
Iran War: ખામેનીના નિધન પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ઈરાની દૂતાવાસની મુલાકાત લીધી અને શોક પુસ્તિકા પર હસ્તાક્ષર કર્યા.ભારત સરકાર વતી, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે, 5 માર્ચે નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસમાં એક શોક પુસ્તક પર હસ્તાક્ષર કર્યા અને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો. આજે યુએસ-ઇઝરાયલ-ઈરાન સંઘર્ષનો છઠ્ઠો દિવસ છે, અને ભારતે પહેલીવાર ખામેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા-ઇઝરાયલના મિસાઇલ હુમલામાં ખામેની સહિત તેમના પત્ની, પુત્રવધૂ અને પૌત્રી સહિત 40 કમાન્ડર માર્યા ગયા હતા,ઈરાને એક દિવસ પછી ખમેનીની સત્તાવાર રીતે મૃત્યુની જાહેરાત કરી હતી.ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનીના મૃત્યુ બાદ વિશ્વભરના દેશોએ શોક સંદેશાઓ મોકલી દુઃખ વ્યક્ત કર્યું હતું પણ ભારત ચૂપ રહ્યું હતું ત્યારબાદ વિપક્ષ તરફથી ભારે સવાલો ઉઠતા આખરે છ દિવસ બાદ ભારત તરફથી વિદેશ સચિવે શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
ભારત સરકારનું આ પગલું અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે સરકારે છ દિવસ સુધી આ મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી ન હતી પણ મિત્ર દેશ રહેલા ઈરાન માટે વિપક્ષ દ્વારા ખમેનીના નિધન ઉપર નરેન્દ્ર મોદીની ચૂપકીદી અંગે હંગામો કરી સવાલ પૂછતાં આખરે ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિશ્રી હવે દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસ પહોંચ્યા હતા જ્યાં તેઓએ ખામેનીના નિધન ઉપર શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.







