
IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાની ટીમ જાહેર કરવામાં આવી છે. જેમાં રોહિત શર્માના ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ, શુભમન ગિલને હવે ટેસ્ટ ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગિલ ટીમ ઈન્ડિયાનો ચોથો સૌથી યુવા કેપ્ટન બન્યો છે. આ ઉપરાંત વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
મોહમ્મદ શમી-શ્રેયસ ઐયરને ન મળી તક
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયરને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે તક મળી નથી. આઈપીએલ 2025માં શમીનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તે જ સમયે, ઐયરે આઈપીએલ 2025માં સારું પ્રદર્શન કર્યું છે, તેમ છતાં, તેને ટીમમાં સામેલ ન કરવું થોડું આશ્ચર્યજનક છે.
સાઈ સુદર્શન-કરુણ નાયરનું ચમક્યું નસીબ
IPL 2025 માં ગુજરાત ટાઇટન્સ માટે ધમાલ મચાવનાર સાઈ સુદર્શનની ટીમમાં પસંદગી કરવામાં આવી છે. સાઈ અત્યાર સુધી સીઝન 18 માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. સાઈને પહેલી વાર ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સાઈએ 29 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી છે જેમાં બેટિંગ કરતી વખતે તેણે 7 સદી અને 5 અડધી સદી સાથે 1957 રન બનાવ્યા છે. આ ઉપરાંત, ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર કરુણ નાયરની 7 વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે.
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 18 ખેલાડીઓના નામ જાહેર
શુભમન ગિલ(કેપ્ટન), રિષભ પંત (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે.એલ.રાહુલ, સાઈ સુદર્શન, અભિમન્યુ એસ્વરન, કરુણ નાયર, નિતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, ધ્રૂવ જુરેલ (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, આકાશ દીપ, અર્શદીપ સિંહ અને કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીનો સંપૂર્ણ સમયપત્રક
પહેલી ટેસ્ટ મેચ (20-24 જૂન)
બીજી ટેસ્ટ મેચ ( 2-6 જુલાઈ)
ત્રીજી ટેસ્ટ મેચ (10-14 જુલાઈ)
ચોથી ટેસ્ટ મેચ (23-27જુલાઈ)
પાંચમી ટેસ્ટ મેચ ( 31 જુલાઈ-4 ઓગસ્ટ)
આ પણ વાંચો:
Accident: અમદાવાદથી ભીલવાડા જતી લક્ઝરીએ મારી પલટી, 3ના મોત, ઘણાને ઈજાઓ
Surat: એમેઝોન પ્રાઇમ ફ્રેન્ચાઇઝી મેળવવા માટે બેંક લૂંટી, આ રીતે પોલીસે આરોપીને ઝડપ્યો
પ્રખ્યાત અભિનેતા Mukul Dev નું 54 વર્ષની વયે અવસાન, ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજું
Gujarat Rain:આજે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સુચના
Sabarkantha: રેતી ખનન માફિયાઓ સામે પૂર્વ સાંસદની લાલ આંખ, ગેરકાયદે ખનન બંધ કરો નહીં તો….!
Sabarkantha: પ્રાંતિજમાં ડમ્પરે બાઈકને ટક્કર મારી, બે યુવાન કાળનો કોળિયો બન્યા, પિતાને ઈજાઓ
Sabarkantha Accident: પ્રાંતિજ નજીક કારની ટક્કરે રિક્ષાએ મારી પલટી, રિક્ષાચાલક ગંભીર!
Vadodara: મંદિરમાં ઘૂસી વિધર્મીએ પુજારીને માર માર્યો
પાણી બંધ કરશો, તો તમારા શ્વાસ બંધ કરીશું, Pakistani સેનાની આતંકી ભાષા
Gondal: અમીત ખૂંટના પરિવારે સામૂહિક આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી!, શું કરી માગ?
અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona
અમદાવાદમાં કોરોનાના 20 કેસ, કુલ 31 કેસ એક્ટિવ, કેસમાં ઉછાળો કેમ આવ્યો? | Corona