India-Pakistan Ceasefire: સમજૂતીના થોડા જ કલાકમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું કર્યું ઉલ્લંઘન, ભારતના વિદેશ સચિવએ આપ્યું મોટું નિવેદન

  • India
  • May 11, 2025
  • 0 Comments

India-Pakistan Ceasefire: 10 મેના રોજ યુદ્ધવિરામ પર સંમતિ થયા પછી, પાકિસ્તાને (Pakistan) ફરી એકવાર ભારતની (India) સરહદ પર ગોળીબાર શરૂ કર્યો, જેનાથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન થયું હતું  ત્યારે પાકિસ્તાને  સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યા બાદ રાત્રે 10:55 વાગ્યે, વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિશ્રીએ પરિસ્થિતિ અંગે બ્રીફિંગ આપ્યું હતું.

વિદેશ સચિવે શું કહ્યું?

યુદ્ધવિરામ ઉલ્લંઘન પછી, ભારતના વિદેશ સચિવે રાત્રે એક બ્રીફિંગ યોજી હતી અને માહિતી આપી હતી કે પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ભારતીય સેના તેનો જવાબ આપી રહી છે અને કાર્યવાહી કરી રહી છે. આ માટે પાકિસ્તાન સંપૂર્ણપણે જવાબદાર છે. પાકિસ્તાને પરિસ્થિતિની ગંભીરતા સમજવી જોઈએ અને તાત્કાલિક તેમાંથી બહાર નીકળવાની તૈયારી કરવી જોઈએ. ભારતીય સેના નક્કર અને કડક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

સેનાને કડક કાર્યવાહી કરવાના આદેશ

વિક્રમ મિશ્રીએ કહ્યું કે સેનાને કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે કાર્યવાહી રોકવા માટે એક કરાર થયો હતો પરંતુ આજે સાંજથી તેનું ઘોર ઉલ્લંઘન થઈ રહ્યું છે

ચીન પાકિસ્તાન સાથે ઉભું છે!

ચીનના વિદેશ પ્રધાન વાંગ યીએ શનિવારે કહ્યું હતું કે તેમનો દેશ પાકિસ્તાનની “સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને રાષ્ટ્રીય સ્વતંત્રતા” જાળવી રાખવામાં તેની સાથે ઉભો રહેશે. ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાંગ યીએ પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડાર સાથે ટેલિફોન પર વાતચીત દરમિયાન આ વાતો કહી હતી.

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ પછી શું થયું?

  • શનિવારે રાત્રે સાવચેતીના પગલા તરીકે બ્લેકઆઉટ પ્રતિબંધો પાછા ખેંચી લેવામાં આવ્યા બાદ પંજાબના ઘણા જિલ્લાઓમાં ફરીથી બ્લેકઆઉટ લાદવામાં આવ્યો હતો.
  • પંજાબના હોશિયારપુર, ફિરોઝપુર, ફાઝિલ્કા, પઠાણકોટ, પટિયાલા, મોગા, કપૂરથલા અને મુક્તસરમાં ફરી બ્લેકઆઉટ લાદવામાં આવ્યું છે.
  • સવારે 5.44 વાગ્યે જારી કરાયેલા એક નિવેદનમાં, અમૃતસરના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે, પરંતુ રેડ એલર્ટ હજુ પણ ચાલુ છે. કૃપા કરીને તમારા ઘરની બહાર ન નીકળો, ઘરની અંદર રહો અને બારીઓથી દૂર રહો.
  • પંજાબ ઉપરાંત ગુજરાતના ઘણા શહેરોમાં પણ બ્લેકઆઉટની જાહેરાત કરવામાં આવી છે. કચ્છ, જામનગર, સાંતલપુર તાલુકા, પાટણ અને બનાસકાંઠામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું .
  • “કચ્છ જિલ્લામાં ઘણા ડ્રોન જોવા મળ્યા છે. જે બાદ સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું હતુ. જે બાદ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ X પરની એક પોસ્ટમાં લખ્યું હતુ કે, કૃપા કરીને સુરક્ષિત રહો, ગભરાશો નહીં,”
  • રાજસ્થાનમાં પણ, સાવચેતીના પગલા તરીકે, જોધપુર અને જેસલમેરમાં અગાઉ પાછી ખેંચી લેવામાં આવી હતી, ત્યારબાદ ફરીથી વીજળી ગુલ કરવામાં આવી છે.
  • રાજસ્થાનના ગંગાનગરના ઘડસાણા વિસ્તારમાં રાત્રે ડ્રોનની હિલચાલ જોવા મળી હતી.
    શનિવારે સાંજે શહેરના નાગરોટામાં લશ્કરી સ્ટેશન નજીક જોવા મળેલા એક શંકાસ્પદ વ્યક્તિ સાથેની અથડામણમાં એક લશ્કરી જવાન ઘાયલ થયો હતો.
  • યુદ્ધવિરામ ઉલ્લંઘન બાદ, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે સ્વીકાર્યું કે પાકિસ્તાનમાં સેના અને સરકાર વચ્ચે મતભેદો છે. પાકિસ્તાન સરકાર યુદ્ધવિરામ માટે તૈયાર હતી.
  • દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL) એ જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર કામગીરી સરળતાથી ચાલી રહી છે.

આ પણ વાંચોઃ

India Pakistan War:પાકિસ્તાને હુમલામાં ભારતને કેટલું નુકસાન પહોંચાડ્યું? સેના અને વિદેશ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં આપી મહત્વની જાણકારી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

India-Pakistan Tension: ભારત-પાકિસ્તાન હુમલાને લગતા સમાચાર પ્રસારિત કરતા પહેલા મીડિયાને આ નિર્દેશોનું કરવું પડેશે પાલન, નહીં તો થશે કાર્યવાહી

World Migratory Bird Day 2025 : પક્ષીઓને પણ પાકિસ્તાનમાં નથી ગમતું! લાખો પક્ષીઓ સ્થળાંતર કરીને ગુજરાતમાં આવી ગયા

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Share Market Down: રોકાણકારોને નુકસાન, સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટ્યો, શું છે કારણો?

 PIB Fact Check: વાઈરલ થયેલા 7 ખોટા વીડિયો અંગે PIBનું ફેક્ટ ચેક, શું સામે આવ્યું?

Vadodara: ન્યાયના એજન્ડા સાથે લડી રહેલા ભાજપા કોર્પોરેટર આશિષ જોશીને સસ્પેન્શનની બક્ષીશ

The Gujarat report NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો:

https://chat.whatsapp.com/LjEq7pr7nY4Ij0y0yswrPF

Related Posts

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ
  • June 16, 2025

‘બોયફ્રેન્ડે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો’ બોયફ્રેન્ડે જ હત્યા કર્યાના આક્ષેપ હત્યારાનું પગેરું મેળવવાના પોલીસના પ્રયાસ Sheetal Simmi Chaudhary Murder Mystery: આજે 16 જૂને હરિયાણાની ઉભરતી મ્યુઝિક વિડિયો કલાકાર અને મોડેલ…

Continue reading
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી
  • June 16, 2025

India Census: કેન્દ્ર સરકારે ભારતની વસ્તીગણતરી કરવાની તારીખો જાહેર કરી દીધી છે. જોકે સરકારે પહેલા કહ્યું હતુ કે જાતિગત વસ્તી ગણતરી થશે. જો કે આજે બહાર પાડેલા જાહેરનામામાં જાતિગત વસ્તી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

  • June 16, 2025
  • 8 views
Sheetal Simmi Chaudhary Murder: બોયફ્રેન્ડ સાથે શૂંટિંગમાં ગયેલી મોડલની લાશ મળી, પરિવારના ગંભીર આક્ષેપ

India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

  • June 16, 2025
  • 14 views
India Census: ‘ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર’, જયરામ રમેશનો વસ્તી ગણતરીના નોટિફિકેશન પર કટાક્ષ, મોદી સરકારને ઘેરી

Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

  • June 16, 2025
  • 11 views
Ahmedabad Plane Crash: ભયાનક વિમાન દુર્ઘટનામાં ફાયર વિભાગે શું કામગીરી કરી?

Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

  • June 16, 2025
  • 9 views
Bhavnagar : મહુવામાં ભારે વરસાદના કારણે 30 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા, તંત્ર પાસે માંગી મદદ

Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

  • June 16, 2025
  • 25 views
Visavadar, Kadi By-Election: શંકરસિંહ વાઘેલાનો ચૂંટણી પંચ પર આક્ષેપ, કહ્યું 10 જૂન પછી ક્યારેય ચૂંટણીઓ થઈ નથી

Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો, શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી

  • June 16, 2025
  • 19 views
Vijay Rupani નો પાર્થિવ દેહ રાજકોટ પહોંચ્યો,  શ્રદ્ધાંજલિ આપવા ભીડ ઉમટી