“વડાપ્રધાન આવે ત્યારે જ રોડ બને, લોકો માટે કેમ નહીં?” ધારાસભ્ય Chaitar vasava એ ઉઠાવ્યા સવાલો

  • Gujarat
  • November 11, 2025
  • 0 Comments

Chaitar vasava: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે AAP ધારાસભ્ય ચૈતર વસાવા, સાંસદ મનસુખ વસાવા, કલેકટર, ડીડીઓ, ડીસીએફ અને તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગની મીટીંગ થઈ. આ મીટીંગ બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગતરોજ દિશા મોનિટરની મીટીંગ મળી હતી. આ મિટિંગમાં વિવિધ બાબતોની અમે ચર્ચા કરી હતી જેમ કે મનરેગાની રોજગારી છ તાલુકાઓમાં ચાલુ નથી. એ ક્યારે ચાલુ થશે અને કેમ બંધ છે? જેમાં તેમણે અમને 10થી 15 દિવસની બાંહેધરી આપી છે કે અમે મનરેગા રોજગારી ચાલુ કરાવી દઈશું.

વધુમાં ચૈતર વસાવાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડીયાપાડામાં આવે છે ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે લાગી જાય છે તો જુના રાજનો રોડ કેમ બનાવતા નથી? કેમ વન વિભાગ તેને અટકાવે છે? દેવમોગરાના રોડ માટે અનેક ઝાડ કપાય છે ત્યાં કાયદો નડતો નથી? જુના રાજમા જ કેમ કાયદો નડે છે? એ બાબતની પણ મેં રજૂઆત કરી. સાથે સાથે એમને જાહેરનામું પ્રસિદ્ધ કરીને યાર્ડ પુલ પર માત્ર 25 ટન વાહનોની અવરજવરની પરવાનગી આપી છે ત્યારે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એ જ પ્રકારે ડેડીયાપાડાથી નેત્રંગ નેશનલ હાઈવે પર સિધ્ધપુર અને ઘાણીકૂટની વચ્ચે કરજણ પર એક બ્રિજ છે ત્યાં એંગલ લગાવવામાં આવ્યા છે જ્યાં ફોરવ્હીલ વાહનો જ અવરજવર કરી શકે છે અને ડાયવર્ઝન ગ્રામ્ય વિસ્તારમાંથી આપવામાં આવ્યું છે. મેં નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તો એની નીચે બાયપાસ બનાવવામાં આવે અને લોકોને અવર જવર માટેની વ્યવસ્થા કરવામાં આવે. ત્રીજી વાત, ચિકદા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે ત્યાં બસ સ્ટેશન,પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી ઊભી કરવામાં આવે અને સાથે સાથે આઇટીઆઇથી લઈને તમામ પ્રકારની શાખાઓ તમામ શાખાઓના અધિકારીઓ ત્યાં હાજર રહે અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે.

ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, એક જિલ્લામાં તમામ શાળાઓમાં એક જ કોન્ટ્રાક્ટર ભોજન પૂરું પાડે છે એવી ગુજરાત સરકારે અહીંયા એક એજન્સી નક્કી કરી છે, તેનો પણ મેં વિરોધ કર્યો છે અને કહ્યું છે કે જે પ્રકારે મધ્યાહન ભોજન ચાલે છે એ પ્રકારે જ ચાલવું જોઈએ. તેમજ રોડ અને રસ્તાના પેચ વર્ક કરવાના બાકી છે એમના પેચ વર્ક કરવામાં આવે, સાઈડમાંથી કટીંગ કરવામાં આવે, જે જર્જરીત નાળા છે ત્યાં નવા નાળા બનાવવામાં આવે, સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે બીજા અને ત્રીજા હપ્તા પેન્ડિંગ છે, એ પણ પૂર્ણ કરવામાં આવે. ફોરેસ્ટની જે પણ યોજના હોય, ટ્રાઇબલ સબપ્લાનની યોજના હોય, નાણાપંચની યોજના હોય, જેની વર્ષોથી ગ્રાન્ટની બચત છે એ તમામ ગ્રાન્ટને તાત્કાલિક ધોરણે અમલીકરણ કરીને કામ પુરા કરવામાં આવે એવી આજે મેં માંગ કરી છે અને નર્મદા જિલ્લાના કલેકટર, ડીડીઓ, એસપી, DCF અને નિયામક જેવા તમામ અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆત કરી છે એનું સત્વરે નિરાકરણ કરીને મને રિપોર્ટ આપવાની બાંહેધરી આપી છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Ramol Firecracker Factory Blast: રામોલ બ્લાસ્ટ, મૃતકના પરિવારના ગંભીર આરોપો, પોલીસ પર પણ સવાલ
  • July 19, 2026

Ramol Firecracker Factory Blast: ગઈકાલે રામોલ પાસે આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. આ દુર્ઘટનામાં નવ જેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો…

Continue reading
Manjalpur By-election: માંજલપુર પેટાચૂંટણી, ભાજપનો ગઢ અકબંધ રહેશે કે કોંગ્રેસ કરશે ઉલટફેર?
  • July 19, 2026

Manjalpur By-election: ગુજરાતના રાજકીય ક્ષિતિજ પર જ્યારે આગામી વિધાનસભા ચૂંટણી માટેની તૈયારીઓ પડઘા પાડી રહી છે, ત્યારે વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી એક મહત્વપૂર્ણ કસોટી બનીને સામે આવી છે. ભાજપના…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

  • July 20, 2026
  • 3 views
Forest Diversion: છત્તીસગઢ-ઓડિશાના જંગલોમાં ખનનને લીલી ઝંડી, જંગલો બચશે કે નહીં?

Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

  • July 20, 2026
  • 4 views
Jantar Mantar Protest: વિદ્યાર્થીઓના આક્રોશ માટે સરકારની ઉદાસીનતા જવાબદાર, જંતર-મંતર પર ઉમટ્યો જનસૈલાબ

Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

  • July 20, 2026
  • 8 views
Asaduddin Owaisi UP Election: યુપી ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી સપા-કોંગ્રેસની ઊંઘ હરામ, જાણો કોને થશે મોટો રાજકીય ફાયદો?

All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

  • July 20, 2026
  • 6 views
All Party Meeting: સંસદ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં મોટો હંગામો, બાગી સાંસદોના મુદ્દે વિપક્ષનું વોકઆઉટ

Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

  • July 20, 2026
  • 11 views
Bihar Model Schools: બિહારમાં મોડેલ શાળાઓના ભગવા રંગના નિર્ણયને લઈને રાજકીય વિવાદ તેજ

Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!

  • July 20, 2026
  • 11 views
Parliament Monsoon Session: સંસદના ચોમાસુ સત્રના પહેલા જ દિવસે જબરદસ્ત હોબાળો, પેપર લીક અને જંતરમંતરના વિવાદે સંસદને હલાવી દીધી!