ભારતે શેખ હસીનાના વિઝાને લંબાવ્યા, તો બાંગ્લાદેશે પાસપોર્ટ રદ કર્યો

  • World
  • January 8, 2025
  • 0 Comments

ભારત સરકારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના વિઝા લંબાવ્યા છે. તો બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેનો પાસપોર્ટ રદ કરી દીધો છે. શેખ હસીના છેલ્લા 7 મહિનાથી ભારતમાં રહે છે. તે જ સમયે, જ્યારે બાંગ્લાદેશે હસીનાની પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે, ત્યારે ભારતે શેખ હસીનાના વિઝાને લંબાવ્યો છે. આટલું જ નહીં બાંગ્લાદેશ સરકાર તેની સામે ધરપકડ વોરંટ પણ જાહેર કરી ચૂકી છે.

બાંગ્લાદેશમાં દેશવ્યાપી વિરોધ દરમિયાન શેખ હસીના 5 ઓગસ્ટ 2024 ના રોજ ભારત ભાગીને આવી હતી. બાંગ્લાદેશથી તેમના આગમન બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. ત્યારથી, બાંગ્લાદેશમાં શેખ હસીની વિરુદ્ધ હત્યા સિવાય અન્ય ઘણા કેસ નોંધાયેલા છે. જોકે, બાંગ્લાદેશ દ્વારા શેખ હસીનાને ભારતને સોંપવાની વિનંતી બાદ ભારતે હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી.

શેખ હસીના સહિત 96ના પાસપોર્ટ રદ

બાંગ્લાદેશની વચગાળાની સરકારે પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના અને અન્ય 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે. એવું કહેવાય છે કે લોકોને બળજબરીથી ગાયબ કરવા સિવાય, ગયા વર્ષે જુલાઈમાં થયેલી હત્યામાં તેમની કથિત ભૂમિકા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ 97 લોકો પર જુલાઈમાં વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોને બળજબરીથી ગુમ કરવા અને હત્યાઓમાં કથિત રીતે સામેલ હોવાનો આરોપ છે. બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે જાહેરાત કરી છે કે શેખ હસીના સહિત કુલ 97 વ્યક્તિઓના પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે. તે જ સમયે, 6 જાન્યુઆરીએ, બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ગુનાહિત ટ્રિબ્યુનલે શેખ હસીના વિરુદ્ધ બીજું ધરપકડ વોરંટ જારી કર્યું હતું. ટ્રિબ્યુનલે બાંગ્લાદેશની પોલીસને શેખ હસીના અને અન્ય 11 લોકોની ધરપકડ કરીને 12 ફેબ્રુઆરીએ ટ્રિબ્યુનલ સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો છે.

 

આ સમાચાર પણ વાંચોઃ પાટીદાર યુવતી પાયલ ગોટી પહોંચી અમરેલી SP કચેરીએ, વકીલે શું કહ્યું?

Related Posts

Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ
  • December 16, 2025

Mexico Plane Crash: મધ્ય મેક્સિકોમાં એક મોટી વિમાન દુર્ઘટના બની છે, એક નાનું ખાનગી વિમાન ઇમરજન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતી વખતે ક્રેશ થતાં ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા હતા આ…

Continue reading
Sydney Attack: ઓસ્ટ્રેલિયામાં થયેલા હત્યાકાંડમાં હુમલાખોરો પિતા-પુત્ર નીકળ્યા! મૃત્યુઆંક 16 થયો
  • December 15, 2025

Sydney Attack: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બોન્ડી બીચ પર લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે ઉત્સવ મનાવી રહયા હતા તે વખતે તેઓ ઉપર થયેલા આતંકી હુમલામાં પ્રાથમિક વિગતોમાં 10ના મોત થયા હતા…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

  • December 16, 2025
  • 9 views
Delhi AQI: દિલ્હીના ભયાનક પ્રદૂષણથી UK, કેનેડા, સિંગાપોરના લોકોને દિલ્હી પ્રવાસ ટાળવા અપીલ, 200થી વધુ ફ્લાઈટ રદ

Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

  • December 16, 2025
  • 7 views
Shashi Tharoor on MNREGA: ‘મહાત્મા ગાંધીના વારસાનું અપમાન ન કરો!’, મનરેગા નામ બદલવા પર શશિ થરૂરની પ્રતિક્રિયા

Mexico Plane Crash: મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

  • December 16, 2025
  • 8 views
Mexico Plane Crash:  મેક્સિકોમાં ખાનગી જેટ ઇમારત સાથે અથડાયું, 7 લોકોના મોત, આકાશ ધુમાડાથી ભરાઈ ગયુ

Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો લીધો!’

  • December 16, 2025
  • 18 views
Rana Balachoria Murder: મોહાલીમાં કબડ્ડી ખેલાડીની  હત્યા! બંબીહા ગેંગે કહ્યુ,’સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો અમે બદલો  લીધો!’

Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

  • December 16, 2025
  • 16 views
Gujarat Politics: ગુજરાત ભાજપના CM સહિત ત્રણ નેતા અચાનક સરકારી વિમાનમાં  દિલ્હી કેમ પહોંચ્યા? PM સાથે સાથે શુ ચર્ચા થઈ?

BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!

  • December 15, 2025
  • 11 views
BJP Government: ચોર-લૂંટારાઓ અને અંધ ભક્તોની ભક્તિ વચ્ચે પીસતી જનતાની વ્યથા ! જુઓ સિનીયર પત્રકાર મેહુલભાઇ વ્યાસ શુ કહે છે!