
Haryana: હરિયાણા જેજેપીના પ્રમુખ અજય ચૌટાલાએ મહેન્દ્રગઢમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, તેમણે કહ્યું હતું કે ભારતીય શાસકોને તેમની ખુરશી પરથી ખેંચીને શેરીઓમાં લાવીને જાહેરમાં ફટકારવાની હવે જરૂર છે,ભારતમાં પણ નેપાળ અને બાંગ્લાદેશ જેવું આંદોલન કરવાની જરૂર છે.
હરિયાણામાં જનનાયક જનતા પાર્ટી (જેજેપી) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અજય ચૌટાલાએ મહેન્દ્રગઢ જિલ્લામાં આયોજિત યુવા યોદ્ધા સંમેલનમાં જનતાને સંબોધતા કહ્યું કે ભારતમાં શાસકોને તેમની ખુરશી પરથી ખેંચી કાઢી શેરીઓમાં લાવીને જાહેરમાં ફટકારવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે ભારતમાં નેપાળ અને બાંગ્લાદેશ જેવા આંદોલનની જરૂર છે,જ્યાં શાસકો સાથે ક્રૂર વર્તન કરવામાં આવતું હતું.JJP પ્રમુખ અજય ચૌટાલાએ કહ્યું, “આપણે પણ આપણા શાસકોને દેશ છોડવા માટે મજબૂર કરવા માટે કામ કરવું પડશે.
તેમણે ઉમેર્યુકે આપણે અહીં ભારતમાં પણ બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકામાં જેવું આંદોલન શરૂ કરવું પડશે.” અજય ચૌટાલા હરિયાણાના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના પિતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના પુત્ર છે. તેઓના આ નિવેદનથી ભારે ચકચાર મચી ગઇ છે.
આ પણ વાંચો:
Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!
Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!
Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે








