
- સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા – અંબાજી રોડ પર હિંગટિયા નજીક સર્જાયો વિચિત્ર અકસ્માત.
- અંબાજી – વડોદરાની એસટી બસ, મુસાફરો ભરેલી જીપ અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત.
- 1 વર્ષની બાળા સહિત 5 લોકોનાં દુઃખદ મોત નિપજ્યાં, ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયાં.
Triple Accident | આજે બપોરના સમયે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા – અંબાજી હાઈ વે પર હિંગટિયા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતાં ભારે હાહાકાર મચી ગયો હતો. અંબાજી – વડોદરા જતી એસટી બસ, મુસાફરો ભરેલી જીપ અને બાઈક અગમ્ય કારણોસર એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતાં. અકસ્માતના બનાવમાં 1 વર્ષની બાળકી સહિત કુલ 5 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે 7 જેટલાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ખેરોજ પોલીસ મથકના પી.આઈ. એન. આર. ઉમટે મીડિયાને જણાવ્યું હતું કે, હાલના તબક્કે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. તે અંગેની વિગતો તપાસ બાદ સામે આવશે. પણ હાલના તબક્કે ટ્રીપલ અકસ્માતમાં જીપમાં સવાર અને બાઈક સવાર લોકો પૈકી 6 લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે 7 લોકોને ઇજા પહોંચી હોવાથી તેઓને તાત્કાલિક મટોડા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવને પગલે ખેડબ્રહ્મા પોલીસ મથકનો સ્ટાફ તેમજ સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અકસ્માત સર્જાતાં જ દોડી આવેલાં સ્થાનિક લોકોએ રાહત કામગીરી હાથ ધરી હતી. અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિકને પૂર્વવત્ કરવાની કામગીરી હાથ ધરી હતી.
હિંગટિયા નજીક સર્જાયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતને પગલે આસપાસના વિસ્તારોમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. જ્યારે મૃતકોનાં સ્વજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી.
ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામેલાં લોકોની યાદી
- પોપટભાઈ સકાભાઈ તરાલ (રહે. બુબડિયાના છાપરા, તા – ખેડબ્રહ્મા)
- સાયબાભાઈ ગલબભાઈ બેગડિયા (રહે. ચાંગોદ, તા – ખેડબ્રહ્મા)
- મંજુલાબહેન બચુભાઈ બેગડિયા (રહે. ચાંગોદ, તા – ખેડબ્રહ્મા)
- અજયભાઈ નવાભાઈ ગમાર (રહે. નાડા, તા – પોશીના)
- સારવાર માટે હિંમત નગર લઈ જવાતાં સમયે એક અજાણ્યા પુરુષનું રસ્તામાં મોત નિપજ્યું
આ પણ વાંચોઃ
Gujarat: ખેતમજૂરો ખેતમાલિકો થયા, 75 વર્ષે ફરી જમીન વિહોણા
Vadodara: CM ભૂપેન્દ્ર પટેલે કાર્યક્રમમાંથી બે મહિલાઓને બળજબરીથી બહાર કાઢી, શું છે મામલો?
Surat: બાળક સાથે ભાગેલી 23 વર્ષિય શિક્ષિકા ગર્ભવતી, મેડિકલ રિપોર્ટમાં ઘટસ્ફોટ
Ajmer Hotel Fire: અજમેર હોટલમાં લાગેલી આગમાં 3 ગુજરાતી સહિત 4 ના મોત, બચાવકર્મીઓની હાલત બત્તર
ગોંડલમાં વટ અને વેર પરિબળ કામ કરી રહ્યું છે?, શું છે ઈતિહાસ? | Gondal
Gujarat માં ભર ઉનાળે માવઠાની આગાહી, તાપમાનમાં ઘટાડો થશે









