
Junagadh Mahadev Bharti Bapu Missing Again: જૂનાગઢના ભારતી આશ્રમના ભારતી આશ્રમનામહાદેવગીરી બાપુ ફરીએકવાર એકાએક લાપતા થઈ ગયા છે. જાણવા મળ્યું છે કે જસદણના સાણથલી ગામે પોતાના પરિવાર સાથે રહેતાં મહાદેવ ભારતી બાપુ વહેલી સવારે એકાએક લાપતા થયા છે. જેથી પરિવાર ચિંતમાં મૂકાયો છે. બીજી તરફ ફરીવાર તંત્ર દોડતુ્ં થયું છે.
નોંધનીય છે. કે મહાદેવ ભારતી બાપુ તાજેતરમાં 2 નવેમ્બરે જ એક સ્યાસાઈડ નોટ લખી ગુમ થયા હતા. તેઓ લાંબી શોધખોળ કરવામાં આવી હતી. જે બાદ તેઓ 5 નવેમ્બરે પોલીસને ઈટાવા ઘોડી વિસ્તારમાંથી અસ્વસ્થ હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ મહાદેવભારતી જસદણ તાલુકાના સાણથલી ગામ તેમના ઘરે રહેવા માટે ગયા હતા.
તેમણે સ્યુસાઈડ નોટમાં શિષ્યો પર ગંભીર આરોપ મૂક્યા હતા. તેમનો આરોપ હતો કે 3 શિષ્યો તેમને માનસિક રીતે હેરાન કરી રહ્યા હતા. હિતેશ, કૃણાલ અને પરમેશ્વર ભારતી ખૂબ જ માનસિક ટોર્ચરિંગ 3 વર્ષથી કરતાં હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે ફરીવાર લાપતાં થતાં અનેક તર્કવિત થઈ રહ્યા છે. બીજીવાર મહાદેવ ભારતી બાપુ ઘુમ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે મહાદેવ ભારતી ઘુમ થયા બાદ થતાં ભારતી આશ્રમ મહંત હરીહરાનંદ દ્વારા મહાદેવભારતીને ભારતી આશ્રમના તમામ પદ પરથી દૂર કરી દીધા હતા અને આશ્રમને તેની સાથે હવે કોઈ લેવાદેવા ન હોવાની વાત કરી હતી.
આ પણ વાંચો:
Junagadh: આશ્રમમાં મહાદેવ ભારતી બાપુ સ્યુસાઈડ નોટ લખી ગુમ થયા, પોલીસ તપાસ ચાલુ
Junagadh: ગુમ થયેલા મહાદેવભારતી બાપુ મળી આવ્યા, શિષ્ય પર લગાવ્યા ગંભીર આરોપ
Delhi Blast: લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ, એકનો જીવ ગયો, અફરાતફરીનો માહોલ
Bhavnagar: દિલ્હી વિસ્ફોટ પછી ભાવનગરમાં પોલીસ એલર્ટ, વ્યાપક ચેકિંગ અને સુરક્ષા કડક






