
Junagadh News: જૂનાગઢમાં એક બાજુ લીલી પરિક્રમાને લઈ ઉત્સાહ છે તો બીજી તરફ એક એવી ઘટના બની છે જેથી સૌ કોઈ અચરજમાં મૂકાઈ ગયા છે. જૂનાગઢ ભવનાથ ક્ષેત્રના ભારતી આશ્રમના લઘુમહંત 1008 મહામંડલેશ્વર મહાદેવરભારતીજી બાપુ આજે વહેલી સવારથી ગુમ છે. પોલીસે ત્રણથી વધુ પાનાની સુસાઈડ નોટ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી જાણકારી અનુસાર જૂનાગઢમાં આવેલા ભારતી આશ્રમના લઘુમંહત 1008 મહામંડલેશ્વર આશ્રમમાંથી ગુમ થયા છે. આશ્રમ સંચાલકોએ ભવાનાથ પોલીસને જાણ કરતાં તપાસ હાથ ધરાઈ છે.
આ ઘટના અંગે ભવનાથ પોલીસ સ્ટેશનના પી.આઈ.નું કહેવું છું કે વહેલી સવારે ભારતી આશ્રમમાંથી મહાદેવભારતી બાપુ સુસાઈડ નોટ લખી ગુમ થયા છે. આશ્રમ સંચાલકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ શંકા વ્યક્ત કરી છે અંગત મન દુઃખ થતાં તેઓ ગુમ થયા છે. આ મામલે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે.
જો કે સુસાઈડ નોટમાં શું લખવામાં આવ્યું છે તે હજુ સુધી પોલીસે જણાવ્યું નથી. જો કે મહાદેવભારતી બાપુ ગુમ થતાં સેવકોમાં ચિંતા સેવાઈ રહી છે. આ મામલે પોલીસે અલગ અલગ દ્રષ્ટિકોણથી તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય આવી ઘટનાઓ આશ્રમમો બની રહી છે તે એક ચિંતાનો વિષય છે. કારણે શ્રધ્ધા અને ભક્તિના પાઠ શીખવાતાં સાધુ-સંતોમાં જો આવી ઘટનાઓ બને તો તેમના ભક્તો શું પ્રેરણા લેશે!
આ પણ વાંચો:
Bangladesh: હસીના બાદ યુનુસ પરથી બાંગ્લાદેશી વિદ્યાર્થીઓનો ભરસો ઉઠ્યો, યુનુસ સરકાર પણ જશે?
Bhavanagar: ‘વલ્લભીપુર તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરો’, ખેડૂતોએ કર્યો ડિજિટલ સરવેનો વિરોધ
ભાવનગરમાં કમોસમી વરસાદ, ખેડૂતો-વેપારીઓને મોટું નુકસાન | Bhavnagar unseasonal rain
Sports: કતારના દોહામાં આગામી 16 નવેમ્બરે ભારત-પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે થશે ટક્કર







