Indore Love Jihad: કોંગ્રેસના અનવર કાદરીએ હિન્દુ છોકરીઓને ફસાવવા રુપિયા આપ્યા, મુસ્લીમ શખ્સોની કબૂલાત, દેહવ્યપાર કરાવતો?

  • India
  • July 10, 2025
  • 0 Comments

Indore Love Jihad: લવ જેહાદના કિસ્સાઓને લઈ સતત દેશમાં ઘણો હોબાળો મચી રહ્યો છે. ત્યારે હવે આ મામલે બે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં મુસ્લીમ શખ્સોની કબૂલાતથી મોટો ખુલાસો થતાં ખળભાટ મચી ગયો છે. મુસ્લિમ યુવકોએ પોતાની ઓળખ બદલીને હિન્દુ છોકરીઓ સાથે મિત્રતા કેળવી ફસાવીને તેમની સાથે લગ્ન કરીને તેમનું જીવન નર્ક બનાવી દીધું છે. ચોકાવનારી બાબત એ છે કે લવ જેહાદ માટે રુપિયા મળ્યા છે. તે પણ કોંગ્રેસના કાઉન્સિલરે આપ્યા હોવાનો મોટો ખુલાસો થયો છે. જાણો કાદરીની ઓપરેશન સિંદૂર,છોકરીનો દેહ વ્યપાર, બળાત્કાર સુધીની કાળી કરતૂત.

સાહિલ અર્જુન અને અલ્તાફ રાજ બન્યો, પછી મોટો ખેલ

ઉપરોક્ત બંને મુસ્લીમ શખ્સોએ કબૂલ્યું છે કે તેમને લવ જેહાદ કરવા માટે અનવર કાદરી નામની વ્યક્તિ ફંડ આપતી હતી. અનવર કાદરી પર આરોપ છે કે તેણે ઈન્દોરના બે મુસ્લિમ યુવાન સાહિલ શેખ અને અલ્તાફને હિન્દુ છોકરીઓને ફસાવવા અને તેમની સાથે લગ્ન કરવા માટે 3 લાખ રૂપિયા આપ્યા હતા. તેણે સાહિલને 2 લાખ રૂપિયા અને અલ્તાફને 1 લાખ રૂપિયા એડવાન્સ આપ્યા હતા.

આ પછી બંનેએ સોશિયલ મીડિયા પર પોતાની નવી પ્રોફાઇલ બનાવી. સાહિલે પોતાનું નામ અર્જુન રાખ્યું અને અલ્તાફ સોશિયલ મીડિયા પર રાજ બની ગયો. સાહિલ એક કાર શોરૂમમાં હેલ્પર તરીકે કામ કરતો હતો જ્યારે અલ્તાફ ઘરોમાં પેઇન્ટિંગનું કામ કરતો હતો.

સાહિલ પર 18 વર્ષની છોકરી પર બળાત્કારનો આરોપ

આ કેસમાં એક આરોપી સાહિલ ખાન પર 18 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાનો આરોપ છે. સાહિલે લગભગ 5 મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ તરીકે ઓળખાણ આપીને છોકરી સાથે મિત્રતા કરી હતી. 12 મેના રોજ તે છોકરીને વાતચીત માટે તેના મિત્રના રૂમમાં લઈ ગયો અને લગ્નના બહાને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા. આ પછી 30 મેના રોજ તેણે છોકરીને સ્કીમ-54 ના એક કેફેમાં મળવા બોલાવી અને ત્યાં પણ તેની સાથે બળાત્કાર ગુજાર્યો.

ધર્મ પરિવર્તન માટે દબાણ 

સાહિલે છોકરીને કહ્યું કે તે મુસ્લિમ છે અને તેને તેનો ધર્મ બદલવો પડશે. તેણે છોકરીને કહ્યું કે તે તેને જેટલા પૈસા માંગશે તેટલા આપશે. આ પછી તેણે છોકરીને બુરખો પહેરવા દબાણ કર્યું. ધરપકડ બાદ સાહિલે કહ્યું કે તે અનવર કાદરીને એક સામાજિક કાર્યક્રમમાં મળ્યો હતો. કાદરીએ તેને 2 લાખ રૂપિયા આપ્યા હતા અને આ કામ આગળ વધારવા કહ્યું હતું.

અનવર કાદરી કોંગ્રેસનો કાઉન્સિલર

No photo description available.

કોંગ્રેસના કાઉન્સિલર અનવર કાદરીનું નામ લવ જેહાદ ફંડિંગ કેસમાં સામે આવતાં ચકચાર મચી ગયો છે. અનવર કાદરી અનેકવાર જેલ જઈ ચૂક્યો છે. ઓપરેશન સિંદૂર વખતે તેણે લોકોને પાકિસ્તાનના પક્ષમાં નારા લગાવવા માટે મજબૂર કર્યા હતા. તેની પર આરોપ છે કે હિંદુ છોકરીઓને ફસાવી દેહ વેપારમાં ધકેલી દેવી. તેની ગુનાની ફાઇલ એટલી લાંબી છે કે કાદરીનું નામ ડાકુ તરીકે લેવામાં આવે છે.  પરંતુ આ વખતે તેણે હિન્દુ છોકરીઓના જીવન સાથે ખિલવાડ કરતાં ફસાઈ ગયો છે. હવે મધ્યપ્રદેશ સરકાર તેને પાઠ ભણાવવાની તૈયારી કરી રહી છે. અનવર કાદરી સામે હવે ગાળિયો કસાયો છે. જોકે હાલ તે ફરાર છે.

કાદરીના ક્રાઈમનો ઈતિહાસ

અનવર કાદરી હાલમાં ઇન્દોરમાં કોંગ્રેસના કાઉન્સિલર છે. 1997માં તેની સામે લૂંટનો કેસ નોંધાયો હતો, તેથી જ કાદરીના નામમાં ડાકુ શબ્દ ઉમેરવામાં આવ્યો. અનવર કાદરી વિરુદ્ધ કુલ 18 કેસ નોંધાયેલા છે, જેમાં રમખાણો, હત્યાનો પ્રયાસ, સાંપ્રદાયિક તણાવ, લોકો પર હુમલો, હિંસા ફેલાવવા અને ધાર્મિક સ્થળો પર હુમલો જેવા કેસોનો સમાવેશ થાય છે. અનવર કાદરી વિરુદ્ધ એફઆઈઆર દાખલ થયા બાદ તે ફરાર છે. ઈન્દોર પોલીસે અનવર કાદરી વિરુદ્ધ એનએસએ પણ લગાવ્યો છે. તેના પર ઈનામની પણ જાહેરાત કરવામાં આવી છે.

13 જૂને બે મુસ્લીમ શખ્સોની ધરપકડ

13 જૂનના રોજ પોલીસે સાહિલ શેખ અને અલ્તાફની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ કર્યા પછી 16 જૂનના રોજ બાણગંગા પોલીસ સ્ટેશને અનવર કાદરી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ઇન્દોર પોલીસને શંકા છે કે અનવર કાદરીએ આ કામ માટે માત્ર આ બે યુવાનોને જ નહીં પરંતુ અન્ય છોકરાઓને પણ ભંડોળ પૂરું પાડ્યું હતું.

શું હવે બુલડોઝર ચાલશે?

કાદરી હાલ ફરાર છે પણ તેને ડર છે કે તેનું ઘર બુલડોઝરથી તોડી પાડવામાં આવશે, તેથી તેણે બુલડોઝરની કાર્યવાહીથી બચવા માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. હાલમાં પોલીસ તેને શોધી રહી છે. કાદરી માટે કાયદાના લાંબા હાથમાંથી બચવું મુશ્કેલ છે. પોલીસના હાથે પકડાતાની સાથે જ લવ જેહાદના ભંડોળ પાછળ કેટલા ચહેરાઓ છે તેનું રહસ્ય ખુલી જશે.

તાજેતરમાં જ કાદરી સામે કાઉન્સિલરનું પદ છીનવવા કાર્યવાહી હાથ ધરાઈ હતી

ઇન્દોરના કોંગ્રેસના કાઉન્સિલર અનવર કાદરીની સભ્યપદ સમાપ્ત કરવા મેયર પુષ્યમિત્ર ભાર્ગવે 20 જૂને આ અંગે વિભાગીય કમિશનર દીપક સિંહને પત્ર લખ્યો હતો. ત્યારબાદ વિભાગીય કમિશનર સિંહે પત્ર લખીને આગળની કાર્યવાહી માટે સંપૂર્ણ માહિતી માંગી હતી. વિભાગીય કમિશનર સિંહે પત્રમાં લખ્યું હતુ કે વોર્ડ 58ના કાઉન્સિલર અનવર કાદરીને કાઉન્સિલર પદ પરથી દૂર કરવા માટે મેયર દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. કાદરી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને મેયરે તેને પદ પરથી દૂર કરવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. આ સંદર્ભમાં કાઉન્સિલર કેસની વિગતવાર તપાસ કરીને અને અગાઉના કેસોની વિગતો આપીને નગરપાલિકા અધિનિયમ 1956 હેઠળ જરૂરી કાર્યવાહી માટે ટૂંક સમયમાં રિપોર્ટ મોકલવામાં આવે.

કાદરી દેશદ્રોહી!

મેયર દ્વારા લખાયેલા પત્રમાં કાદરીને દેશદ્રોહી અને ગુનાહિત સ્વભાવનો ગણાવવામાં આવ્યો છે. કાઉન્સિલરશીપમાંથી દૂર કરવાના કિસ્સામાં, ડિવિઝનલ કમિશનરને મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1956 ની કલમ 19 હેઠળ સીધી સત્તા છે. પરંતુ તે જ કલમ 19 (2) હેઠળ, તેઓ પહેલા કાઉન્સિલર કાદરીને નોટિસ મોકલશે જેમાં પૂછવામાં આવશે કે તેમની કાઉન્સિલરશીપ કેમ સમાપ્ત ન કરવી જોઈએ. આ અંગે કાદરી પાસેથી જવાબ માંગવામાં આવશે. જો જવાબથી સંતુષ્ટ ન થાય, તો કાઉન્સિલરશીપ સમાપ્ત કરવામાં આવશે.

કાદરીના બચાવમાં કોંગ્રેસ આવી હતી

  કાદરીનું કાઉન્સિલર પદ રદ કરવાના નિર્ણય સામે કોંગ્રેસ તેને બચાવમાં આવી હતી. વિપક્ષી નેતા ચિન્ટુ ચોક્સીએ તેને ભાજપનું કાવતરું ગણાવ્યું હતુ. પ્રવક્તા પ્રમોદ દ્વિવેદીએ કહ્યું કે કોર્ટે હજુ સુધી કાદરીને સજા ફટકારી નથી, તો મેયર, જે પોતે કાયદાને જાણે છે, તેઓ પત્ર લખીને આવી માંગ કેવી રીતે કરી શકે છે. આ સાથેકોંગ્રેસ જીતુ જાટવ ઉર્ફે યાદવ, જે ભાજપના કાઉન્સિલર અને એમઆઈસી સભ્ય હતા, તેના કેસ પર પણ બોલી રહી છે કે જ્યારે ભાજપે જ તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા, ત્યારે તેમને દૂર કરવા માટે કોઈ પત્ર કેમ લખવામાં આવ્યો નહીં.

  અનવર કાદરી પર NSA લાદવામાં આવ્યો હતો

ઇન્દોરમાં શાંતિ અને કાયદો અને વ્યવસ્થા જાળવવાના ઉદ્દેશ્યથી કલેક્ટર આશિષ સિંહે મોટી કાર્યવાહી કરી હતી. તેમણે કોંગ્રેસના કાઉન્સિલર અનવર કાદરી (પિતા- અસલમ કાદરી, રહેવાસી – 44, સદર બજાર) ને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ અટકાયત કરવાનો આદેશ જારી કર્યો હતો. ઇન્દોરમાં લવ જેહાદને ભંડોળ પૂરું પાડવાના આરોપી કોંગ્રેસના કાઉન્સિલર અનવર કાદરી સામે 18 ફોજદારી કેસ નોંધાયેલા છે. આમાં ખૂની હુમલો, લૂંટ, રમખાણો, ગેરકાયદેસર હથિયારો રાખવા, જમીન પચાવી પાડવા અને હુમલો જેવા કેસોનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચોઃ

Montu Patel scam: 5 હજાર કરોડના કૌભાંડી મોન્ટુ પટેલે વિજ્ઞાનીની પેટન્ટ ચોરી

Menstruation Checkup: ગુરુઓની ગંદી કરતૂત, શાળામાં માસિક ધર્મ તપાસવા છોકરીઓના કપડાં કાઢ્યા, પ્રિન્સિપાલ અને 4 શિક્ષકોની ધરપકડ

Gujarat Bridges Roads cost: છેલ્લાં 10 વર્ષમાં પુલ અને રસ્તાઓ પાછળ 1 લાખ કરોડનો ખર્ચ, છતાં હાલત ખરાબ

UP husband murder: 8 વિઘા જમીન માટે પ્રેમી સાથે મળી પતિને પૂરો કરી નાખ્યો, પછી લાશને….

Gambhira Bridge collapse: ભાજપના ભ્રષ્ટાચારે વડોદરા અને આણંદ વચ્ચેની સીધી રસ્તા કડી તોડી!, 14 નો જીવ લીધો

Gambhira Bridge collapse: મદદ કરતાં માણસને પોલીસે ધમકાવ્યો, ‘NDRF ની ટીમ બોલાવી છે નીચે બસી જા’, જોઈ લો પોલીસનું વર્તન

Gambhira Bridge collapse: સંવેદના વ્યક્ત કરવામાં ભાજપ નેતાઓએ કર્યું કોપી પેસ્ટ, પછી શું થાય બોલો!

Vadodara Bridge Collapse: ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે રાજકારણ ગરમાયું, વિપક્ષી નેતાઓએ સરકારને ઘેરી

Gambhira Bridge Collapsed: ગંભીરા પુલ સાથે ગુજરાતમાં 281 પુલ હજુ પણ જોખમી, ગમે ત્યારે તૂટી શકે

Vadodara Gambhira Bridge Collapsed: ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 8 ના મોત, 5 ને બચાવી લેવાયા

 

 

Related Posts

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
  • September 16, 2026

Manusmriti and BR Ambedkar: 26 નવેમ્બર 1949ના રોજ ભારતનું બંધારણ અપનાવવામાં આવ્યું તેના બે દિવસ પહેલાં સમાજ સુધારક અને કોંગ્રેસ નેતા કેશવરાવ જેધેએ ડૉ. બી.આર. આંબેડકર અને તેમના સાથીઓને બંધારણ…

Continue reading
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
  • September 16, 2026

Noise Pollution India: દિલ્હીના કિલોકરી વિસ્તારમાં જાણીતા મણિપુરી સંગીતકાર, શિક્ષક અને રૉક બૅન્ડ ફીનિક્સના ગિટારિસ્ટ ચોંગથામ વિક્રમ સિંહની હત્યાએ ભારતમાં વધતા ધ્વનિ પ્રદૂષણ અને જાહેર સ્થળે અવાજના ઉપયોગ અંગે ગંભીર…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત