“વડાપ્રધાન આવે ત્યારે જ રોડ બને, લોકો માટે કેમ નહીં?” ધારાસભ્ય Chaitar vasava એ ઉઠાવ્યા સવાલો

  • Gujarat
  • November 11, 2025
  • 0 Comments

Chaitar vasava: નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે AAP ધારાસભ્ય ચૈતર વસાવા, સાંસદ મનસુખ વસાવા, કલેકટર, ડીડીઓ, ડીસીએફ અને તમામ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં દિશા મોનિટરિંગની મીટીંગ થઈ. આ મીટીંગ બાબતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગતરોજ દિશા મોનિટરની મીટીંગ મળી હતી. આ મિટિંગમાં વિવિધ બાબતોની અમે ચર્ચા કરી હતી જેમ કે મનરેગાની રોજગારી છ તાલુકાઓમાં ચાલુ નથી. એ ક્યારે ચાલુ થશે અને કેમ બંધ છે? જેમાં તેમણે અમને 10થી 15 દિવસની બાંહેધરી આપી છે કે અમે મનરેગા રોજગારી ચાલુ કરાવી દઈશું.

વધુમાં ચૈતર વસાવાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડીયાપાડામાં આવે છે ત્યારે તંત્ર યુદ્ધના ધોરણે લાગી જાય છે તો જુના રાજનો રોડ કેમ બનાવતા નથી? કેમ વન વિભાગ તેને અટકાવે છે? દેવમોગરાના રોડ માટે અનેક ઝાડ કપાય છે ત્યાં કાયદો નડતો નથી? જુના રાજમા જ કેમ કાયદો નડે છે? એ બાબતની પણ મેં રજૂઆત કરી. સાથે સાથે એમને જાહેરનામું પ્રસિદ્ધ કરીને યાર્ડ પુલ પર માત્ર 25 ટન વાહનોની અવરજવરની પરવાનગી આપી છે ત્યારે ઘણા લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. એ જ પ્રકારે ડેડીયાપાડાથી નેત્રંગ નેશનલ હાઈવે પર સિધ્ધપુર અને ઘાણીકૂટની વચ્ચે કરજણ પર એક બ્રિજ છે ત્યાં એંગલ લગાવવામાં આવ્યા છે જ્યાં ફોરવ્હીલ વાહનો જ અવરજવર કરી શકે છે અને ડાયવર્ઝન ગ્રામ્ય વિસ્તારમાંથી આપવામાં આવ્યું છે. મેં નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જો બ્રિજ જર્જરિત હાલતમાં હોય તો એની નીચે બાયપાસ બનાવવામાં આવે અને લોકોને અવર જવર માટેની વ્યવસ્થા કરવામાં આવે. ત્રીજી વાત, ચિકદા તાલુકો નવો અસ્તિત્વમાં આવ્યો છે ત્યારે ત્યાં બસ સ્ટેશન,પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી ઊભી કરવામાં આવે અને સાથે સાથે આઇટીઆઇથી લઈને તમામ પ્રકારની શાખાઓ તમામ શાખાઓના અધિકારીઓ ત્યાં હાજર રહે અને લોકોની સેવાકીય પ્રવૃત્તિ સરળ બને એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે.

ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, એક જિલ્લામાં તમામ શાળાઓમાં એક જ કોન્ટ્રાક્ટર ભોજન પૂરું પાડે છે એવી ગુજરાત સરકારે અહીંયા એક એજન્સી નક્કી કરી છે, તેનો પણ મેં વિરોધ કર્યો છે અને કહ્યું છે કે જે પ્રકારે મધ્યાહન ભોજન ચાલે છે એ પ્રકારે જ ચાલવું જોઈએ. તેમજ રોડ અને રસ્તાના પેચ વર્ક કરવાના બાકી છે એમના પેચ વર્ક કરવામાં આવે, સાઈડમાંથી કટીંગ કરવામાં આવે, જે જર્જરીત નાળા છે ત્યાં નવા નાળા બનાવવામાં આવે, સાથે સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે બીજા અને ત્રીજા હપ્તા પેન્ડિંગ છે, એ પણ પૂર્ણ કરવામાં આવે. ફોરેસ્ટની જે પણ યોજના હોય, ટ્રાઇબલ સબપ્લાનની યોજના હોય, નાણાપંચની યોજના હોય, જેની વર્ષોથી ગ્રાન્ટની બચત છે એ તમામ ગ્રાન્ટને તાત્કાલિક ધોરણે અમલીકરણ કરીને કામ પુરા કરવામાં આવે એવી આજે મેં માંગ કરી છે અને નર્મદા જિલ્લાના કલેકટર, ડીડીઓ, એસપી, DCF અને નિયામક જેવા તમામ અધિકારીઓ દ્વારા અમે જે રજૂઆત કરી છે એનું સત્વરે નિરાકરણ કરીને મને રિપોર્ટ આપવાની બાંહેધરી આપી છે.

આ પણ વાંચો:

Amreli:રાજ્ય સરકારના સહાય પેકેજથી ભાજપમાં ભડકો, વરિષ્ઠ નેતાએ આપી દીધું રાજીનામું

Rajasthan: રાજસ્થાનમાં ભારતીય સેનાની મિસાઈલ લક્ષ ચુકી ગઈ અને ભદરિયા ગામની સીમમાં પડી!મોટી જાનહાની ટળી

chhotaudepur: “મને ડરાવી-ધમકાવીને ભાજપમાં જોડવાની કોશિશ કરી” AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો મોટો ખુલાસો

Kirti Patel: કીર્તિ પટેલ સામે PASA હેઠળ કાર્યવાહી , વડોદરા જેલમાં ધકેલાઈ, ખંડણી અને ધમકીના 9 કેસો

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 4 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત