મુકવાનો કઠોર નિર્ણય કામદારો માટે મોટી મુસીબત બની જાય છે. કંપનીના માલિકો પોતાના કર્મચારીઓ વિશે કેમ નથી વિચારતા? તેઓ મજૂરૂ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે અચાનક તેમને છુટા કરી દેવાતા હવે તેઓ શું કરે? તે સવાલ ઉભો થયો છે.

કામદારો માટે શું છે નિયમો? 

મહત્વનું છે કે, ઔદ્યોગિક વિવાદ અધિનિયમ, 1947 અને અન્ય શ્રમ કાયદાઓ શ્રમિકોને નોકરીમાંથી અચાનક છૂટા થવા સામે રક્ષણ આપવા માટે ઘડવામાં આવ્યા છે. જેમાં નિયમ મુજબ શ્રમિકોને નોકરીમાંથી છૂટા કરવા માટે નોટિસ, વળતર, જેવી શરતોનું પાલન કરવું ફરજિયાત છે. આ શ્રમિકોને નાણાકીય અને કાનૂની રક્ષણ આપે છે. જો કંપની આ નિયમોનું ઉલ્લંઘન કરે, તો શ્રમિક લેબર કોર્ટ અથવા ઔદ્યોગિક ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરી શકે છે.

આમ કાયદો હોવા છતા કંપનીના માલિકો મનમાની કરે છે અને કેટલીક પ્રાઈવેટ કંપનીઓ, ખાસ કરીને નાના એકમો, નોટિસ કે વળતર આપ્યા વિના શ્રમિકોને છૂટા કરે છે. આ ખાસ કરીને કોન્ટ્રાક્ટ શ્રમિકો અથવા દૈનિક વેતનના કામદારો સાથે થાય છે. કેટલીક કંપનીઓ કાયદાને ટાળવા માટે કોન્ટ્રાક્ટરો દ્વારા શ્રમિકોને રાખે છે, જેનાથી તેમની સીધી જવાબદારી ઘટે છે. અસંગઠિત ક્ષેત્રમાં કામદારોને નોકરીના કરાર અથવા નિમણૂક પત્ર આપવામાં આવતા નથી, જેનાથી તેમના માટે કાનૂની લડાઈ લડવી મુશ્કેલ બને છે.

આગામી દિવસોમાં આંદોલનનું સ્વરૂપ વધુ તીવ્ર બને તેવી શક્યતા

ત્યારે સમાઘોઘા જીંદાલ કંમ્પની દ્વારા કોઇ પણ જાણ કર્યા વગર 600 કામદારોને છૂટા કરીને કામદારો સામે અન્યાય કર્યો છે ત્યારે કામદારોએ પણ આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે ત્યારે આગામી દિવસોમાં આંદોલનનું સ્વરૂપ વધુ તીવ્ર થઈ શકે છે, જેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો:

Delhi: મોબાઈલના કારણે હત્યા,એવું શું થયું કે મિત્રએ જીવ લઈ લીધો?

Gujarat Traffic: ઓવરસ્પીડિંગથી મોતનો આંકડો વધુ, દંડ ઓછો કેમ?

UP: કોર્ટમાં જ વકીલોએ કર્યો જીવલેણ હુમલો, પોલીસકર્મીઓ જીવ બચાવવા ભાગ્યા

વિશ્વ નાજુક પરિસ્થિતિમાં, ક્યારે ભડકો થાય અને વિશ્વને ભરખી જાય તે કહેવું મુશ્કેલ: Jayanarayan Vyas

Himachal Pradesh Flood: હિમાચલના જંગલોની લૂંટ! નદીમાં તરતા લાકડાના ઢગલાએ ખોલી લાકડાના માફિયાની પોલ

Related Posts

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો
  • December 14, 2025

Padaliya News: બનાસકાંઠા જિલ્લાના પાડલીયા ગામમાં વન વિભાગ હસ્તકની જમીનનો વર્ષો જૂનો વિવાદ હિંસક બન્યો છે અને આ જમીન મુદે સરકારી બાબુઓ અને પોલીસની ગામમાં પહોંચી ત્યારે ગામના લોકોએ ગોફણ-તીર…

Continue reading
Valsad bridge: વલસાડમાં બ્રિજનું ‘સ્કેફોલ્ડિંગ’ધડાકાભેર તૂટી પડ્યું! સ્લેબ ભરતી વખતે તૂટ્યું હોતતો શુ થાત? ગુણવત્તા ઉપર ઉઠ્યા સવાલ
  • December 12, 2025

Valsad bridge: આજકાલના બાંધકામોની ગુણવત્તા ઉપર હંમેશા સવાલો ઉઠતા રહયા છે ત્યારે ખાસ કરીને બ્રિજના નબળા બાંધકામો ઉપર સવાલો ઊઠી રહયા છે આવા સમયે વલસાડના કૈલાશ રોડ સ્થિત ઔરંગા નદી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

  • December 14, 2025
  • 5 views
MNREGA: મોદી સરકારે મનરેગા યોજનાનું નામ બદલી નાખ્યું! શુ ફેર પડશે?જાણો વરિષ્ઠ પત્રકાર રાજેશ ઠાકરે શુ કહ્યું?

Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

  • December 14, 2025
  • 11 views
Bondi Beach shooting:ઓસ્ટ્રેલિયામાં બીચ ફેસ્ટિવલની ઉજવણી કરી રહેલા યહૂદીઓ પર ફાયરિંગ: 10ના મોત

Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

  • December 14, 2025
  • 10 views
Defamation claim: ‘The Gujarat Report’ સત્ય ઉજાગર કરતું રહેશે!પત્રકારત્વની ફરજો નિભાવતા રહીશું! ‘ડર’ અમારી ‘Dictionary’માંજ નથી!

Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

  • December 14, 2025
  • 16 views
Carbocell Well Illegal Mining: સુરેન્દ્રનગર પંથકમાં કરોડોના કોલસાનો ‘કાળો કારોબાર!’100 ખાણો ઉપર દરોડા પડતા માફિયાઓમાં ફફડાટ

Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

  • December 14, 2025
  • 30 views
Padaliya News: બનાસકાંઠાના પાડલીયા ગામમાં થયેલા ઘર્ષણમાં PI ગોહિલને તીર વાગતા બેભાન થઈ ગયા! કુલ 47 ઘાયલ! શુ છે સમગ્ર વિવાદ?વાંચો

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 7 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી