Narendramodi: શું ઈરાની યુદ્ધ જહાજને US એટેકથી બચાવવાની જવાબદારી ભારતની હતી?ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ઉઠ્યા સવાલ!

  • World
  • March 7, 2026
  • 0 Comments

Narendramodi: હિંદ મહાસાગરમાં ભારતના ગેસ્ટ રહેલા ઈરાની જહાજને અમેરિકાએ તોડી નાખતા હિંદ મહાસાગરમાં ભારતની વ્યૂહાત્મક સ્થિતિ અંગે ગંભીર સવાલો ઉભા થયા છે,ઈરાની નૌકાદળનું ફ્રિગેટ આઇરિસ ડેના 4 માર્ચ, 2026 ના રોજ શ્રીલંકાના ગેલ કિનારાથી આશરે 40 નોટિકલ માઇલ દૂર આંતરરાષ્ટ્રીય પાણીમાં યુએસ સબમરીને કરેલા ટોર્પિડો હુમલામાં ડૂબી ગયું. આ હુમલામાં 80 થી વધુ ખલાસીઓ માર્યા ગયા હતા, જ્યારે શ્રીલંકાના નૌકાદળે 32 ખલાસીઓને બચાવ્યા અને અન્ય લાપતા થયા.

આ એજ જહાજ હતું જે તા. 16 ફેબ્રુઆરીએ ભારતના વિશાખાપટ્ટનમ પહોંચ્યું, જ્યાં તેણે ઇન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂ 2026 અને બહુપક્ષીય કવાયત મિલાન 2026 માં અતિથિ વિશેષ તરીકે ભાગ લીધો. ભારતીય પૂર્વીય નૌકાદળ કમાન્ડે તેને બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક સંબંધોનું પ્રતીક ગણાવ્યું અને જ્યારે તે પરત ફરી રહ્યું હતું ત્યારે અમેરિકાએ તેને તોડી પાડ્યું ! આ ભારત માટે પણ સન્માન ભંગની ઘટના હતી કારણ કે જે મહેમાન આપણા દેશમાં આવે અને પાછા ફરતા હોય ત્યારે તેમને મારી નાખવામાં આવે તો તેણે ભારતની પણ કદર નથી કરી તેવું સાબિત થાય.

ઈરાનના વિદેશ મંત્રીએ આ જહાજને “ભારતનું અતિથિ (Guest of India)” ગણાવ્યું હતું અને કોઈ પણ ચેતવણી વગર કરવામાં આવેલા આ હુમલા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો,આ ઘટના બાદ ભારતે તેના પ્રાદેશિક જળસીમામાં નૌકાદળ તૈનાત કર્યા પરંતુ કેન્દ્ર સરકાર આ ઘટના ઉપર મૌન રહી. તેણે ન તો આ હુમલાની નિંદા કરી, ન તો આક્રોશ વ્યક્ત કર્યો, ન તો યુનાઇટેડ સ્ટેટ્સ સમક્ષ રાજદ્વારી વિરોધ નોંધાવ્યો. આ મૌનથી દેશમાં રાજકીય હોબાળો મચી ગયો. વિરોધ પક્ષોએ એ પણ આક્ષેપ સાથે સવાલ કર્યો કે શું ભારતને આ હુમલાની અગાઉથી જાણકારી હતી?

કાનૂની અને વ્યૂહાત્મક નિષ્ણાતો કહે છે કે આ ઘટના ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર (EEZ) અને શોધ અને બચાવ ક્ષેત્રની બહાર બની હતી. સશસ્ત્ર સંઘર્ષના કાયદા હેઠળ આંતરરાષ્ટ્રીય પાણીમાં ઈરાની યુદ્ધ જહાજ એક કાયદેસર લક્ષ્ય હતું. LEMOA કરારમાં પણ તમામ કિસ્સાઓમાં સ્પષ્ટ સંમતિની જરૂર છે.

2024 માં, ભારતીય નૌકાદળના વડાએ જાહેર કર્યું કે ભારત પાસે હિંદ મહાસાગરમાં “કોણ શું કરી રહ્યું છે, ક્યાં અને કેવી રીતે કરી રહ્યું છે” તે વિશે સંપૂર્ણ માહિતી છે. થોડા દિવસો પછી, ભારતીય બંદરથી રવાના થતું એક જહાજ તે જ વિસ્તારમાં ડૂબી ગયું,હિંદ મહાસાગરમાં ભારતનો મુખ્ય સુરક્ષા પ્રદાતા હોવાનો દાવો હવે માત્ર ક્ષમતાની જ નહીં પરંતુ સિદ્ધાંતની પણ કસોટી છે. જ્યારે સમુદ્ર કોઈ બીજાનું યુદ્ધક્ષેત્ર બનશે ત્યારે ભારત કેવું વર્તન કરશે? આ સવાલ હજુ પણ અનુત્તરિત છે.

ભૂતપૂર્વ નૌકાદળ અધિકારીઓ અને વિશ્લેષકો આ ઘટનાને ભારત માટે “વ્યૂહાત્મક ક્ષોભ (Strategic Embarrassment)” ગણાવી રહ્યા છે કારણ કે ભારતની મહેમાનગતિ માણીને પરત ફરતા જહાજ પર ભારતના જ પાડોશમાં હુમલો થયો છે,ભારતની દરિયાઈ પ્રભુત્વ ધરાવતા પ્રદેશ (Strategic Backyard) માં આ પ્રકારની લશ્કરી કાર્યવાહી ભારતની પ્રાદેશિક વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કરે છે.
વિપક્ષી નેતાઓ અને વિશ્લેષકો આ મામલે ભારતની મૌન ભૂમિકાની ટીકા કરી રહ્યા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: ટ્રમ્પની યુદ્ધવિરામ માટે મજબૂરી છે કે માસ્ટરસ્ટ્રોક? USનો મિસાઇલનો ભંડાર 50 % ખાલી!
  • April 22, 2026

Donald Trump: ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકાની ગણતરી ખોટી પડી છે અને ધડાધડ મિસાઇલ ઉપર મિસાઇલ છોડતા હવે અમેરિકાના મિસાઇલ ભંડારમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે પરિણામે હવે મોટા યુદ્ધ માટે…

Continue reading
Donald Trump: ઈરાન વોર સીઝફાયર લંબાયો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા UK-ફ્રાન્સે 30 દેશોની બેઠક બોલાવી!
  • April 22, 2026

Donald Trump: અમેરિકા-ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં યોજાયેલી મંત્રણા પડી ભાંગ્યા બાદ 21મી એપ્રિલના રોજ સીઝફાયરની મુદ્દત પુરી થાય તે પહેલા બીજા તબક્કાની શાંતિ વાર્તા ફરી પાકિસ્તાનમાં યોજવાનું નક્કી થયું પણ આ…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

AAP: ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જંગ જીતવા નાણાંની રેલમછેલ! હવાલા કૌભાંડનો પર્દાફાશ! જુઓ વિડીયો

  • April 22, 2026
  • 3 views
AAP: ગુજરાતમાં રાજકીય પક્ષોમાં જંગ જીતવા નાણાંની રેલમછેલ! હવાલા કૌભાંડનો પર્દાફાશ! જુઓ વિડીયો

Satire: એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!

  • April 22, 2026
  • 8 views
Satire:  એક એવો રાજા કે જેણે પોતાની પત્નીને વર્ષો પહેલા તરછોડી દીધી હતી! તે રાજાને અચાનક “નારી વંદના” પ્રેમ ઉભરાઈ ગયો!!

Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?

  • April 22, 2026
  • 5 views
Assam: આસામમાં લોકશાહીના પર્વની ઉજવણી અને મણીપુરની વાસ્તવિકતા અંગે જાણો પ્રો.પ્રશંજીત વિશ્વાસ શુ કહે છે?

PM Modi: પહેલગામ આતંકી હુમલાની આજે વરસી! પરિજનો હજુપણ આઘાતમાં છે!

  • April 22, 2026
  • 12 views
PM Modi: પહેલગામ આતંકી હુમલાની આજે વરસી! પરિજનો હજુપણ આઘાતમાં છે!

Donald Trump: ટ્રમ્પની યુદ્ધવિરામ માટે મજબૂરી છે કે માસ્ટરસ્ટ્રોક? USનો મિસાઇલનો ભંડાર 50 % ખાલી!

  • April 22, 2026
  • 11 views
Donald Trump: ટ્રમ્પની યુદ્ધવિરામ માટે મજબૂરી છે કે માસ્ટરસ્ટ્રોક? USનો મિસાઇલનો ભંડાર 50 % ખાલી!

BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો

  • April 22, 2026
  • 6 views
BJP: ભાજપની સભાઓમાં જન મેદની જામતી નથી! જનતા હતાશ કેમ છે? જુઓ વિડીયો